scorecardresearch
Live

બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં: ભારતની સાથે પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીને રહીશું, હવે શનિવારે 6 વાગે કાર્યક્રમ શરૂ થશે

Bageshwar dham dhirendra shastri darbar surat live : બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરતમાં ‘દિવ્ય દરબાર’ ચાલી રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો- અનુયાયીઓ સહિત મોટી સંખ્યમાં નેતાઓ અને જાણીતા હસ્તીઓ પહોંચ્યા છે.

Bageshwar dham dhirendra shastri darbar surat
બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનું સુરતમાં આયોજન કરાયું છે

બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો હાલ સુરતમાં દિવ્ય દરબાર યોજાયો છે. બાબાના દરબારમાં ભક્તો અને અનુયાયીઓ સહિત મોટી સંખ્યમાં નેતાઓ, જાણીતા વ્યક્તિઓ પહોંચ્યા છે. બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં ચાલી રહ્યો છે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતના એક પ્રખ્યાત બિલ્ડરના ફાર્મમાં રોકાયા છે અને તેની માટે અત્યંત વૈભવી સુવિધા અને કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે.

Read More
Read Less
Live Updates
21:54 (IST) 26 May 2023
સુરતમાં શનિવારે 6 વાગે કાર્યક્રમ શરૂ થશે

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી 27 મે, 2023ના રોજ પણ સુરતમાં છે.

જ્યા 26 મેના રોજ દરબાર યોજાયો હતો તે જ સ્થળે ધીરેન્દ્ર શાસ્ત્રી 6 વાગે હનુમંત કથા કરશે.

ત્યારબાદ 29 મેના રોજ અમદાવાદમાં ચાણક્યપુરી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો 'દરબાર' લાગશે

21:47 (IST) 26 May 2023
કિર્તીદાન ગઢવીની ભજનોની રમઝટ

ધીરેન્દ્ર શાસ્ત્રીના સુરતમાં દરબારના પ્રથમ દિવસે છેલ્લે ગુજરાતના લોક કલાકાર કિર્તીદાન ગઢવી અને સાથી કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી.

21:23 (IST) 26 May 2023
1 ભક્તે 2024માં લોકસભાની ચૂંટણી લડવાની અને જીતવાની ઇચ્છા વ્યક્ત કરી

દરબારમાં આવેલા એક વૃદ્ધ વ્યક્તિએ વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી.

ઉપરાંત જો ચૂંટણી જશે તો સુરતના પરપ્રાંતિ વ્યક્તિને મફત મકાન આપવાની ઘોષણા કરી.

20:13 (IST) 26 May 2023
સુરતમાં ટૂંક સમયમાં રામ કથાનું આયોજન કરાશે

ધીરેન્દ્ર શાસ્ત્રીએ દરબારમાં ભકતોની સુનાવણી વખતે કહ્યું કે, સુરતમાં ટૂંક સમમયાં રામ કથાનું આયોજન કરવામાં આવશે

20:00 (IST) 26 May 2023
સુરતમાં આજે પ્રેત રાજ દરબાર પણ યોજાશે

દરબારમાં ભકતોની અરજ પર સુનાવણી કરતા ધીરન્દ્ર શાસ્ત્રીએ કહ્યુ કે, સુરતમાં આજે રાત્રે પ્રેત રાજ દરબાર પણ યોજાશે

19:56 (IST) 26 May 2023
ભક્તને પાણી પીવડાવી ઉપવાસ તોડાવ્યા

દરબારમાં 3 ભક્તને બોલાવ્યા હતા, જેમણે બાબાના દર્શન માટે નિર્જલ ઉપવાસ રાખ્યો હતો.

તેની અરજ સાંભળવાની સાથે મંચ પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ પાણી પીવડાવી ઉપવાસ તોડાવ્યો.

19:52 (IST) 26 May 2023
જવાબ સાભળી શકો તેવા જ પ્રશ્નો પુછવા- ધીરેન્દ્ર શાસ્ત્રી

જવાબ સાભળી શકો તેવા જ પ્રશ્નો પુછવા- ધીરેન્દ્ર શાસ્ત્રી

બીજા ભક્તની અરજ સાંભળી

19:40 (IST) 26 May 2023
દરબારમાં ભક્તોની અરજ સાંભળવાની શરૂઆત, 5 ભક્તોને બોલાવ્યા

ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં ભક્તો – અનુયાયીઓની અરજીઓ શરૂ થઇ ગઇ છે.

બાબાએ ભક્તોની અરજ સાંભળવાની શરૂઆત કરી છે 5 ભક્તોને બોલાવ્યા છે.

19:35 (IST) 26 May 2023
બાબાના દરબારમાં સી.આર. પાટીલ પહોંચ્યા

ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં સી.આર પાટીલ સહિત અન્ય મોટા નેતાઓ આર્શીવાદ લેવા પહોંચ્યા હતા.

19:33 (IST) 26 May 2023
ધીરેન્દ્ર શાસ્ત્રીનું વાઇ-ફાઇ એટલે હનુમાન જીની ગદા

'દરબાર'ના આરંભમાં પ્રવચન દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમની પાસે એક ખાસ વાઇ-ફાઇ હોવાનું જણાવ્યુ હતુ. આ વાઇ-ફાઇ એટલે હનુમાનજીની ગદા.

19:27 (IST) 26 May 2023
કીર્તિદાન ગઢવીના ડાયરાના કાર્યક્રમ બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારની શરૂઆત થઇ

લોક કલાકાર કીર્તિદાન ગઢવીના ડાયરાના કાર્યક્રમ બાદ બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનું આયોજન થયું.

Web Title: Bageshwar dham dhirendra shastri darbar surat live

Best of Express