Ahmedabad plane Crashed Report: એર ઇન્ડિયાનું વિમાન કેમ ક્રેશ થયું? રિપોર્ટના મહત્વપૂર્ણ મુદ્દાઓ, અત્યાર સુધીનો ઘટનાક્રમ

Ahmedabad plane crash AAIB investigation report : અમદાવાદમાં વિમાન દુર્ઘટના AAIB ના તપાસ અહેવાલમાં ખુલાસો તપાસ અહેવાલમાં ખુલાસો થયો છે કે AI-171 ના બંને એન્જિનને ઇંધણ પૂરું પાડતા સ્વીચો બંધ કરવામાં આવી હતી.

Written by Ankit Patel
Updated : July 12, 2025 14:12 IST
Ahmedabad plane Crashed Report: એર ઇન્ડિયાનું વિમાન કેમ ક્રેશ થયું? રિપોર્ટના મહત્વપૂર્ણ મુદ્દાઓ, અત્યાર સુધીનો ઘટનાક્રમ
અમદાવાદમાં વિમાન દુર્ઘટના AAIB ના તપાસના મહત્વના મુદ્દાઓ - Express photo

Air India Flight Crashed Report: અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન ક્રેશ અંગે જાહેર કરાયેલા પ્રારંભિક તપાસ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે AI-171 ના બંને એન્જિનને ઇંધણ પૂરું પાડતા સ્વીચો બંધ કરવામાં આવી હતી અને આ પછી પાઇલટ્સમાં મૂંઝવણ હતી, જેના પછી થોડીક સેકન્ડ પછી અમદાવાદમાં વિમાન ક્રેશ થયું.

પ્લેન ક્રેશના પ્રારંભિક તપાસ અહેવાલમાં જણાવાયું છે કે જ્યારે એક પાઇલટે બીજાને પૂછ્યું કે તેણે ઇંધણ કેમ બંધ કર્યું, તો જવાબ મળ્યો કે તેણે આવું કર્યું નથી. શનિવારે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા જાહેર કરાયેલા પ્રારંભિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં વિમાનના સંચાલકો માટે કોઈ કાર્યવાહીની ભલામણ કરવામાં આવી નથી. રિપોર્ટ અનુસાર, જ્યારે વિમાને ઉડાન ભરી ત્યારે કો-પાઇલટ વિમાન ઉડાડી રહ્યો હતો અને કેપ્ટન દેખરેખ રાખી રહ્યો હતો.

રિપોર્ટમાં કોકપીટ વોઇસ રેકોર્ડિંગને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “એક પાઇલટે બીજાને પૂછ્યું કે તેણે ઇંધણ સ્વીચ કેમ બંધ કર્યું, તેણે જવાબ આપ્યો કે તેણે આવું કર્યું નથી.” વિમાને બપોરે 1:38:39 વાગ્યે ઉડાન ભરી અને બપોરે 1:39:05 વાગ્યે, એક પાયલોટે ‘મે ડે – મે ડે – મે ડે’ સંદેશ આપ્યો.

એર ઇન્ડિયા-171 વિમાન દુર્ઘટનાનો મુખ્ય ઘટનાક્રમ

12 જૂનના રોજ, એર ઇન્ડિયાનું લગભગ 12 વર્ષ જૂનું બોઇંગ 787-8 વિમાન VT-ANB 12 જૂનના રોજ ટેકઓફ થયાના થોડા સમય પછી અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજના રહેણાંક સંકુલમાં ક્રેશ થયું.

અકસ્માતમાં બચી ગયેલા એક મુસાફર, વિશ્વાસ કુમાર રમેશ (45) સીટ ’11A’ પર બેઠા હતા. આ સીટ ઇમરજન્સી એક્ઝિટ પાસે બારીવાળી સીટ હતી. તે બ્રિટિશ નાગરિક છે.

એર ઇન્ડિયાની પેરેન્ટ કંપની ટાટા સન્સે પીડિત પરિવારોને દરેકને 1કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, એર ઇન્ડિયા ૨૫ લાખ રૂપિયાનું વચગાળાનું વળતર પણ આપી રહી છે.

13 જૂન – AAIB એ 13 જૂને તપાસ શરૂ કરી અને એક બહુ-વિભાગીય ટીમની રચના કરી.

કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR) અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) મળી આવ્યા હતા. એક 13 જૂને ક્રેશ સાઇટ પરથી અને બીજો 16 જૂને કાટમાળમાંથી મળી આવ્યો હતો.

દુર્ઘટનાના એક દિવસ પછી, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ એર ઇન્ડિયાના બોઇંગ 787 ડ્રીમલાઇનર કાફલાની સલામતી તપાસ વધારવાનો આદેશ આપ્યો હતો. એર ઇન્ડિયાએ તેના બોઇંગ 777 વિમાન કાફલાની સઘન તપાસ કરવાનો પણ નિર્ણય લીધો હતો.

એર ઇન્ડિયાની પેરેન્ટ કંપની ટાટા સન્સે પીડિત પરિવારોને દરેકને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, એર ઇન્ડિયા 25 લાખ રૂપિયાનું વચગાળાનું વળતર પણ ચૂકવી રહી છે.

બ્લેક બોક્સ 24 જૂને એરફોર્સના વિમાન દ્વારા અમદાવાદથી દિલ્હી લાવવામાં આવ્યું હતું.

24 જૂનના રોજ આગળનો બ્લેક બોક્સ AAIB લેબ, દિલ્હી પહોંચ્યો.

પાછલો બ્લેક બોક્સ બીજી AAIB ટીમ દ્વારા લાવવામાં આવ્યો હતો અને 24 જૂનના રોજ સાંજે 5.15 વાગ્યે AAIB લેબ, દિલ્હી પહોંચ્યો.

બ્લેક બોક્સમાંથી ડેટા કાઢવાની પ્રક્રિયા 24 જૂનના રોજ શરૂ થઈ.

આ પણ વાંચોઃ- Ahmedabad plane crash : અમદાવાદમાં વિમાન દુર્ઘટના કેમ થઈ? AAIB ના તપાસ અહેવાલમાં થયો ખુલાસો

25 જૂનના રોજ, ‘ક્રેશ પ્રોટેક્શન મોડ્યુલ’ (CPM) ને આગળના બ્લેક બોક્સમાંથી સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યું. ‘મેમરી મોડ્યુલ’ સફળતાપૂર્વક એક્સેસ કરવામાં આવ્યું અને તેમાં રહેલો ડેટા ડાઉનલોડ કરવામાં આવ્યો.

યુએન બોડી ‘ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન’ (ICAO) ના નિષ્ણાતને તપાસમાં નિરીક્ષકનો દરજ્જો આપવામાં આવ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ