અમદાવાદમાં પત્રકારની કેમ થઈ હત્યા? થયા મોટા ખૂલાસા, 4 ની ધરપકડ - 1 ની અટકાયત

Ahmedabad Journalist Murder Case : અમદાવાદ પત્રકાર હત્યા કેસ માં ક્રાઈમ બ્રાન્ચે ચારની ધરપકડ અને એકની અટકાયત કરી. કેમ થઈ હત્યા થયા મોટા ખુલાસા.

Ahmedabad Journalist Murder Case : અમદાવાદ પત્રકાર હત્યા કેસ માં ક્રાઈમ બ્રાન્ચે ચારની ધરપકડ અને એકની અટકાયત કરી. કેમ થઈ હત્યા થયા મોટા ખુલાસા.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Ahmedabad Journalist Murder Case

અમદાવાદ પત્રકાર હત્યા કેસમાં ચારની ધરપકડ

Journalist killed in Ahmedabad : અજાણ્યા વ્યક્તિઓ દ્વારા પત્રકાર પર થયેલા જીવલેણ હુમલાના એક અઠવાડિયા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે ચાર લોકોની ધરપકડ કરી હતી અને એક વ્યક્તિની અટકાયત કરી હતી.

Advertisment

પત્રકાર મનીષ શાહ 1 જૂનના રોજ મોટરસાયકલ પર તેમની ઓફિસે જઈ રહ્યા હતા, ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેમને અટકાવ્યા હતા અને તેમના પગમાં છરી વડે હુમલો કર્યો હતો. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પીડિતએ રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જોકે પત્રકારનું 4 જૂને મૃત્યુ થયું હતું.

IPC કલમ 324 (સ્વૈચ્છિક રીતે ઇજા પહોંચાડવી), 506 (2) (ગુનાહિત ધાકધમકી) અને 114 (ઉશ્કેરણી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી, જેણે હવે IPC કલમ 302 હેઠળ કેસ નોંધ્યો છે. અને 120B (ગુનાહિત કાવતરું) હેઠળ વધુ આરોપો ઉમેરશે.

Advertisment

પત્રકાર શાહને પાડોશી મહિમાલ સિંહ સાથે ઘર્ષણ થતુ

પોલીસના જણાવ્યા અનુસાર, શાહને તેના પાડોશી મહિપાલ સિંહ ચંપાવત (27) સહિત અનેક લોકો સાથે અવારનવાર ઘર્ષણ થયું હતું.

મહિપાલ સિંહે કબૂલાત કરી હતી કે, તેનો મોટો ભાઈ યુવરાજ સિંહ શાહની પત્ની સાથે સંબંધમાં હતો. શાહે કથિત રીતે તેની પત્નીને 2021 માં યુવરાજ સિંહ વિરુદ્ધ બળાત્કારની FIR દાખલ કરવા દબાણ કર્યું, જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ વટવા વિસ્તારમાં પ્રવેશ નહીં કરવાની શરતે તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. શાહે મહિપાલ સિંહ સહિત ચંપાવતના પરિવારના સભ્યો સાથે ઝઘડો કરવાનું ચાલુ રાખ્યું હતું, જેમની સામે તેણે એફઆઈઆર પણ નોંધાવી હતી.

પત્રકાર શાહ પર હુમલા માટે ગુંડાઓને સોપારી આપી

ત્યારબાદ, મહિપાલ સિંહે કથિત રીતે શાહને ધમકાવવા અને તેની પર હુમલો કરવા માટે ગુંડાઓ ભાડે રાખવાની યોજના બનાવી હતી. ત્યારબાદ મહિપાલસિંહે શક્તિસિંહ ચૌહાણનો સંપર્ક કર્યો હતો, જેની હાલ અટકાયત કરવામાં આવી છે. તેણે મહિપાલસિંહને આકાશ ઉર્ફે અક્કુ વાઘેલા (22) સાથે મેળાપ કરાવ્યો, જેને કથિત હુમલો કરવા માટે રૂ. 2 લાખ ચૂકવાયા હતા. આકાશે હુમલા માટે કથિત રીતે અનિકેત ઓડે (20) અને વિકાસ ઉર્ફે વિકુ ઓડે (23) ને નોકરી પર રાખ્યા હતા અને બંનેને 1.20 લાખ રૂપિયા - અનિકેતને 70,000 રૂપિયા અને વિકાસને 50,000 રૂપિયા ચૂકવ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, શક્તિસિંહે રૂ. 30,000 અને આકાશે રૂ. 50,000ની લૂંટ કરી હતી. મહિપાલસિંહ, આકાશ, અનિકેત અને વિકાસની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે શક્તિસિંહની અટકાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચો -

ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું કે, ચારેયને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. શાહની પત્ની કથિત એટેક-કિલીંગ કોન્ટ્રાક્ટમાં સામેલ હોવાનો પોલીસે ઇનકાર કર્યો છે.

ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ ગુજરાત પોલીસ અમદાવાદ ગુજરાત