ગુજરાતના પૂર્વ CM આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ બન્યા ખોડલધામ સંગઠનના અધ્યક્ષ

Anar Patel appointed President of Khodaldham : રાજકોટના ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ 2026માં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાહેરાત સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાંથી ઉપસ્થિત રહેલા ખોડલધામના કન્વીનરોની હાજરીમાં કરવામાં આવી હતી.

Anar Patel appointed President of Khodaldham : રાજકોટના ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ 2026માં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાહેરાત સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાંથી ઉપસ્થિત રહેલા ખોડલધામના કન્વીનરોની હાજરીમાં કરવામાં આવી હતી.

author-image
Ankit Patel
New Update
Anar patel

ગુજરાતના પૂર્વ CM આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ Photograph: (X @anarpatel)

Anar Patel appointed President of Khodaldham :  રોજકોટથી આજે મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી આનંદી બહેનના પુત્રી અનાર પટેલની ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજકોટના ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ 2026માં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાહેરાત સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાંથી ઉપસ્થિત રહેલા ખોડલધામના કન્વીનરોની હાજરીમાં કરવામાં આવી હતી.

Advertisment

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આ જાહેરાત કરી છે. ખોડલધામના પ્રમુખ બનવાની સાથે જ અનાર પટેલના હાથમાં સંગઠનનું સમગ્ર કામકાજ આવી ગયું છે. ખોડલધામ સંગઠનનું સમગ્ર કામકાજ હવેથી અનાર પટેલ સંભાળશે. 

ખોડલધામ સંગઠનની કામગીરી માટે મહત્વની ભૂમિકા

ઉલ્લેખનીય છે કે  અનાર પટેલની આ નિમણૂકને ખોડલધામમાં નરેશ પટેલ પછીના સૌથી મહત્ત્વના અને મોટા હોદ્દા તરીકે જોવામાં આવે છે. તેમને સમગ્ર ખોડલધામ સંગઠનના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ ભૂમિકામાં અનાર પટેલ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારત અને વિશ્વભરમાં જ્યાં પણ ખોડલધામના નિર્માણ થયા છે, તેની સંગઠનાત્મક કામગીરીની જવાબદારી સંભાળશે.

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે શું કહ્યું?

આ અવસરે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, "આજે ખોડલધામમાં દિવાળી જેવો માહોલ છે. મારે આજે પ્રોટોકોલ તોડીને એક અત્યંત મહત્વની જાહેરાત કરવી પડે તેમ છે, અને આ જાહેરાત બાદ જ  બીજી જાહેરાત થઈ શકે તેમ છે.." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "હું જે નામ તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું, તે નામ માત્ર પાટીદાર સમાજને જ નહીં પણ સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવશે, તેમાં મને જરાય શંકા નથી."

Advertisment
ગુજરાત