કેડિલા ફાર્માના વડા સામે બળાત્કારનો કેસ: ગુજરાત પોલીસે પુરાવાના અભાવને ટાંકી A-સમરી રિપોર્ટ ફાઇલ કર્યો

કેડિલા ફાર્મા એમડી રાજીવ મોદી બલ્ગેરિયન યુવતી બળાત્કાર કેસમાં ગુજરાત પોલીસે પુરાવાના અભાવ બાદ અમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટમાં એ-સમરી રિપોર્ટ દાખલ કર્યો.

કેડિલા ફાર્મા એમડી રાજીવ મોદી બલ્ગેરિયન યુવતી બળાત્કાર કેસમાં ગુજરાત પોલીસે પુરાવાના અભાવ બાદ અમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટમાં એ-સમરી રિપોર્ટ દાખલ કર્યો.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Cadila Pharma chief Bulgarian girl Rape case

કેડિલા ફાર્મા ચીફ, બલ્ગેરિયન છોકરી પર બળાત્કાર કેસ (ફોટો - એક્સપ્રેસ)

કેડિલા ફાર્માના ચેરમેન અને એમડી રાજીવ મોદી અને કંપનીના અન્ય કર્મચારી સામે બલ્ગેરિયન નાગરિક યુવતી સાથેના કથિત બળાત્કારના કેસમાં પુરાવા એકત્ર કરવામાં નિષ્ફળ જતાં ગુજરાત પોલીસે 20 ફેબ્રુઆરીએ અમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ સમરી રિપોર્ટ દાખલ કર્યો હતો.

Advertisment

A-સમરી અહેવાલ દાખલ કરવામાં આવે છે, એટલે કે કેસ શોધી શકાતો નથી અને તેને સમર્થન આપવા માટે કોઈ પુરાવા મળ્યા નથી.

તપાસ અધિકારી રાજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, પોલીસ તેમની તપાસ દરમિયાન પૂરતા પુરાવા મેળવવામાં નિષ્ફળ રહી હતી કારણ કે "સાક્ષીઓ આરોપોને સમર્થન આપતા નથી". સોલંકીએ કહ્યું, "અમને કેટલાક સાક્ષીઓ મળ્યા છે પરંતુ, તેઓ એફઆઈઆર જે આરોપો છે તેને નકારી રહ્યા છે."

મોદી અને તેમના કર્મચારી જ્હોન્સન મેથ્યુ પર 31 ડિસેમ્બર, 2023 ના રોજ સોલા પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ બળાત્કાર, મહિલાની ગરીમાને ઠેસ પહોંચાડવાના ઈરાદે ફોજદારી બળ અને ગુનાહિત ધાકધમકીનો આરોપ મૂકવામાં આવ્યો છે.

Advertisment

31 જાન્યુઆરી સુધીમાં, સાક્ષીઓની પ્રથમ યાદીમાં 20 લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાંથી ઓછામાં ઓછા 19 કેડિલા ફાર્માના કર્મચારીઓ હતા.

A-સમરી રિપોર્ટ દાખલ થયા પછી, મેજિસ્ટ્રેટ કોર્ટ A-સમરી રિપોર્ટ સ્વીકારવો કે નહીં, તે સહિતના આગળના પગલાં અંગે નિર્ણય કરશે.

A-સમરી અહેવાલ દર્શાવે છે કે, આરોપો અસ્તિત્વમાં હોવા છતાં, તપાસમાં કેસને ટ્રાયલ સુધી લઈ જવા માટે પૂરતા પુરાવા મળ્યા નથી.

કાયદાકીય જોગવાઈઓ હેઠળ, A-સમરી અહેવાલ ફાઇલ કરવા માટે જરૂરી છે કે, ફરિયાદીને CrPCની કલમ 172(2)(ii) હેઠળ તેની જાણ કરવામાં આવે. ફરિયાદી તારણો સામે વાંધો ઉઠાવતા મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ A-સમરી રિપોર્ટ પર વિરોધ અરજી પણ દાખલ કરી શકે છે. બલ્ગેરિયન મહિલાના વકીલ રાજેશકુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, "ફરિયાદીને 19 ફેબ્રુઆરીએ ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી હતી."

મેજિસ્ટ્રેટ કોર્ટ વધુ તપાસનું નિર્દેશન કરી શકે છે અથવા એ-સમરી અહેવાલને મંજૂરી આપી શકે છે. આવી મંજૂરીને અપીલ કોર્ટમાં પડકારી શકાય છે, જ્યાં આરોપીએ પક્ષકાર તરીકે હાજર રહેવું જરૂરી છે.

જો A-સમરી અહેવાલ નકારવામાં આવે છે, તો મેજિસ્ટ્રેટ કોર્ટ આરોપીને પ્રક્રિયા જાહેર કરી શકે છે અને ત્યારબાદ CrPC કલમ 209 હેઠળ ટ્રાયલ માટે કેસ સોંપી શકે છે.

ગુજરાત હાઈકોર્ટે પોલીસને 27 વર્ષીય ફરિયાદીએ કરેલા આરોપો પર કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યા બાદ FIR દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો - ગુજરાતમાં આ રવિ સિઝનમાં જીરુંનું ઉત્પાદન રેકોર્ડ 4 લાખ ટન થશે

ગયા ડિસેમ્બરમાં, ગુજરાત હાઈકોર્ટે મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને બાજુ પર રાખ્યો હતો, જેણે બલ્ગેરિયન નાગરિકની ફરિયાદને ધ્યાનમાં લેવાનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટે નિર્દેશ આપ્યો કે, રાજ્યના ડીઆઈજી (કાયદો અને વ્યવસ્થા) દ્વારા નિયુક્ત વરિષ્ઠ IPS અધિકારીએ બે મહિનામાં મહિલાની ફરિયાદની તપાસ કરવી જોઈએ.

આ કેસ મામલે સીએમડી મોદી 15 ફેબ્રુઆરીએ સોલા પોલીસ સ્ટેશન સામે હાજર થયા હતા.

ગુજરાતી ન્યૂઝ ગુજરાત પોલીસ ગુજરાત