કોણ છે બાગેશ્વર ધામ પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી? ગુજરાતમાં દરબાર યોજવા પર શું છે વિવાદ અને વિરોધ? કેમ થઈ રહી આટલી ચર્ચા?

Bageshwar Dham Dhirendra Krishna Shastri Gujarat : બાગેશ્વર ધામના પંડિત ધિરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના રાજકોટ (Rajkot) અને અમદાવાદ (Ahmedabad)ની મુલાકાતે આવે અને દરબાર (Darbar) ભરે તે પહેલા જ વિવાદ (Controversy), વિરોધ (Protest) અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તો જોઈએ કોણ છે ધિરેન્દ્ર શાસ્ત્રી? શું છે વિવાદ?

Bageshwar Dham Dhirendra Krishna Shastri Gujarat : બાગેશ્વર ધામના પંડિત ધિરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના રાજકોટ (Rajkot) અને અમદાવાદ (Ahmedabad)ની મુલાકાતે આવે અને દરબાર (Darbar) ભરે તે પહેલા જ વિવાદ (Controversy), વિરોધ (Protest) અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તો જોઈએ કોણ છે ધિરેન્દ્ર શાસ્ત્રી? શું છે વિવાદ?

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Bageshwar Dham pandit Dhirendra Shastri Gujarat Visit

બાગેશ્વર ધામ પંડિત ધિરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત મુલાકાત - શું છે વિવાદ અને વિરોધ?

Bageshwar Dham Dhirendra Krishna Shastri Gujarat : છતરપુર બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધિરેન્દ્ર કુમાર શાસ્ત્રીની ગુજરાતમાં રાજકોટ અને અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી 1 અને 2 જૂન 2023ના રોજ રાજકોટના રેસકોર્સ મેદાનમાં દરબાર ભરવાના છે. આ સિવાય તેઓ અમદાવાદમાં 17થી 25 મે, 2023 દરમિયાન યોજાઇ રહેલા એક ધાર્મિક કાર્યક્રમમાં શ્રી શિવમહાપુરાણ કથામાં સામેલ થવા માટે પણ આવી શકે છે. તો જોઈએ કેમ ધિરેન્દ્ર શાસ્ત્રીની થઈ રહી આટલી ચર્ચા? કોણ અને કેમ ગુજરાતમાં દરબાર ભરવાના કાર્યક્રમનો થઈ રહ્યો વિરોધ? જોઈએ તમામ વિગત.

Advertisment

કોણ છે ધિરેન્દ્ર શાસ્ત્રી

બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત થયેલા ધિરેન્દ્ર શાસ્ત્રીનો જન્મ 4 જુલાઇ, 1996માં મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના ગડા પંજ ગામમાં એક બાહ્મણ કુટુંબમાં થયો છે. તેમના પિતાનું નામ રામ કૃપાલ ગર્ગ અને માતાનું નામ સરોજ ગર્ગ છે. તેમને નાનપણથી ધર્મ-ભક્તિ પ્રત્યે વધારે લગાવ હતો. તેમણે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ સનાતન ધર્મના પ્રચારક અને કથા વાયક છે. ધિરેન્દ્ર શાસ્ત્રીના દરબારનું તેમના ગામ ગડા પંજ ખાતે આવેલા હનુમાન મંદિર બાગેશ્વર ધામમાં આયોજન કરવામાં આવે છે, ધીમે ધીમે દરબારમાં ભક્તો અને પ્રશંસકોની ભીડ વધવા લાગી. તેણે ચમત્કારો, અલૌકિક શક્તિથી લોકોની સમસ્યાઓ દૂર કરવાનો દાવો કર્યો છે અને તેની સામે ઘણો વિવાદ પણ થયો છે.

કેમ ધીરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં?

બાગેશ્વર ધામ મહારાજ ધીરેન્દ્ર કૃષ્ણ મહારાજના ભારતમાં લાખો અનુયાયીઓ અને ભક્તો છે અને હવે ધીરે ધીરે વિદેશોમાં પણ બાબાના ચાહકો વધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, બાગેશ્વર ધામમાં નેતાથી લઈને અભિનેતા સુધીની હાજરી નોંધાઈ છે.

તમને જણાવી દઈએ કે, ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અનેક શહેરોમાં જાય છે અને શ્રી રામ કથા સાથે તેમના દિવ્ય ચમત્કારિક દરબારની સ્થાપના કરે છે. તાજેતરમાં તેમણે મહારાષ્ટ્રના નાગપુરમાં દરબાર કર્યો. આમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી કોર્ટમાં પહોંચ્યા હતા અને તેમની હાજરી ચિહ્નિત કરી હતી. તો, અન્ય ઘણા રાજકારણીઓ અને નેતાઓએ બાગેશ્વર ધામમાં હાજરી આપી ચુક્યા છે.

Advertisment

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ સંત ધીરેન્દ્રએ એક ચેનલમાં કહ્યું હતું કે, જ્યાં વિજ્ઞાન સમાપ્ત થાય છે, ત્યાંથી અધ્યાત્મ શરૂ થાય છે. અમે સતત માનવ સેવા કરી રહ્યા છીએ. તેમજ કઇ વ્યક્તિએ કયું કામ કરાવવાનું છે. આ ભગવાન દ્વારા નક્કી કરવામાં આવે છે. તેમજ તેમણે કહ્યું કે, બાગેશ્વર ધામ ખૂબ જૂનું છે. પરંતુ મીડિયાના પ્રભાવને કારણે તે હવે લોકપ્રિય બની ગયું છે. આ સાથે ધામમાં દરરોજ ભંડારાનું આયોજન કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, કોઈ પણ મનુષ્ય ભવિષ્ય કહી શકતો નથી. પરંતુ ગુરુ અને હનુમાનજીની કૃપાથી અમે ભવિષ્યમાં થનારી ઘટનાઓ ચોક્કસપણે સૂચવીએ છીએ.

ધિરેન્દ્ર શાસ્ત્રીના પરિવારના સભ્યો બાબાને માનતા નથી

આ બાજુ સંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પૂછ્યું કે, તમારા પરિવારના લોકો અન્ય સંતો પાસે જાય છે. તો તે સંતો કહે છે કે, સંત ધીરેન્દ્રએ એક આત્માને કેદ કરી છે. તો આના પર તેમણે કહ્યું કે, જો અમે કોઈ આત્માને કેદ કરી હોત તો હનુમાનજીની સેવા કેવી રીતે કરી શક્યા હોત. આ ઉપરાંત અમે હનુમાનજીને કેવી રીતે ધારણ કરી શકીએ.

આગળ સંત ધીરેન્દ્રએ કહ્યું કે, આ સૂક્ષ્મ વિચારોની અસર છે. બીજી તરફ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, પરિવારના લોકો તમને બાબા માનતા નથી અને તેથી જ તેઓ અન્ય સંતો પાસે જાય છે તો તેઓએ કહ્યું કે, પરિવારના સભ્યો સાથે સંવાદિતા છે, કોઈ વિરોધાભાસ નથી.

શું છે ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોડાયેલ વિવાદ?

મહારાષ્ટ્રના નાગપુરમાં અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લાગ્યો હતો, જેમાં તેઓ લોકોના દૂઃખ દૂર કરવાના જાહેરમાં ઉપાયો આપતા હતા. નાગપુરની અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના શ્યામ માનવે બાગેશ્વર ધામ સરકારને ચમત્કાર સાબિત કરવા માટેની ચેલેન્જ આપી ત્યારે બાબા બાગેશ્વર કથા અધવચ્ચે છોડીને ચાલ્યા ગયાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાયપુરમાં તેમણે દરબારભરી નાગપુરમાં ચેલેન્જ ફેંકનારને રાયપુર આવવા કહ્યું હતું, અને મીડિયાની સામે ચમત્કારનો દાવો કર્યો હતો.

ગુજરાત કાર્યક્રમનો કોણ અને કેમ થઈ રહ્યો વિરોધ?

બાગેશ્વર ધામ ધિરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના રાજકોટની મુલાકાતે આવવાની ચર્ચા બાદ રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના CEO પુરુષોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ તાંત્રિક ઢોંગ કરે છે. હવે પીપળિયાએ ચેલેન્જ ફેંકી છે કે, તે રાજકોટ અને ગુજરાતમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે, તે જણાવે, જો જણાવી શકે તો 5 લાખનું ઈનામ આપુ.

રાજકોટ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પણ ધિરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતમાં દરબાર ભરવાનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે આ એક અંધશ્રદ્ધા ફેલાવવાનો કાર્યક્રમ છે. આ પ્રકારનો કાર્યક્રમ ન થવો જોઈએ.તેમણે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી સાથે કલેક્ટરને કાર્યક્રમ ન યોજાય તે માટે આવેદન આપવાની પણ ચૈયારી શરૂ કરી છે.

સુરતમાં પણ એક અંધશ્રદ્ધા વિરોધ પર કામ કરતા માથુબાઈ કાકડિયાએ પણ ધિરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું છે કે, જો બાબા ચમત્કારી હોય તો, મને આમંત્રણ આપે. હું એક હીરાની પોટલી લાવીશ, જો તે કહી દે કે તેમાં કેટલા નંગ હીરા છે, તો બે કરોડના હીરા તમના ચરણોમાં આપવા તૈયાર છુ.

ધિરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં શું હોય છે? સમર્થકો શું કહે છે?

ધીરેન્દ્ર શાસ્ત્રી કથા બાદ દરબાર બરે છે, આ દરમિયાન જાહેરમાં લોકોની સમસ્યાઓ સાંભળીને તેનું સમાધાન કરવાનો દાવો કરે છે. તેમની કથામાં ભૂત, પ્રેતથી લઈને તમામ બીમારીઓનો ઈલાજ થવાનો દાવો કરવામાં આવે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના અનુયાયીઓ આને ચમત્કાર માને છે. બાબાના સમર્થકોનું માનવું છે કે બાગેશ્વર ધામ સરકાર માણસને જોતાં જ તેની તમામ મુશ્કેલીઓને સમજી જાય છે. અને તેનું સમાધાન કરે છે. બાબાનું કહેવું છે કે તે લોકોની અરજી – પ્રાર્થના હનુમાનજી સુધી પહોંચાડવાનું નિમિત માત્ર છે. જેને ભગવાન સાંભળીને સમાધાન આપે છે.

અમદાવાદ bageshwar dham sarkar Express Exclusive એક્સપ્રેસ એક્સપ્લેન ગુજરાત ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ધર્મ ભક્તિ રાજકોટ