stray cattle problem: ગૌમૂત્ર, છાણમાંથી પણ પશુપાલકો કમાણી કરે તો રખડતા ઢોરની સમસ્યા સમાપ્ત થઈ શકે : રૂપાલા

stray cattle problem and solution : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા (parshottam rupala) એ રખડતા ઢોરની સમસ્યા અંગે જણાવ્યું કે, જો પશુ પાલકો, માલિકો છાણ અને ગૌમૂત્રમાંથી પણ આવક મેળવે તો, આ સમસ્યાનો અંત આવી શકે છે.

Written by Kiran Mehta
August 15, 2023 11:23 IST
stray cattle problem: ગૌમૂત્ર, છાણમાંથી પણ પશુપાલકો કમાણી કરે તો રખડતા ઢોરની સમસ્યા સમાપ્ત થઈ શકે : રૂપાલા
રખડતા ઢોરની સમસ્યાનું નિરાકરણ

stray cattle problem : રાજ્ય સહિત દેશભરમાં રખડતા ઢોરની સમસ્યા છે, ત્યારે રખડતા ઢોરની સમસ્યાનો અંત લાવવાના સંભવિત ઉકેલમાં કેન્દ્રીય પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ રાજ્ય મંત્રી પરષોત્તમ રૂપાલાએ સોમવારે સૂચન કર્યું હતું કે, ગૌમૂત્ર અને છાણ વેચીને માલિકો કમાણી કરી શકે તો સમસ્યા હલ થઈ શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારની ગોબર ધન યોજના ઢોર માલિકોને તેમના ઢોરને શેરીઓમાં છોડવાને બદલે તેમની “સંભાળ” કરવા પ્રોત્સાહિત કરશે, સરકાર દ્વારા આ સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ગુજરાત હાઈકોર્ટના વારંવારના ઠપકા બાદ, શહેરી વિકાસ વિભાગે રાજ્યની નાગરિક સંસ્થાઓને પશુ નીતિઓ ઘડવાનો નિર્દેશ આપ્યો છે. નર્મદાના રાજપીપળામાં પશુપાલન અંગે જાગૃતિ લાવવાના કાર્યક્રમ દરમિયાન “રખડતા ઢોરની સમસ્યા” વિશે પૂછવામાં આવતા રૂપાલાએ કહ્યું કે, સરકારે પશુપાલકોને પ્રમાણભૂત ભાવે ગૌમૂત્ર અને દૂધ આપીને “પ્રેરિત” કરવાનો નિર્ણય કર્યો છે. ગૌમૂત્ર અને છાણ ખરીદવા માટે, જેથી તેઓ તેમના નિવૃત્ત ઢોર રાખવા પ્રેરિત થાય.

કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, રખડતા ઢોર “આ એક જટિલ સમસ્યા છે. નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ સમસ્યાનો સામનો કરવા માટે એક નવા અભિગમની જરૂર છે. અમે રસ્તો શોધવાનું કામ કરી રહ્યા છીએ. ગૌમૂત્ર અને ગોબર ખરીદીને ઉત્પાદનો બનાવવા માટે ગોબર ધન યોજના લાગુ કરવામાં આવી રહી છે, સંશોધન ચાલુ છે. આ દરમિયાન ગુજરાતમાં બનાસ ડેરીએ પશુપાલકો પાસેથી 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ગાયનું છાણ ખરીદવાનું શરૂ કર્યું છે. જ્યારે પશુપાલકો જોશે કે, ગૌમૂત્ર અને છાણ વેચીને આવક મેળવી શકાય છે, ત્યારે તેઓ દૂધ આપવાનું બંધ કરી દે, તેવા ઢોરને પછી તેઓ પશુઓને શેરીઓમાં છોડી દેવાને બદલે તેમને રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.”

આ પણ વાંચોtraffic police ac helmet : અમદાવાદ ટ્રાફિક પોલીસને એસી હેલ્મેટ આપવામાં આવ્યું, જોઈએ કેવી છે ખાસિયત?

રૂપાલાએ જણાવ્યું હતું કે, નાગરિક સંસ્થાઓને ઢોરની સંખ્યામાં વધારો ન થાય તે માટે ‘નસબંધી’ કરવાની સૂચના આપવામાં આવશે. “સરકારે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે, રખડતા અથવા નિવૃત્ત ઢોર અનિયંત્રિત રીતે વધે નહીં અને તેથી મ્યુનિસિપલ સંસ્થાઓને સંખ્યા જાળવવા અને રખડતા ઢોરોમાં સંવર્ધનને નિયંત્રિત કરવા માટે અસરકારક પગલાં લેવા માટે કહેવામાં આવશે.”

મંત્રી, જેમણે પશુપાલન પર એક સભાને સંબોધન કર્યું હતું, તેમણે કાર્યક્રમમાં તેમના સંબોધન દરમિયાન “ભારતની દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા” પર પણ ભાર મૂક્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ