/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/ambaji-bhadarvi-poonam-2023.jpg)
અંબાજી ભાદરવી પૂનમ મેળો 2023
ambaji bhadarvi poonam 2023 : અંબાજી ભાદરવી પૂનમનો મેળો 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયો છે. મોટી સંખ્યામાં માઈ ભક્તો પગપાળા સંઘ લઈ અંબાજી પહોંચી રહ્યા છે. અંબાજી જવાના દાંતા અને આ બાજુ હળાદ વાળા બંને રસ્તા પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોવા મળી રહ્યા છે. બંને રસ્તાઓ બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે.
શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ તથા બનાસકાંઠા વહીવટી તંત્ર ખડે પગે જોવા મળી રહ્યું છે. શ્રદ્ધાળુઓ માટે તમામ સગવડો ઉભી કરવામાં આવી છે.
ભક્તિ, શક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે યાત્રાધામ અંબાજી..#SpiritualGujarat#Ambaji@yatradhamboardpic.twitter.com/4EPKInSIZx
— Gujarat Information (@InfoGujarat) September 23, 2023
માના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે, આ વર્ષે ભાદરવી પૂનમના મેળામાં માના દર્શન માટે 40 લાખથી પણ વધુ ભક્તો આવે તેવી આશા છે.
માં ના ધામ માં જાવું છે
ચાચર ચૌક જાવું છે @yatradhamboard@GujaratTourismpic.twitter.com/16SYb7UyMW— Ambaji temple official, Gujarat, India (@TempleAmbaji) September 22, 2023
આ વર્ષે અંબાજીમાં ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આખા અંબાજીને લાઈટોથી ઝળહળતુ કરવામાં આવ્યું છે.
Glimpses of light and sound show✨
📍 Ambaji 🛕#Ambaji#Temple#Gujaratpic.twitter.com/kSAVmXZfnU— Pravinbhai Gordhanji Mali (@pravinmalibjp) September 24, 2023
રોજે રોજ અંબાજી માતા, ગબ્બર સહિતની પ્રતિમા લેજર શો દ્વારા રજૂ કરવામાં આવી છે. આ દિવ્ય લાઈટિંગ જોઈ માઈ ભક્તો ભાવ વિભોર થઈ રહ્યા છે.
The light and sound show lit up entire Ambaji🙏🏻 pic.twitter.com/sj6Hs8AHzI
— Harsh Sanghavi (@sanghaviharsh) September 24, 2023
રોશનીથી ઝળહળતો માનો દરબાર, અને અંબાજી ધામ
જય માં અંબે!! #અંબાજીનગર#ગુજરાત
Annual Bhadarvi Poonam Maha Mela in pilgrim town Ambaji in the Banaskantha district of North Gujarat will be held from 23rd to 29th September this year.
Bhadarvi Punam Maha Mela is held every year in Ambaji in the Gujarati calendar month of… pic.twitter.com/YZHeTmSPa3— Harsh Sanghavi (@sanghaviharsh) September 23, 2023
આ વખતે ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં 4000 ચોરસ ફૂટનો વોટરપ્રૂફ ડોમ, પગપાળા આવતા ભક્તો સારી રીતે આરામ કરી શકે તે માટે 1200 જેટલા પલંગ, ઠેર ઠેર શૌચાલય, નાહ્વા માટે ગરમ પાણીની સગવડ ઉભી કરવામાં આવી છે.
ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા પદયાત્રીકો અને ભક્તો માટે ગુજરાત એસટી નિગમ દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના દરેક ખુણે જવા માટે બસ મળી રહે તે માટે વધારાની બસો દોડાવવામાં આવી રહી છે.
ભાદરવી પૂનમ મહામેળા માટે ગુજરાત ST નિગમનું ખાસ આયોજન..
યાત્રાળુઓની સેવા માટે 1200થી વધુ બસો મૂકવામાં આવી..#Ambaji#Gujarat@yatradhamboardpic.twitter.com/7l8F2vJjyA— Gujarat Information (@InfoGujarat) September 25, 2023
આ સિવાય સુરક્ષા માટે હજારોની સંખ્યામાં પોલીસ કર્મી, સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જિંગની સગવડ, પીવાના પાણીની સગવડ, અગ્નિશામક સાધનો, દર્શને આવતા ભક્તો માટે પાર્કિગ વ્યવસ્થા સહિતની ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે.
ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી જતા પદયાત્રાળુઓ માટે રાજ્ય આરોગ્ય તંત્ર દ્વારા અંબાજી તરફના તમામ માર્ગો પર 24 કલાક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સઘન આયોજન
પદયાત્રી કેમ્પ પર 24x7 આરોગ્યકર્મીઓ સેવા પૂરી પાડશે.
ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી જતા પદયાત્રાળુઓ માટે રાજ્ય આરોગ્ય તંત્ર દ્વારા અંબાજી તરફના તમામ માર્ગો પર 24 કલાક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સઘન આયોજન કરવામાં આવ્યું છે.#Ambaji#Gujaratpic.twitter.com/VjWpLjGdsa— Gujarat Information (@InfoGujarat) September 22, 2023
અમદાવાદના વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા અંબાજી મંદિર ખાતે ધ્વજારોહણ
અમદાવાદના વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા અંબાજી મંદિર ખાતે ધ્વજારોહણ...#Ambaji#BhadarviPoonam2023pic.twitter.com/S7rEFOEfxT
— Info Ahmedabad GoG (@ahmedabad_info) September 24, 2023
અંબાજીથી ગબ્બર સુધીનો માર્ગ લાઈટોથી શણગારવામાં આવ્યો છે.
ભાદરવા સુદ - ૧૦, તા.૨૫-૦૯-૨૦૨૩ pic.twitter.com/0X0SDZntiM
— Ambaji temple official, Gujarat, India (@TempleAmbaji) September 25, 2023
અંબાજી મંદિર અને ચાચરચોકને પણ લાઈટોથી અદ્દભૂત શણગારવામાં આવ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us