Rath Yatra 2025: અમદાવાદ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ

Jagannath rath yatra 2025 Ahmedabad: રથયાત્રા 2025 અમદાવાદ અને પુરી લેટેસ્ટ અપડેટ્સ અને લાઇવ કવરેજ અહીં જાણો. અમદાવાદમાં જગન્નાથજીની 148મી રથયાત્રા નગરમાં નીકળતાં સમગ્ર નગર જય રણછોડ નાદથી ગૂંજી રહ્યું છે. ઓડિશા પુરી નગરીમાં જય જગન્નાથ નાદનો જયઘોષ થઇ રહ્યો છે.

Written by Ankit Patel
Updated : June 27, 2025 21:44 IST
Rath Yatra 2025: અમદાવાદ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ
અમદાવાદ રથયાત્રા 2025 તાજા અપડેટ્સ - photo- X @infoahdgog

Ahmedabad Rath Yatra 2025 updates : અમદાવાદ અને પુરી ખાતે આજે ભગવાન જગન્નાથ રથયાત્રા નીકળી છે. જય રણછોડ માખણ ચોર અને જય જગન્નાથ નાદથી અમદાવાદ અને પુરી ગૂંજી રહ્યા છે. આજે વહેલી સવારે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી, પહિંદ વિધિ બાદ ભગવાન જગન્નાથના જયઘોષ સાથે રથયાત્રાનો પ્રારંભ કરાયો. હજારોની સંખ્યામાં ભક્તો, શ્રધ્ધાળુઓ રથયાત્રામાં જોડાયા છે. રથયાત્રા જેમ જેમ નગરમાં આગળ વધી રહી છે તેમ તેમ નગરનું વાતાવરણ જય રણછોડ નાદથી અભિભૂત થઇ રહ્યું છે. અહીં નોંધનિય છે કે, અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની આ 148મી રથયાત્રા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરી હતી.

જમાલપુર જગન્નાથ મંદિરમાં મંગળા આરતી અને પહિંદ વિધિ બાદ ભગવાન જગન્નાથ નંદીઘોષ રથ પર, ભાઈ બલરામ તાલધ્વજ રથ પર અને બહેન સુભદ્રાજીને દેવદલન રથ પર બિરાજમાન કરાયા અને ભારે ઉત્સાહભેર માહોલમાં રથયાત્રાનો શુભારંભ કરાયો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. જોકે, દર વર્ષે રથયાત્રા 7.10 વાગ્યે નીકળથી હોય છે. પરંતુ આ વર્ષે 6.56 વાગ્યે ભગવાનનો પ્રથમ રથ મંદિરની બહાર લાવવામાં આવ્યો હતો. વરસાદના અમી છાંટણા સાથે જ રથયાત્રા શરૂ થઈ ગઈ છે.

પહિંદ વિધિ બાદ ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પારંપરાગત રીતે પહિંદ વિધિ કરી હતી. ત્યારબાદ ગુજરાત પોલીસ દ્વારા ભગવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું અને રથયાત્રાને પ્રસ્થાન કરી હતી.

Live Updates

અમદાવાદ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. ભગવાન જગન્નાથ, ભાઇ બલભદ્ર અને બહેન શુભદ્રાના ત્રણેય રથ જમાલપુર ખાતે નિજ મંદિર ખાતે પહોંચી ગયા છે. હાલમાં મંદિરમાં અને મંદિરની બહાર ભક્તોની ભારે ભીડ છે.

જગન્નાથ મંદિર બહાર ભક્તોની ભારે ભીડ

રથયાત્રામાં સામેલ ટ્રક અને અખાડા જગન્નાથ મંદિર ખાતે પહોંચી ગયા છે. ત્યાં જ હાલમાં જગન્નાથ મંદિરની બહાર મોટી સંખ્યામાં ભક્તો હાજર છે.

ત્રણેય રથ શાહપુર દરવાજા પહોંચ્યા

ભગવાન જગન્નાથની રથયાત્રા પર મેઘરાજાએ અમીછાંટણા કર્યા છે. ત્યાં જ હવે ત્રણેય રથ નિજ મંદિર તરફ જતા શાહપુર દરવાજા પહોંચ્યા છે.

CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી રથયાત્રાનું રિયલ ટાઈમ મોનિટરિંગ નિહાળ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 148મી જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનિટરીંગ મુખ્યમંત્રી નિવાસસ્થાનના સી.એમ. ડેશ બોર્ડની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું.

Rath yatra 2025 live : સંવેદનશીલ દરિયાપુરમાં હર્ષ સંઘવી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પહોંચ્યા

ભગવાનજ જગન્નાથજી હવે સરસપુરથી નીકળીને નીજ મંદિર તરફ આગળ વધી રહ્યા છે ત્યારે સંવેદનશીલ એવા વિસ્તાર દરિયાપુરમાં આવેલી તંબુચોકી પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ વડા વિકાસ સહાય સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા છે.

Rath yatra 2025 live : ત્રણે રથ સરસપુરથી રવાના થઈને નીજ મંદિર તરફ આગળ વધી રહ્યા છે

અમદાવાદમાં ભગવાન જગન્નાથજી સહિત ત્રણેય રથ સરસપુરથી નીકળીને નીજ મંદિર તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જામી છે. ભક્તોમાં ભગવાનની રથયાત્રા માટે અનેરો ઉત્સાહ જોવા મળે છે.

Rath yatra 2025 live : ભોજન પ્રસાદ માટે આયોજકે શું કહ્યું?

Rath yatra 2025 live : અમદાવાદ રથયાત્રામાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું, ડ્રોનનો નજારો

Rath yatra 2025 live : વડોદારમાં રથયાત્રાના બંદોબસ્ત દરમિયાન પોલીસ કર્મચારીનું મોત

વડોદારમાં રથયાત્રામાં એક કરુણ ઘટના બની છે. વડોદારમાં રથયાત્રાના બંદોબસ્તમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું મોત નીપજ્યું હતું. મૃતક પોલીસ કર્મચારીને ગભરામણ અને ઉલટીઓ થતાં સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. મૃતક પ્રતાપનગર હેડ ક્વાર્ટરમાં રહેતા હતા અને હરણી પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા.

Rath yatra 2025 live : ભગવાનના રથ સુધી મામેરું પહોંચ્યા સાથે મહંત દિલિપદાસજી પણ સરસપુર પહોંચ્યા

ભગવાન જગન્નાથ સહિતના ત્રણે રથ મોસાળમાં પહોંચી ગયા છે ત્યારે મામેરું ભગવાનના રથ સુધી પહોંચ્યું છે બીજી તરફ મહંત દિલિપદાસજી પણ સરસપુર પહોંચી ચુક્યા છે.

July 2025 Gujarati Horoscope: જુલાઈમાં 9 રાશિના લોકોના શરુ થશે સારા દિવસો, ધનલાભના યોગ, વાંચો માસિક રાશિફળ

Gujarati Horoscope July 2025: જુલાઈ 2025નો મહિનો મેષ રાશિથી લઈને મીન સુધી 12 રાશિના લોકો માટે કેવો રહેશે. વાંચો જુલાઈ મહિનાનું રાશિ ભવિષ્ય. …બધું જ વાંચો

Rath yatra 2025 live : અમદાવાદ ખાતે આયોજિત ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાનો આકાશી નજારો

Rath yatra 2025 live : ત્રણેય રથ સરસપુર પહોંચ્યા

અત્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ચાલી રહી છે. ભગવાન હવે સરસપુર પોતાના મોસાળમાં પહોંચી ગયા છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના રથ સરસપુર પહોંચી ગયા છે.

Rath yatra 2025 live : ભાઈ બલરામના રથમાં ખામી સર્જતા નવું પૈડુ લગાવાયું

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન ભાઈ બલરામના રથમાં ખામી સર્જાઈ હતી. જેના પગલે સ્ક્રૂ બદલ રથમાં નવું પૈડું લગાવ્યું હતું. રથમાં ખામી સર્જાતા બલરામનો રથ પાછળ રહી ગયો હતો.

Rath yatra 2025 live : બહેન સુભદ્રાજી સાથે ભગવાન જગન્નાથના રથ સરસપુર ચાર રસ્તા પાસે પહોંચ્યા

અત્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ચાલી રહી છે. ભગવાન હવે સરસપુર પોતાના મોસાળમાં પહોંચશે. ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રાજીના રથ સરસપુર ચાર રસ્તા પાસે પહોંચ્યા છે.

Rath yatra 2025 live : બ્રિટિશ સંસદમાં સાંસદે જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા પાઠવી

આજે અષાઢી બીજના દિવસે ગુજરાત સહિત દેશમાં અનેક જગ્યાએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે ત્યારે ઈતિહાસમાં પ્રથમવાર બ્રિટિશ સંસદમાં કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્ય અને હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેને હેરો ઈસ્ટ અને વિશ્વમાં નીકળેલી રથયાત્રાને લઈને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમે સૌને જય સ્વામિનારાયણ, જયશ્રી કૃષ્ણ અને જય જગન્નાથ પણ કહ્યું હતું.

Rath yatra 2025 live : રથયાત્રા વચ્ચે વૃદ્ધને આવ્યો હાર્ટ એટેક

અમદાવાદ રથયાત્રાને નિહાળવામાં પહોંચેલા વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હતો. જોકે, ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓ સીપીઆર આપીને વૃદ્ધનો જીવ બચાવ્યો હતો.

Rath yatra 2025 live : અમદાવાદમાં ધીમી ધારે વરસાદ પડવાનું શરુ થયું છે

અમદાવાદમાં એક તરફ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા ચાલી રહી છે તો બીજી તરફ મેઘો પણ હરખની હેલી કરી રહ્યો છે. અમદાવાદના રથયાત્રા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડવાનું શરૂ થયું છે. ત્યારે વરસતા વરસાદ વચ્ચે ભક્તોનો અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.

Rath yatra 2025 live : પુરીમાં જગન્નાથ રથયાત્રામાં ભક્તોની ભારે ભીડ ઉમટી

ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થઈ રહી છે. આ ભવ્ય યાત્રા પુરીના જગન્નાથ મંદિરથી શરૂ થઈને ગુંડીચા મંદિર સુધી જાય છે. જગન્નાથ રથયાત્રામાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. 12 દિવસની આ રથયાત્રાને લઈને ભક્તોમાં ઉત્સાહ છે.

Rath yatra 2025 live : પીએમ મોદીએ પણ શુભેચ્છાઓ પાઠવી

પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે ભગવાન જગન્નાથની રથયાત્રાના શુભ અવસર પર, બધા દેશવાસીઓને મારી શુભકામનાઓ. શ્રદ્ધા અને ભક્તિનો આ પવિત્ર તહેવાર દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સારું સ્વાસ્થ્ય લાવે, એ જ મારી કામના છે. જય જગન્નાથ!

Ahmedabad rath yatra 2025 : અમદાવાદ રથયાત્રામાં ગજરાજો બેકાબૂ, લોકોના જીવ તાળવે ચોંટ્યા, જુઓ live video

Ahmedabad rath yatra 2025 elephant out of control : અમદાવાદમાં ભવગાન જગન્નાથની રથયાત્રા મોટી દુરુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. રથયાત્રા દરમિયાન ગજરાજો બેકાબૂ બનતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. રથયાત્રામાં બેકાબૂ ગજરાજોના વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. …વધુ માહિતી

Today News Live : 17 ગજરાજ પૈકી ત્રણ હાથીને અલગ કરાયા

આજની ભગવાન જગન્નાથની રથયાત્રામાં 17 ગજરાજોએ ભાગ લીધો હતો. જોકે, ખાડિયામાં હાથીયો બેકાબૂ બનવાની ઘટના બાદ બેકાબૂ બનેલા ત્રણ હાથીઓેને કાફલાવામાંથી અલગ કર્યા હતા. જોકે ત્યારબાદ શાંતિપૂર્ણ રીતે રથયાત્રા આગળ વધી રહી છે.

Today News Live : ખાડિયામાં હાથી બેકાબૂ થતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા

ભગવાન જગન્નાથની રથયાત્રા ચાલી રહી છે, ગજરાજો, ટેબ્લાઓ, ભજન મંડળીઓ સહિત કાફલો જોડાયો છે. જોકે, ગજરાજો ખાડિયા પહોંચતા બેકાબૂ બન્યા હતા. જેના પગલે લોકોમાં નાસભાગ મચી હતી. ત્રણ ગજરાજ બેકાબૂ થતાં તરત જ સ્ટાફ દોડતો થયો હતો. થોડી વાર ધમચકડી મચી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે હાથીને ઈન્જેક્શન આપીને કાબુમાં લેવામાં આવ્યા હતા. સ્વયંસેવકોને વિષલ ન વગાડવા માટે સૂચના આપવામાં આવી હતી.

Rath yatra 2025 live : અમદાવાદ રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું

અમદાવાદમાં આજે 148મી રથયાત્રા યોજાઇ છે. અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદના જમાલપુર સ્થિત મંદિરેથી હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથ મોટા ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ પ્રસ્થાન થયા છે. રથમાં સવાર ભગવાનના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે.

Rath yatra 2025 live : અષાઢી બીજ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નાગરિકોને શુભકામનાઓ

અષાઢી બીજ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરીકોને શુભેચ્છાઓ આપી હતી. તેમણે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે આજના અષાઢી બીજના અવસરે ઉજવાતા રથયાત્રા પર્વની સૌ નાગરિકોને શુભકામનાઓ..!

ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને આસ્થાની સાથોસાથ સામાજિક સમરસતાનો મહોત્સવ બનાવીએ.

Rath yatra 2025 live :કોંગ્રેસના MLA ઈમરાન ખેડાવાલાએ મહંત દિલીપદાસજી મહારાજનું સ્વાગત કર્યું

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળી છે. ત્યારે જમાલપુર વૈશ્ય સભા ખાતે કોંગ્રેસના MLA ઈમરાન ખેડાવાલાએ મહંત દિલીપદાસજી મહારાજનું સ્વાગત કર્યું હતું.

Today News Live : 1 જુલાઈએ વોશિંગ્ટન ડીસીમાં ક્વાડની મહત્વપૂર્ણ બેઠક યોજાશે

Today Latest Live News Update in Gujarati 27 June 2025: ક્વાડ સમિટ બેઠક 01 જુલાઈના રોજ વોશિંગ્ટન ડીસી, યુએસએમાં યોજાશે. ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિઓ તેમાં ભાગ લેશે. …અહીં વાંચો

Rath yatra 2025 live :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જગન્નાથ યાત્રા પર ટ્વીટ કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કર્યું કે પવિત્ર રથયાત્રા નિમિત્તે, હું દેશ અને વિદેશમાં રહેતા મહાપ્રભુ જગન્નાથના ભક્તોને મારી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. લાખો ભક્તો બડે ઠાકુર બલભદ્ર, મહાપ્રભુ શ્રી જગન્નાથ, દેવી સુભદ્રા અને ચક્રરાજ સુદર્શનને રથ પર બેઠેલા જોઈને દિવ્ય અનુભવ મેળવે છે. આ દિવ્ય સ્વરૂપોનો માનવીય ખેલ રથયાત્રાની વિશેષતા છે. આ શુભ પ્રસંગે, મહાપ્રભુ શ્રી જગન્નાથને મારી પ્રાર્થના છે કે સમગ્ર વિશ્વમાં શાંતિ, મિત્રતા અને સ્નેહનું વાતાવરણ રહે.

Rath yatra 2025 live : 2500 જેટલા સાધુ સંતો રથયાત્રામાં જોડાયા

અમદાવાદમાં આજની 148મી રથયાત્રામાં 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા જોડાયા છે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં જોડાયા છે.

Rath yatra 2025 live : ઓપરેશન સિંદૂર થીમ સાથે અનેક ટ્રકો રથયાત્રામાં જોડાઈ

ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં વિવિધ થીમ પર ટેબ્લો જોડાયા છે. ત્યારે ઓપરેશ સિંદૂર થીમ પર સૌથી વધારે ટ્રકો રથયાત્રામાં જોડાઈ છે. આ ઉપરાંત અંગદાન મહાદાનની થીમ સાથે ટ્રક પણ જોડાઈ છે.

Rath yatra 2025 live : મહાકાલ તો રમકડા, ટેડીબેરની ટ્રકે આકર્ષણ ખેંચ્યું

ભગવાન જગન્નાથજીના કાફલામાં હાથીઓ, ટ્રકો, ટેબ્લાઓ, ભજન મંડળીઓ, અખાડાઓ જોડાયા છે. સાથે સાથે ભક્તો પણ જોડાયા છે. જોકે, રથયાત્રામાં મહાકાલથીમ પર શણગારેલી ટ્રક, અને રમકડા અને ટેડીબેરથી ભરેલી આખી ટ્રકે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

Rath yatra 2025 live : પ્રસાદ લેવા ભક્તોની પડાપડી

રથયાત્રા જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ભગવાનનો મગનો પ્રસાદ લેવા માટે ભક્તોની પડા પડી થઈ રહી છે.

Rath yatra 2025 live : ગાર્ડઓફ ઓનર બાદ રથયાત્રાનું પ્રસ્થાન થયું, રથયાત્રા 10 મિનિટ વહેલા શરું થઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. જોકે, દર વર્ષે રથયાત્રા 7.10 વાગ્યે નીકળથી હોય છે. પરંતુ આ વર્ષે 6.56 વાગ્યે ભગવાનનો પ્રથમ રથ મંદિરની બહાર લાવવામાં આવ્યો હતો. વરસાદના અમી છાંટણા સાથે જ રથયાત્રા શરૂ થઈ ગઈ છે.

Rath yatra 2025 live : પહિંદ વિધિ બાદ ગુજરાત પોલીસ દ્વારા ભગવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પારંપરાગત રીતે પહિંદ વિધિ કરી હતી. ત્યારબાદ ગુજરાત પોલીસ દ્વારા ભગવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું અને રથયાત્રાને પ્રસ્થાન કરી હતી.

Rath yatra 2025 live : પહિંદવિધિ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંદિર પહોંચ્યા, હર્ષ સંઘવી હાજર

જગન્નાથ મંદિરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે ભગવાન નગર ચર્યાએ નકીળવા માટે તૈયાર છે. પહિંદ વિધિ માટે ગુજરાત મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલ મંદિર પહોંચ્યા છે. જોકે, આ અવસર પર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ મંત્રીઓ જગન્નાથ મંદિર પરિસરમાં હાજર છે.

Rath yatra 2025 live : ત્રણેય રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને બિરાજમાન કરાયા

જમાલપુર જગન્નાથ મંદિરમાં રથયાત્રાની વિવિધ વિધિઓ ચાલી રહી છે ત્યારે ભગવાન જગન્નાથ બાદ ભાઈ બલરામને તાલધ્વજ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. તો બહેન સુભદ્રાજીને દેવદલન રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરી દેવાયા છે.

Rath yatra 2025 live : ભગવાનને રથમાં પ્રસ્થાપિત કરાઈ રહ્યા છે

ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યા બાદ હવે ધીમે ધીમે ભગવાનને રથમાં પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યા છે. સૌપ્રથમ ભગવાન જગન્નાથને નંદીઘોષ રથમાં બેસાડવામાં આવ્યા. ત્યારબાદ ત્રણેય રથમાં ભગવાનને પ્રસ્થાપિત કરવામાં આવશે.

Rath yatra 2025 live : અમદાવાદ રથયાત્રા ક્યાં કેટલા વાગે પહોંચશે

  • સવારે-7.30 વાગ્યે- જમાલપુર મંદિરથી નકીળશે
  • સવારે 9 વાગ્યે – મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ
  • સવારે9.45 વાગ્યે- રાયપુર ચલકા
  • સવારે10.30 વાગ્યે – ખાડિયા ચાર રસ્તા
  • સવારે 11.15 વાગ્યે કાલુપુર સર્કલ
  • બપોરે 12 વાગ્યે – સરસપુર મામાનું ઘર
  • બપોરે 1.30 વાગ્યે સરસપુરથી પરત પ્રસ્થાન
  • બપોરે- 2 વાગ્યે – કાલુપુર સર્કલ
  • બપોરે 2.30 વાગ્યે – પ્રેમ દરવાજા
  • બપોરે – 3.15 વાગ્યે – દિલ્હી ચકલા
  • બપોર- 3.45 વાગ્યે – શાહપુર દરવાજા
  • સાંજે 4.30 વાગ્યે- શાહપુર હાઈસ્કુલ
  • સાંજે- 5 વાગ્યે – ઘી કાંટા
  • સાંજે 5.45 વાગ્યે – પાનકોર નાકા
  • સાંજે 6.30 વાગ્યે – માણેકચોર
  • રાત્રે 8.3 વાગ્યે – નિજમંદિર પરત
  • Rath yatra 2025 live : ભગવાનની આંખોથી પાટા ખોલાયા, જય રણછોડનો જયઘોષ

    જમાલપુર મંદિર ખાતે અત્યારે રથયાત્રા પૂર્વેની વિવિધ વિધિઓ ચાલી રહી છે. ત્યારે મંગળવા આરતી બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામજીના આંખેથી પાટા ખોલવામાં આવ્યા હતા.

    Rath yatra 2025 live : જમાલપુર મંદિરના મહંત દિલીપ દરજી મહારાજને જગદગુરુની પદવી અપાઈ

    આજે અષાઢી બીજના રોજ રથયાત્રાના દિવસે જમાલપુર જગન્નાથ મંદિરના મહંત 1008 મહામંડલેશ્વર દિલીપ દરજી મહારાજને તમામ સાધુ-સંતો દ્વારા વૈષ્ણવ સંપ્રદાયના જગતપતિ જગદગુરુની પદવી આપવામાં આવી છે. મહંત દિલીપ દાસજી હવે મહામંડલેશ્વરની જગ્યાએ જગતગુરુ દિલીપદાસજી મહારાજ તરીકે ઓળખાશે.

    Rath yatra 2025 live : ભક્તો ભગવાન જગન્નાથજીના અહીં કરી શકશે લાઈવ દર્શન

    ભગવાન જગન્નાથજીની રથયાત્રાના લાઈવ દર્શન તમે https://www.jagannathjiahd.org/ પર જોઈ શકો છો.

    Rath yatra 2025 live : જય..જય..જય..જય.. જગન્નાથ, તથા જય રણછોડ માખણ ચોર નો નાદથી મંદિર ગુંજી ઉઠ્યું

    જમાલપુર જગન્નાથ મંદિરે રાતથી જ મોટી સંખ્યામાં ભક્તો, સેવકો ઉમટી રહ્યા છે અને જય..જય..જય..જય.. જગન્નાથ, તથા જય રણછોડ માખણ ચોર નો નાદ લગાવી ભાવ વિભોર થઈ રહ્યા છે. જયઘોષથી મંદિર ગુંજી ઉઠ્યું હતું.

    Rath yatra 2025 live : ભગવાનના આંખેથી પાટા ખોલાશે

    અમદાવાદમાં જગન્નાથજીની મંગળા આરતી કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમાલપુર જગન્નાથ મંદિરથી રવાના થઈ ચૂક્યા છે. થોડીવારમાં ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવશે.

    Rath yatra 2025 live : કેન્દ્રી મંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની મંગળા

    અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ભગવાન જગન્નાથના મંદિરે મોડી રાતથી જ ભક્તોની ભીડ જામવા લાગી છે. આજના અષાઢી બીજના દિવસની શરુઆત મંગળા આરતી સાથે થઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરી હતી.

    Rath yatra 2025 live : અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળશે

    આજે 27 જૂન 2025, શુક્રવારના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે. આજે અમદાવાદમાં જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળશે.

    Read More
    આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
    ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ