બાળકો માટે ખતરનાક, ગુજરાતના બે જિલ્લાઓ બાનમાં, ચાંદીપુરા વાયરસનું નામ કેવી રીતે પડ્યું, શું છે ઈતિહાસ?

Chandipura virus, ચાંદીપુરા વાયરસ : અત્યારે ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસો જોવા મળ્યા છે. અને અહીં બાળકો ટપોટપ મરવા લાગ્યા છે. ત્યારે આપણે જાણીશું કે ચાંદીપુરા વાયરસ ક્યાંથી આવ્યો અને તેનો ઈતિહાસ શું છે.

Written by Ankit Patel
Updated : July 17, 2024 11:17 IST
બાળકો માટે ખતરનાક, ગુજરાતના બે જિલ્લાઓ બાનમાં, ચાંદીપુરા વાયરસનું નામ કેવી રીતે પડ્યું, શું છે ઈતિહાસ?
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની દહેશત Express photo

Chandipura virus, ચાંદીપુરા વાયરસ : દેશમાં એક નવો વાયરસ આવ્યો છે, તેનું નામ ચાંદીપુરા વાયરસ હોવાનું કહેવાય છે. જો કે આના કેટલાક કેસો ઘણા વર્ષો પહેલા નોંધાયા હતા, પરંતુ હવે આ વાયરસના કારણે ગુજરાતમાં બાળકોના મોત થયા હોવાથી મામલો ગંભીર બન્યો છે. તમામ આરોગ્ય એજન્સીઓ પહેલેથી જ સતર્ક થઈ ગઈ છે, સેમ્પલ લેબમાં મોકલવામાં આવી રહ્યા છે અને સમય પહેલા તેને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના સૌથી વધુ કેસ

હાલમાં ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના સૌથી વધુ કેસ નોંધાયા છે, મોટી વાત એ છે કે ચાર બાળકોના મોત પણ થયા છે. જિલ્લાની હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં પણ એક જ વાયરસથી સંક્રમિત બે બાળકોની સારવાર ચાલી રહી છે. આવી સ્થિતિમાં, સ્થિતિ ચિંતાજનક છે અને આ વાયરસ વિશે વધુ વિગતો એકત્રિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ વાયરસનો સંપૂર્ણ ઇતિહાસ

હવે સમજવાની વાત એ છે કે ચાંદીપુરા વાયરસનો જન્ય અત્યારે થયો નથી પરંતુ તેનો પહેલો કેસ 1966માં સામે આવ્યો હતો. વાસ્તવમાં મહારાષ્ટ્રના નાગપુરમાં ચાંદીપુર નામની એક જગ્યા છે જ્યાં આ વાયરસનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો. ત્યારથી આ વાયરસનું નામ ચાંદીપુરા પડ્યું. આ વાયરસના કેસ 2004 થી 2006 અને ફરીથી 2019 માં જોવા મળ્યા હતા. આ વાયરસનું કેન્દ્ર માત્ર થોડા જ રાજ્યોમાં જોવા મળ્યું છે – આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત.

આ વાયરસ વિશે વૈજ્ઞાનિકોએ શું કહ્યું?

હવે આ ચાંદીપુરા વાયરસ વિશે એવું કહેવાય છે કે તે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ વાયરસ એડીસ દ્વારા ફેલાય છે જે મચ્છરમાં હોય છે. નિષ્ણાતો ચાંદીપુરાને આરએનએ વાયરસ માને છે. આ વાયરસની મહત્તમ અસર 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળે છે. જે પણ મૃત્યુ થયા છે, તે આ વયજૂથમાં જોવા મળ્યા છે. મોટી વાત એ છે કે અત્યાર સુધી વૈજ્ઞાનિકો આ ચાંદીપુરા વાયરસ સામે કોઈ વાયરલ દવા બનાવી શક્યા નથી.

આ પણ વાંચોઃ- અમદાવાદના ગાંધી રોડ પર જ્વેલર્સની દુકાનમાં લૂંટ વિથ ફાયરિંગ, વેપારીઓમાં ડરનો માહોલ

ચાંદીપુરા વાયરસથી સંક્રમિત છે કે કેમ તે કેવી રીતે જાણી શકાય?

કારણ કે આ વાયરસ વિશે વધુ માહિતી બહાર આવી નથી, તેથી લક્ષણો વિશે વધુ સ્પષ્ટતા નથી. પરંતુ આ વાયરસથી સંક્રમિત મળી આવેલા તમામ દર્દીઓમાં ફ્લૂ જેવા લક્ષણો જોવા મળ્યા છે. આ વાયરસથી સંક્રમિત લોકોમાં એન્સેફાલીટીસ પણ જોવા મળે છે, મગજમાં સોજાની ફરિયાદ પણ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ