/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Ambaji-Bus-Accident.jpg)
અંબાજી બસ અકસ્માત - photo - Jansatta
Ambaji Road Accident, અંબાજી અકસ્માત : યાત્રાપીઠ અંબાજી નજીક આવેલા ત્રિસુળીયા ઘાટ પાસે બસ પલ્ટી ખાઈ જતા 6 લોકોના મોત નિપજ્યા છે. ત્યાં જ આ રોડ અકસ્માતમાં 35થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત આજે સવારે 10 વાગ્યાના સુમારે બન્યો હતો. જેમાં એક લગ્ઝરી બસ અંબાજીના ત્રિસુળીયા ઘાટ ખાતે પલ્ટી ખાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ઘટનાસ્થળે જ 4 લોકોના મોત નિપજ્યા હતા તો એક બાળકનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું ત્યાં જ એક યુવકે પણ પાલનપુર સિવિલમાં દમ તોડ્યો હતો. હાલમાં 35 જેટલા ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.
યાત્રાધામ અંબાજી નજીક ત્રિશૂળિયા ઘાટ પાસે લક્ઝરી બસને થયેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 7, 2024
આ ઘટનાની જાણકારી મળતા જ SP, DySP અને અંબાજી તથા દાંતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જે બાદ તમામ શ્રદ્ધાળુંઓને 108ની મદદથી પાલનપુર સિવિલ ખાતે ખસેડાયા હતા. તમને જણાવી દઈએ કે, આ પહેલા વર્ષ 2019માં પણ ત્રિસુળીયા ઘાટ ખાતે એક મોટો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ખેડાના કઠલાલ તાલુકાની એક લગ્ઝરી બસમાં સવાર 22 લોકોના મોત નિપજ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us