Gujarat Oath Taking Ceremony Gujarat Cabinet : ભૂપેન્દ્ર પટેલે સોમવારે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે 8 કેબિનેટ મંત્રી, 2 રાજ્ય કક્ષાના (સ્વતંત્ર હવાલો) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે. મંત્રી મંડળમાં કયા સમાજમાંથી કોને સ્થાન મળ્યું તે વિશે જણાવી રહ્યા છીએ.
મંત્રીમંડળની વાત કરવામાં આવે તે મુખ્યમંત્રી સહિત 4 પાટીદારને સ્થાન મળ્યું છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેષ પટેલ, રાઘવજી પટેલ અને પ્રફૂલ પાનસેરીયાનો સમાવેશ થાય છે. 7 ઓબીસીને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કુંવરજી બાવળીયા, મુળુભાઈ બેરા, પરસોત્તમ સોલંકી, ભીખુસિંહ પરમાર, મુકેશ જીણાભાઈ પટેલ, બચુ ખાવડ અને જગદીશ વિશ્વકર્મા સામેલ છે.
આ સિવાય 2 આદિવાસીને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. જેમાં કુબેરભાઈ ડિંડોર અને કુંવરજી હળપતિનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત એક બ્રાહ્મણ કનુભાઈ દેસાઈ, એક ક્ષત્રિય બળવંત સિંહ રાજપૂત, એક દલિત ભાનુબેન બાબરીયા અને એક જૈન હર્ષ સંઘવીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો – ગુજરાત શપથ ગ્રહણ સમારોહ : સીએમ પદ માટે ભુપેન્દ્ર પટેલે, મંત્રી મંડળ માટે આ નેતાઓએ લીધા શપથ
કયા સમાજનું જોવા મળ્યું પ્રભુત્વ
મંત્રીનું નામ બેઠક જ્ઞાતિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા પાટીદાર ઋષિકેશ પટેલ વિસનગર પાટીદાર કનુભાઇ દેસાઇ પારડી બ્રાહ્મણ બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુર ક્ષત્રિય રાઘવજી પટેલ જામનગર ગ્રામ્ય પાટીદાર કુંવરજી બાવળીયા જસદણ ઓબીસી ભાનુબેન બાબરિયા રાજકોટ ગ્રામ્ય દલિત મુુળુભાઇ બેરા ખંભાળીયા ઓબીસી કુબેરભાઇ ડિંડોર સંતરામપુર આદિવાસી હર્ષ સંઘવી મજૂરા જૈન જગદીશ વિશ્વકર્મા નિકોલ ઓબીસી પરસોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્ય ઓબીસી બચુભાઇ ખાબડ દેવગઢ બારિયા ઓબીસી મુકેશભાઇ પટેલ ઓલપાડ ઓબીસી પ્રફૂલ પાનસેરીયા કામરેજ પાટીદાર ભીખુસિંહ પરમાર મોડાસા ઓબીસી કુંવરજી હળપતિ માંડવી આદિવાસી