ગુજરાત : અમદાવાદમાં પતિની હત્યાના આરોપમાં પત્ની, પ્રેમી અને મિત્રની અટકાયત

Ahmedabad nikol murder case : કઠવાડા (Kathvada) ખેતરમાંથી લાશ મળવાના મામલે ખુલાસો, પત્નીએ પ્રેમી અને મિત્ર સાથા મળી પતિની હત્યા કરી. પત્નીનું ચાલતુ હતુ અફેર (Love Affair). નિકોલ પોલીસે (Nikol Police) કરી ધરપકડ.

Ahmedabad nikol murder case : કઠવાડા (Kathvada) ખેતરમાંથી લાશ મળવાના મામલે ખુલાસો, પત્નીએ પ્રેમી અને મિત્ર સાથા મળી પતિની હત્યા કરી. પત્નીનું ચાલતુ હતુ અફેર (Love Affair). નિકોલ પોલીસે (Nikol Police) કરી ધરપકડ.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

નિકોલ હત્યા કેસ

Gujarat Crime : ગુજરાતના અમદાવાદ શહેરમાં નિકોલ નજીક કાઠવાડા વિસ્તારના એક ખેતરમાં પતિની લાશ કૂવામાંથી મળી આવ્યા બાદ પોલીસે આ હત્યાના સંબંધમાં એક મહિલા, તેના પ્રેમી અને તેના મિત્રની અટકાયત કરી છે.

Advertisment

નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, 10 દિવસ પહેલા જ્યારે તે રાજસ્થાનના પ્રવાસે હતો ત્યારે મહેશ ઉર્ફે મયુર લક્કડે (28) તેના પિતાને કહ્યું હતું કે, તેની પત્ની મિરલ લક્કડનું (25) અનસ મન્સુરી સાથે અફેર ચાલી રહ્યું છે. ઉર્ફે લાલો બાઉભાઈ (21) તેની પત્ની, તેનો પ્રેમી અને તેમની પરસ્પર મિત્ર ખુશીએ કથિત રીતે મયુરને ધમકી આપી હતી કે, જો તેણે અફેર વિશે કોઈને કહ્યું તો તેને જાનથી મારી નાખવામાં આવશે.

મયુર 5 જાન્યુઆરીએ તેના બે પુત્રો સાથે અમરેલીમાં તેના પિતાના ગામ વિરડી પહોંચવાનો હતો. જો કે, મયુર આવ્યો ન હતો અને તેનો ફોન સંપર્કમાં ન આવતા તેના પિતાએ મીરલને ફોન કર્યો હતો. પરંતુ કોલ ખુશીએ ઉપાડ્યો, તેણીએ કહ્યું કે મયુરને મન્સૂરીએ ફોન કર્યો હતો અને બાળકો મીરલ સાથે હતા.

જો કે, મયુરના પિતાએ તેમના ત્રણ સંબંધીઓને તેમના પુત્રના સાસરે મોકલે છે, જ્યાં તેઓએ મીરલ, તેના પિતા અને મન્સૂરીને જોયા. તેઓએ આવેલા સંબંધીઓને જણાવ્યું કે, મયુર રાત્રે જ અહીંથી ક્યાંક જતો રહ્યો હતો અને તેઓ પણ તેને શોધી રહ્યા છે. મયુરના પિતા 6 જાન્યુઆરીએ કૃષ્ણનગરમાં તેમના ઘરે ગયા અને તેમણે પુત્રના બાળકોને રડતા જોયા.

Advertisment

જો કે, તેના પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા પછી, પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય આરોપીઓએ હત્યાની કબૂલાત કરી છે.

મયુરનો મૃતદેહ મળ્યા બાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. મન્સુરીએ કથિત રીતે મયૂરની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી, તેના ગળા પર અનેક વખત વાર કરી તેની લાશ કાઠવાડા વિસ્તારમાં એક ખેતરના કૂવામાં ફેંકી દીધી હતી.

ત્રણેય વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા), 201 (હત્યાના સાક્ષીને ગાયબ કરવા, અપરાધી દ્વારા ખોટી માહિતી આપવી), 120B (ગુનાહિત કાવતરું), 506(2) (ગુનાહિત ધાકધમકી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

તપાસ અધિકારી કે ડી જાટે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, મયુર તેના પિતાના ગામ જવા નીકળ્યો હતો ત્યારે મંસૂરી મયૂરને મિરલ સાથેના અફેરની વાત કરવાના બહાને લઈ ગયો હતો.

ખુશી અને મન્સૂરી છેલ્લા ચાર વર્ષથી મિત્રો છે અને મિરલ અને ખુશી છેલ્લા એક વર્ષથી. જટ્ટના કહેવા પ્રમાણે, ખુશીના માધ્યમથી જ મન્સૂરી અને મિરલની મિત્રતા થઈ હતી અને તેઓ બે મહિના પહેલા મળ્યા હતા. તેમણે કહ્યું, 'ત્રણેય ઈન્સ્ટાગ્રામ દ્વારા એકબીજાને ઓળખતા હતા.'

”જાટે કહ્યું, “અમે તેમની અટકાયત કરી છે. ત્રણેયની આજે (સોમવારે) સાંજે કોવિડ -19 માટે પરીક્ષણ કર્યા પછી ધરપકડ કરવામાં આવશે.

ક્રાઇમ ન્યૂઝ ગુજરાત પોલીસ અમદાવાદ ગુજરાત