બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો હાલ સુરતમાં દિવ્ય દરબાર યોજાયો છે. બાબાના દરબારમાં ભક્તો અને અનુયાયીઓ સહિત મોટી સંખ્યમાં નેતાઓ, જાણીતા વ્યક્તિઓ પહોંચ્યા છે. બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં ચાલી રહ્યો છે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતના એક પ્રખ્યાત બિલ્ડરના ફાર્મમાં રોકાયા છે અને તેની માટે અત્યંત વૈભવી સુવિધા અને કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી 27 મે, 2023ના રોજ પણ સુરતમાં છે.
જ્યા 26 મેના રોજ દરબાર યોજાયો હતો તે જ સ્થળે ધીરેન્દ્ર શાસ્ત્રી 6 વાગે હનુમંત કથા કરશે.
ત્યારબાદ 29 મેના રોજ અમદાવાદમાં ચાણક્યપુરી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો 'દરબાર' લાગશે
ધીરેન્દ્ર શાસ્ત્રીના સુરતમાં દરબારના પ્રથમ દિવસે છેલ્લે ગુજરાતના લોક કલાકાર કિર્તીદાન ગઢવી અને સાથી કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી.

દરબારમાં આવેલા એક વૃદ્ધ વ્યક્તિએ વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી.
ઉપરાંત જો ચૂંટણી જશે તો સુરતના પરપ્રાંતિ વ્યક્તિને મફત મકાન આપવાની ઘોષણા કરી.


ધીરેન્દ્ર શાસ્ત્રીએ દરબારમાં ભકતોની સુનાવણી વખતે કહ્યું કે, સુરતમાં ટૂંક સમમયાં રામ કથાનું આયોજન કરવામાં આવશે
દરબારમાં ભકતોની અરજ પર સુનાવણી કરતા ધીરન્દ્ર શાસ્ત્રીએ કહ્યુ કે, સુરતમાં આજે રાત્રે પ્રેત રાજ દરબાર પણ યોજાશે
દરબારમાં 3 ભક્તને બોલાવ્યા હતા, જેમણે બાબાના દર્શન માટે નિર્જલ ઉપવાસ રાખ્યો હતો.
તેની અરજ સાંભળવાની સાથે મંચ પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ પાણી પીવડાવી ઉપવાસ તોડાવ્યો.

જવાબ સાભળી શકો તેવા જ પ્રશ્નો પુછવા- ધીરેન્દ્ર શાસ્ત્રી
બીજા ભક્તની અરજ સાંભળી

ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં ભક્તો – અનુયાયીઓની અરજીઓ શરૂ થઇ ગઇ છે.
બાબાએ ભક્તોની અરજ સાંભળવાની શરૂઆત કરી છે 5 ભક્તોને બોલાવ્યા છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં સી.આર પાટીલ સહિત અન્ય મોટા નેતાઓ આર્શીવાદ લેવા પહોંચ્યા હતા.
'દરબાર'ના આરંભમાં પ્રવચન દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમની પાસે એક ખાસ વાઇ-ફાઇ હોવાનું જણાવ્યુ હતુ. આ વાઇ-ફાઇ એટલે હનુમાનજીની ગદા.
લોક કલાકાર કીર્તિદાન ગઢવીના ડાયરાના કાર્યક્રમ બાદ બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનું આયોજન થયું.