Ahmedabad Plane Crash: કેન્સરમાં માતાના મોત બાદ પ્લેન કેશમાં પિતા પણ ગુમાવ્યા, 18 દિવસમાં 2 પુત્રીઓ થઇ અનાથ

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનાની દુઃખદ કહાણી સાંભળી કોઇ પણ વ્યક્તિની આંખમાં આસું આવી જશે. લંડનમાં પત્નીના મોત બાદ તેના અસ્થિ વિસર્જન કરવા આવેલા અમરેલીના અર્જૂન પટોલિયાનું મોત થયું છે.

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનાની દુઃખદ કહાણી સાંભળી કોઇ પણ વ્યક્તિની આંખમાં આસું આવી જશે. લંડનમાં પત્નીના મોત બાદ તેના અસ્થિ વિસર્જન કરવા આવેલા અમરેલીના અર્જૂન પટોલિયાનું મોત થયું છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
arjun patoliya with wife | Ahmedabad Plane Crash Death | arjun patoliya

Arjun Patoliya Death In Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનાર મૂળ અમરેલીના અર્જૂન પટોળિયા તેમની પત્ની સાથે છે. (Express Photo)

Ahmedabad Plane Crash: ગુજરાતના અમદાવાદથી લંડન જઇ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ 171 ગુરુવાર 12 જૂન, 2025ના રોજ બપોરે ઉડાન ભર્યા બાદ તરત જ ક્રેશ થઇ ગઇ હતી. આ અકસ્માતમાં 250થી વધુ લોકોના જીવ ગયા હતા. કંચન પટોલિયા અમદાવાદથી સુરત જઈ રહી હતી, જ્યાં તે પોતાના શોકગ્રસ્ત પુત્ર અર્જુન પટોલિયાને વિદાય આપવા ગઈ હતી. બ્રિટિશ નાગરિક અર્જુન પટોળિયા કેન્સરથી મૃત્યુ પામેલી પત્નીના અસ્થિઓનું વિસર્જન કરવા માટે પોતાના વતન ગુજરાત અમરેલી આવ્યો હતો. ત્યારે જ તેના ભત્રીજાએ તેને ફોન કરીને વડોદરામાં ઉતરીને તેની રાહ જોવાનું કહ્યું હતું.

Advertisment

થોડી વાર પહેલા એરપોર્ટ પાસે એર ઇન્ડિયા અમદાવાદ લંડનની ફ્લાઇટ ક્રેશ થવાની ઘટનાની જાણ પરિવારજનોને થઇ હતી. થોડા જ કલાકોમાં કંચન અમદાવાદ પાછી આવી ગઇ. આ વખતે તે પોતાના પુત્રની લાશની ઓળખ માટે ડીએનએ સેમ્પલ આપવા સિવિલ હોસ્પિટલમાં આવી હતી. અર્જુન પટોળિયા તેની બે પુત્રીઓ રિયા અને કિયા સાથે રહેવા માટે 12 જૂને લંડન પાછો જઇ રહ્યો હતો. દુ:ખી દાદીએ કહ્યું કે બંને પુત્રીઓએ ૧૮ દિવસના ગાળામાં તેમના માતાપિતાને ગુમાવ્યા છે.

વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળી કંચન પટોળિયા ચોંકી ગયા

કંચાન પટોળિયાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, " અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મારા મોટા પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને હું ચોંકી ગઇ હતી. તેની પત્ની ભારતીનું 26 મેના રોજ કેન્સરને કારણે અવસાન થયું હતું. હવે તેની બંને દીકરીઓ અનાથ છે. અર્જુન પટોળિયા પોતાની બે દીકરીઓને તેના નાના ભાઈ ગોપાલના ઘરે મૂકીને તેની પત્નીની અસ્થિ લઈ ગુજરાત આવ્યો હતો, તેની ઇચ્છા નર્મદા નદીમાં વિસર્જિત કરવાની હતી.’

Ahmedabad Plane Crash | Ahmedabad Plane Crash Death | Ahmedabad Plane Crash News | Air India Plane Crash In Ahmedabad
Ahmedabad Plane Crash Death: અમદાવાદ વિમાન ક્રેશ દૂર્ઘટનામાં અમરેલીના વતની અર્જૂન પટોળિયાનું કરુણ મોત થયું છે. બાજુમાં તેમની પત્ની ભારતી પટોળિયા ફોટો છે.
Advertisment

હું કે મારો નાનો દીકરો દીકરીઓનું ધ્યાન રાખીશ

શોકગ્રસ્ત 62 વર્ષના કંચન બંને indianexpress.com કહ્યું, "હું કે મારો નાનો દીકરો હવે અર્જુનની દીકરીઓનું ધ્યાન રાખીશ. અર્જુનના નાના ભાઈ ગોપાલનાં લગ્નને આઠ વર્ષ થયાં છે અને તે લંડનમાં સ્થાયી થયો છે. આ દંપતીને કોઈ સંતાન નથી. "મેં 12 જૂને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મારા પુત્રના મૃતદેહની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ માટે મારા બ્લડ સેમ્પલ આપ્યા હતા. ગોપાલ પટોળિયા શુક્રવારે સાંજે અમદાવાદ આવી પહોંચ્યો હતો. એકવાર અમે બધી વિધિ પૂરી કરી લઈએ પછી, અમે બેસીને બંને છોકરીઓનું ભવિષ્ય નક્કી કરીશું. જો જરૂર પડશે તો હું મારા નાના દીકરાના ઘરે રહેવા અને મારી પૌત્રીઓની સંભાળ રાખવા લંડન જઈશ. અર્જૂન પટોલિયાની એક પુત્રીની ઉંમર 8 વર્ષ અને બીજી પુત્રીની 4 વર્ષ છે.’

રમેશ પટોળિયા કાપડની દુકાન ચલાવતા હતા

પટોળિયા પરિવાર અમરેલી જિલ્લાના વડીયા ગામનો રહેવાસી છે. તેઓ ઘણા સમય પહેલા સુરત વસ્યા હતા. કંચન બેનના પતિ રમેશ પટોળિયા કપડાની દુકાન ચલાવતા હતા અને અર્જુન કતારગામની ગુરુકુળ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. કતારગામ અને વાડિયામાં આ પરિવારનું પોતાનું ઘર છે. રમેશ પટોળિયાના મોત બાદ કંચન પરિવારની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે દુકાન ચલાવતો હતો. અર્જુન 17 વર્ષથી લંડનમાં રહેતો હતો અને તેની પાસે બ્રિટિશ નાગરિકતા હતી, તે ત્યાં ફર્નિચરની દુકાન ચલાવતો હતો. તેમણે ગુજરાતના કચ્છના વતની ભારતી સાથે લગ્ન કર્યા હતા.

સૂત્રોએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે ગોપાલે 2017માં સુરતમાં એક પાટીદાર યુવતી સાથે લગ્ન કર્યા હતા અને 2023માં બંને લંડન ગયા હતા. કંચન ક્યારેક સુરતમાં તો ક્યારેક વાડિયા ગામમાં પોતાના ઘરે રહેતી હતી. ગોપાલ અને અર્જુન લંડનમાં એક જ મકાનમાં સાથે રહેતા હતા અને એક જ ફર્નિચરનો ધંધો ચલાવતા હતા.

indianexpress.comr સાથે વાત કરતા કંચન બેનના સંબંધીએ જણાવ્યું હતું કે, "અમને સોશિયલ મીડિયા દ્વારા વિમાન ક્રેશ થવાની જાણ થઈ હતી. મારા માસીના ભત્રીજા નિલકેશે તેને ફોન કરીને વડોદરા ઉતરવાનું કહ્યું હતું કારણ કે તેને ખબર હતી કે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે અને અર્જુનની માતાના સેમ્પલની જરૂર પડશે. નિલકેશ વડોદરા પહોંચી મારા કાકી કંચનબેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેમણે બ્લડ સેમ્પલ આપ્યા હતા અને ત્યાર બાદ વાડિયા ગામે પરત ફર્યા હતા. ’

આ પણ વાંચો | અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો વાયરલ વીડિયો એક કિશોરે શૂટ કર્યો હતો, દુર્ઘટનાથી તે ખૂબ જ આઘાત પામ્યો

સંબંધીએ જણાવ્યું કે, "ડીએનએ ટેસ્ટથી અર્જુનના મોતની પુષ્ટિ થઈ છે અને અમે તેના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરી દીધી છે." અર્જુન પટોળિયાની બે પુત્રીઓની કસ્ટડી કોને મળશે તે નક્કી કરવા માટે એક પારિવારિક બેઠક યોજાશે. મોટી દીકરી રિયા લંડનની એક સ્કૂલમાં ભણે છે. અમે બધા અર્જુનના મૃતદેહને સોંપવાની રાહ જોઈ રહ્યા છીએ.

અમદાવાદ પ્લેન ક્રેશ પ્લેન ક્રેશ ગુજરાત