બિપોરજોય ચક્રવાત : વાવાઝોડામાં મુશ્કેલીમાં મુકાવ તો આ નંબર પર ફોન કરો, જાણો રાજ્યના 33 જિલ્લાના કંટ્રોલરૂમના નંબરો

Biparjoy Cyclone : ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત બિપોરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા

Biparjoy Cyclone : ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત બિપોરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Biparjoy Cyclone Update

Biparjoy Cyclone Update: બિપોરજોય ચક્રવાત (Pics - imd)

Biparjoy Cyclone Update: ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત બિપોરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે. નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામક કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે. રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો નીચે મુજબ છે.

Advertisment

રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો

  1. અમદાવાદ - 079-27560511
  2. અમરેલી - 02792-230735
  3. આણંદ - 02692-243222
  4. અરવલ્લી - 02774-250221
  5. બનાસકાંઠા - 02742-250627
  6. ભરૂચ - 02642-242300
  7. ભાવનગર - 0278-2521554/55
  8. બોટાદ - 02849-271340/41
  9. છોટાઉદેપુર - 02669-233012/21
  10. દાહોદ - 02673-239123
  11. ડાંગ - 02631-220347
  12. દેવભૂમિ દ્વારકા - 02833-232183, 232125, 232084
  13. ગાંધીનગર - 079-23256639
  14. ગીર સોમનાથ - 02876-240063
  15. જામનગર - 0288-2553404
  16. જૂનાગઢ - 0285-2633446/2633448
  17. ખેડા - 0268-2553356
  18. કચ્છ - 02832-250923
  19. મહીસાગર - 02674-252300
  20. મહેસાણા - 02762-222220/222299
  21. મોરબી - 02822-243300
  22. નર્મદા - 02640-224001
  23. નવસારી - 02637-259401
  24. પંચમહાલ - 02672-242536
  25. પાટણ - 02766-224830
  26. પોરબંદર - 0286-2220800/801
  27. રાજકોટ - 0281-2471573
  28. સાબરકાંઠા - 02772-249039
  29. સુરેન્દ્રનગર - 02752-283400
  30. સુરત - 0261-2663200
  31. તાપી - 02626-224460
  32. વડોદરા - 0265-2427592
  33. વલસાડ - 02632-243238

આ પણ વાંચો - વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 20 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર

15 જૂને જખૌ બંદરે ટકરાશે

બિપરજોય ચક્રવાત 15 જૂને બપોરે જખૌ બંદરે ટકરાશે. આ સમયે વાવાઝોડાની પવનની સ્પીડ લગભગ 125થી 135 કિમીની રહી શકે છે. અંદાજીત 12 કલાક કચ્છની ધરતીને બિપરજોય વાવાઝોડું ઘમરોળી શકે છે.

Advertisment

16 જૂને ઉત્તર ગુજરાતમાં અસર જોવા મળશે

ત્યારબાદ કચ્છ સરહદેથી પાકિસ્તાન થઈ રાજસ્થાનમાં શુક્રવારે સવારે 10થી 11ના સમયે પ્રવેશ કરશે, આ સમયે તે ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠામાં તેની અસર જોવા મળશે, જેને પગલે પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ પડી શકે છે.

20 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર

રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ અને સમીક્ષા બેઠકમાં ચર્ચાયેલી બાબતોની વિગતો આપતા કહ્યું હતું કે કેઝુઆલિટી અને નુકસાનને ઘટાડવા રાજ્ય સરકાર દ્વારા હાલ લોકોના સ્થળાંતર પર ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પ્રભાવિત જિલ્લાઓમાં અત્યારસુધીમાં કુલ 20 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. હજુ પણ સ્થળાંતરની કામગીરી પ્રગતિમાં છે, જે આજે સાંજ સુધીમાં પૂર્ણ થશે.

તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં 500, કચ્છમાં 6786, જામનગરમાં 1500, પોરબંદરમાં 543, દ્વારકામાં 4820, ગીર સોમનાથમાં 408, મોરબીમાં 2000 અને રાજકોટમાં 4031 મળી કુલ 20588 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

cyclone biparjoy ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત