પુત્ર પર હુમલો કર્યા બાદ ઇસ્લામ કબૂલવાની ધમકી આપનાર દલિત કોંગ્રેસી નેતા વિરુદ્ધ સ્ટેટ ટેરરિઝમ એક્ટ હેઠળ કેસ નોંધાયો

Congress Dalit leader Raju Solanki GUJCTOC Case : ગોંડલના ધારાસભ્ય ગીતા જાડેજા અને તેમના પતિ વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે ઈસ્લામ અંગીકાર કરવની ધમકી આપનાર કોંગ્રેસ દલિત નેતા રાજેશ સોલંકી ઉર્ફે રાજુ સોલંકી વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (GUJCTOC) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો

Congress Dalit leader Raju Solanki GUJCTOC Case : ગોંડલના ધારાસભ્ય ગીતા જાડેજા અને તેમના પતિ વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે ઈસ્લામ અંગીકાર કરવની ધમકી આપનાર કોંગ્રેસ દલિત નેતા રાજેશ સોલંકી ઉર્ફે રાજુ સોલંકી વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (GUJCTOC) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Congress Dalit leader Raju Solanki GUJCTOC Case

કોંગ્રેસના દલિત નેતા રાજુ સોલંકી GUJCTOC કેસ

ગોપાલ કટેશીયા : કોંગ્રેસના દલિત નેતા રાજેશ ઉર્ફે રાજુ સોલંકીએ તેમના પુત્ર પર કથિત હુમલાના કેસમાં ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતા જાડેજા અને તેમના પતિ સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઈસ્લામ ધર્મ અંગીકાર કરવાની ધમકી આપી હતી. હવે આ ધમકીના ત્રણ અઠવાડિયા પછી, રાજેશ અને તેના પરિવારના ચાર સભ્યો સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (GUJCTOC) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. રાજેશ અને તેના પરિવારના ચાર સભ્યો પર 2014 થી કથિત રીતે ક્રાઈમ ગેંગ ચલાવવાનો આરોપ છે, પોલીસે શનિવારે જણાવ્યું હતું.

Advertisment

જૂનાગઢ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર જે.જે.પટેલની ફરિયાદના આધારે સંગઠિત ગુના અને આર્મ્સ એક્ટ સંબંધિત ગુજકોટ એક્ટની કલમ 3(1)(2), 3(4) હેઠળ શનિવારે સવારે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

પટેલે તેની ફરિયાદમાં આરોપી તરીકે રાજુ, તેના ભાઈ જયેશ ઉર્ફે જાવો ઉર્ફે સાવન સોલંકી, તેના પુત્રો સંજય અને દેવ અને ભત્રીજા યોગેશ બગડાના નામ આપ્યા છે.

પોલીસે બાદમાં રાજુ, તેના બે પુત્રો અને ભત્રીજાની ધરપકડ કરી હતી. ડોક્ટરની હત્યાના પ્રયાસના કેસમાં જયેશ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ફરિયાદ મુજબ, આ પાંચેય શખ્સો છેલ્લા 10 વર્ષથી હત્યાનો પ્રયાસ, પોલીસકર્મીઓ પર હુમલો, ચોરી, લૂંટ, રાયોટીંગ, ખંડણી, અપહરણ, ફોજદારી ધાકધમકી વગેરે જેવા ગુનાઓમાં સંડોવાયેલા હતા.

Advertisment

એફઆઈઆરમાં રાજુ સામે અગાઉ નોંધાયેલા 10 ફોજદારી કેસોની યાદી છે અને તે કહે છે કે, તે કોંગ્રેસના જૂનાગઢ એકમના એસસી/એસટી સેલના પ્રમુખ પણ છે. FIR મુજબ, જયેશ, સંજય, યોગેશ અને દેવ વિરુદ્ધ અનુક્રમે નવ, છ, ત્રણ અને બે કેસ નોંધવામાં આવ્યા હતા.

GUJCTOC એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓ બિનજામીનપાત્ર છે અને પોલીસ આરોપીના સતત 30 દિવસના રિમાન્ડ મેળવી શકે છે. કાયદા હેઠળ, પોલીસને ચાર્જશીટ દાખલ કરવા માટે છ મહિનાનો સમય મળે છે, દંડની જોગવાઈઓમાં આજીવન કેદ અને મિલકતની જપ્તીનો પણ સમાવેશ થાય છે, જે ગુનાની આવક છે અને પોલીસ અધિકારીઓ સમક્ષ કરેલી કબૂલાત પુરાવા તરીકે સ્વીકાર્ય હોય છે.

જુનાગઢ કલેક્ટર ઑફિસમાંથી જુનાગઢ કલેક્ટર ઑફિસમાંથી તેણે અને અન્ય લોકોએ ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે આવેદનપત્ર એકત્ર કર્યાના ત્રણ અઠવાડિયા પછી રાજુ સામેનો કેસ આવ્યો છે. રાજુએ માંગ કરી હતી કે, શાસક ભાજપ તેના ધારાસભ્ય ગીતાબાનું રાજીનામું માંગે અને આ વર્ષે 30 અને 31 મેની રાત્રે તેમના પુત્ર સંજય પર કથિત રીતે હુમલો કરવા બદલ હત્યાના પ્રયાસ અને અપહરણના કેસમાં તેમના પતિ જયરાજ સિંહની ધરપકડ કરે, જેની ફરિયાદ અપહરણ પછી નોંધવામાં આવી હતી, આ કેસમાં ગીતાબાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંહ ઉર્ફે ગણેશ અને અન્ય 10 લોકોની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી.

રાજુએ ધમકી આપી હતી કે, જો રાજ્ય સરકાર આ વર્ષે 15 ઓગસ્ટ સુધીમાં તેની માંગ નહીં સ્વીકારે તો તે અને તેના પરિવારના સભ્યો ઇસ્લામ અંગીકાર કરી લેશે. આ કેસ "પ્રતિશોધાત્મક કાર્યવાહી" હોવાના આક્ષેપોને નકારી કાઢતા, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે, "ધારાસભ્યના પુત્ર સામે કેસ નોંધાયા પછી પાંચ આરોપીઓ સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યા ન હતા.

આ સિવાય રાજેશ સહિતના આ આરોપીઓએ એક ગેંગ બનાવી હતી. રાજુની ગુનાહિત પ્રવૃતિઓને કારણે અગાઉ પણ તેને જૂનાગઢમાંથી હાંકી કાઢવાની દરખાસ્તો કરવામાં આવી હતી, પરંતુ તે આગળ વધી ન હતી. કેસોના નજીકના વિશ્લેષણ પર, અમને જાણવા મળ્યું કે, તમામ આરોપીઓ એક ગેંગ તરીકે કામ કરતા હતા અને રાજુ તેમનો લીડર હતો. તેથી, તેમની સામે ગુજક્ટોક એક્ટનો કેસ પ્રતિશોધાત્મક કાર્યવાહી છે તે સૂચન સાચું નથી." એસપીએ જણાવ્યું હતું.

સંજય સાથે જોડાયેલો હાઇ-પ્રોફાઇલ કેસ હોવા છતાં, રાજુની ગેંગે તેની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. "જયેશ અને અન્ય ત્રણની 11 જૂને ધરપકડ કરવામાં આવી હતી. જૂના વિવાદમાં તબીબ પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ડૉક્ટર ગંભીર રીતે ઘાયલ થયા હતા અને હજુ પણ હોસ્પિટલમાં છે. ત્યાર બાદ જયેશ એક મહિનાથી વધુ સમય સુધી ફરાર રહ્યો હતો. આખરે ત્રણ દિવસ પહેલા એલસીબી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી." મહેતાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો - વડોદરા હાઈવે પર વિચિત્ર અકસ્માત : વાઘોડિયાના જરોદ ગામ પાસે બે ટ્રક પલટી જતાં ત્રણ વાહનો કચડાયા, બેના મોત

અગાઉ, જૂનાગઢ પોલીસે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ, નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયાના જૂનાગઢ શહેર એકમના પ્રમુખ સંજય પરના હુમલામાં 11 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. (NSUI) “અમે અપહરણ અને હત્યાના પ્રયાસની નિષ્પક્ષ તપાસ હાથ ધરી છે. મહેતાએ જણાવ્યું હતું કે, "અમને પૂરતા પુરાવા મળ્યા છે કે, પીડિતનું જૂનાગઢમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું અને થોડા કલાકો પછી તેને છોડી દેવામાં આવી હતી, તેથી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે."

ગુજરાતી ન્યૂઝ ગુજરાત સરકાર ગુજરાત પોલીસ ગુજરાત