Ahmedabad Plane Crash: સગાઇ કરી લંડન જતા યુવક યુવતીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં મોત, લગ્ન કરવાના સપના અધૂરા રહ્યા

Ahmedabad Plane Crash Deaths: અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં સગાઇ કરી લંડન જઇ રહેતા સુરત અને બોટાદના યુવક યુવતીનું મોત થયું છે. બંને સગાઇ કરવા લંડનથી વતન આવ્યા હતા. સુખી લગ્ન જીવનના સપના જોનાર આ કપલ ચાર ફેરા ફરે તેની પહેલા જ મોત મળ્યું.

Written by Ajay Saroya
Updated : June 13, 2025 12:28 IST
Ahmedabad Plane Crash: સગાઇ કરી લંડન જતા યુવક યુવતીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં મોત, લગ્ન કરવાના સપના અધૂરા રહ્યા
Ahmedabad Plane Crash Death : અમદાવાદ પ્લેન ક્રેશમાં સુરતની વિભૂતિ પટેલ અને બોટાદના હાર્દિક અવૈયાનું મોત થયું છે. (Photo: Social Media)

Ahmedabad Plane Crash Deaths: અમદાવાદ પ્લેન ક્રેશમાં 241 લોકોના મોત થયા છે. અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં સવાર મુસાફરોને ક્યાં ખબર હતી કે આ તેમની છેલ્લી ઉડાન છે. આ વિમાન ક્રેશ દૂર્ઘટનામાં સગાઇ કરી લંડન જઇ રહેલા એ એન્ગેજ્ડ કપલનું કરુણ મોત થયું છે. સગાઇ કરી લંડન જનાર એન્ગેજ્ડ કપલ માટે લંડનની ફ્લાઇટ છેલ્લી ઉડાન બની ગઇ છે.

સગાઇ કરવા લંડન થી વતન આવ્યા

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશમાં સુરતના વિભૂતિ પટેલ અને બોટાદના હાર્દિક અવૈયાનું કરુણ મોત થયું છે. તેઓ બંને સગાઇ કરવા માટે લંડનથી વતન આવ્યા હતા. સગાઇ કર્યા બાદ અમદાવાદથી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં લંડન જઇ રહ્યા હતા. જો કે કમનસીબે સુખી લગ્ન જીવનના સપના જોનાર આ કપલ ચાર ફેરા ફરે તેની પહેલા જ મોત મળ્યું. અમદાવાદ પ્લેન ક્રેશમાં મોતના સમાચાર બાદ વિભૂતિ પટેલ અન હાર્દિક અવૈયાના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

Ahmedabad Plane Crash Video, Ahmedabad Plane Crash, અમદાવાદ પ્લેન ક્રેશ
અમદાવાદમાં એર ઇન્ડિયાનું એક વિમાન ટેકઓફ પછી ક્રેશ થયું (તસવીર – સોશિયલ મીડિયા)

પત્નીની અંતિમ ઇચ્છા પુરી કરવા આવેલા અમરેલીના પતિની અંતિમ યાત્રા

અમદાવાદ પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનો આઘાતમાં છે. આ વિમાન દૂર્ઘટનાના ભોગ બનેલા લોકોની કરુણ કહાણી સાંભળી દરેક વ્યક્તિની આંખમાં આસું આવી જશે. લંડનમાં મૃત્યુ પામેલી પત્નીની અંતિમ ઇચ્છી પુરી કરવા અમરેલી આવેલા અર્જૂન પટોળિયાનું અમદાવાદ વિમાન ક્રેશમાં મોત થયું છે. માતા બાદ પિતાના મોતથી તેમની બે નાની દિકરીઓ પણ અનાથ થઇ છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો…

નિવૃત્તિ પહેલા જ પાઈલટની અંતિમ ઉડાન

અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં 242 પેસેન્જર લોકોના મોત થયા છે, જેમા 2 પાયલોટ અને 10 ક્રૂ મેમ્બર્સ સામેલ છે. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 60 વર્ષીય કેપ્ટન સુમિત સભરવાલ સૌથી વરિષ્ઠ ક્રૂ સભ્ય હતા. તેમની નિવૃત્તિના થોડાક મહિના બાકી હતા ત્યારે અમદાવાદથી લંડન જતું વિમાન ક્રેશ થતા મોત થયું છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ