/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/CR-Patil.jpg)
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ
CR Patil and bjp leaders Defamation case : સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે વધુ એક વ્યક્તિની ધરપકડ કરી હતી, જેની ઓળખ વિજયસિંહ રાજપૂત તરીકે કરવામાં આવી છે, જે ભાજપના ગુજરાત અધ્યક્ષ સીઆર પાટીલ અને અન્ય પક્ષના નેતાઓને બદનામ કરવાના પ્રયાસમાં તેની કથિત ભૂમિકા બદલ ધરપકડ કરવામાં આવી છે.
અગાઉ મંગળવારે ક્રાઈમ બ્રાન્ચે પાટીલને બદનામ કરવામાં ભૂમિકા બદલ ભાજપના નેતા અને ગણપત વસાવાના પીએ રાકેશસિંહ સોલંકી અને તેના બે સાથી ખુમાનસિંહ પટેલ અને દીપુ ઉર્ફે સોનુ યાદવની ધરપકડ કરી હતી. જોકે બાદમાં ત્રણેયને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
ત્રણેયને શનિવારે ભાજપના સુરત પ્રમુખ ભરત રાઠોડે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા
ઉલ્લેખનીય છે કે, સુરત સ્થિત ભારતીય જનતા યુવા મોરચા પાર્ટીના સેક્રેટરી નિલેશ ઠાકોરે 24 જુલાઈના રોજ અમદાવાદ સ્થિત પ્રોપર્ટી ડીલર્સ જીનેન્દ્ર શાહ અને વિજયસિંહ રાજપૂત વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. આ બંનેએ રાજ્ય બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલ પાસેથી 8 કરોડ રૂપિયાની ખંડણી કરવાનો પ્રયાસ કર્યો હતો.
એફઆઈઆરની વિગતો મુજબ, ઠાકોરે આરોપ લગાવ્યો હતો કે, ગયા વર્ષે 30 ઓગસ્ટે તેમને એક વોટ્સએપ વીડિયો મેસેજ મળ્યો હતો, જેમાં પાટીલ અને 80 કરોડ રૂપિયાનો ઉલ્લેખ હતો.
ક્લિપમાં જિનેન્દ્ર શાહ કથિત રીતે ભાજપ અને પાટીલ વિરુદ્ધ બોલતા જોવા મળ્યા હતા. તેણે કથિત રીતે કહ્યું કે, તેણે ગત વિધાનસભા ચૂંટણીમાં 80 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા અને આ રકમ પાર્ટી ફંડમાં આપી હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે, "મને ફાળવવામાં આવેલા બૂથ પર" 60 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. તેમણે પાર્ટી ફંડ માટે એકત્ર કરાયેલા નાણાંમાંથી "જો તેમને રૂ. 8 કરોડનો હિસ્સો આપવામાં નહીં આવે તો" પક્ષને બદનામ કરવાની ધમકી આપી હતી. ક્લિપમાં આરોપીઓ દ્વારા આપવામાં આવેલી કથિત ધમકીનો પણ ઉલ્લેખ છે.
પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 384 (ખંડણી), 469 (પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદાથી બનાવટી), 500 (બદનક્ષી માટે સજા), 501 (બદનક્ષી બાબત છાપવી અથવા ફેલાવવી), 504 (ઉશ્કેરવા માટે ઈરાદાપૂર્વક અપમાન) સહિત શાહ અને રાજપૂત સામે શાંતિનો ભંગ ગુનો નોંધ્યો છે.
બાદમાં ક્રાઈમ બ્રાંચે શાહની 27 જુલાઈએ અમદાવાદથી ધરપકડ કરી, તેને સુરત લાવી અને જિલ્લા કોર્ટમાં રજૂ કર્યો. 29મી જુલાઈ સુધીના રિમાન્ડ દરમિયાન શાહે ભાજપના કેટલાક નેતાઓ અને તેમના સહયોગીઓના નામ જાહેર કર્યા હતા, જેઓ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. બાદમાં શાહને ન્યાયિક કસ્ટડીમાં સુરત સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે શાહ અને તેની પત્નીના નામના આસામના બે ચૂંટણી ઓળખ કાર્ડ પણ કબજે કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, કાર્ડ ચેક કરતાં તે નકલી હોવાનું જણાયું હતું, જેના પગલે મોરબી પોલીસ સ્ટેશનમાં બંને સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. શાહે સુરત પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, રાજપૂતે તેમને ચૂંટણી કાર્ડ આપ્યા હતા.ૉ
આ પણ વાંચો - સી.આર. પાટીલ સહિત નેતાઓને બદનામ કરતી પત્રિકા મામલો: ગણપત વસાવાના PA સહિત ત્રણની ધરપકડ, શું છે મામલો?
શાહના ખુલાસા બાદ વિજયસિંહ રાજપૂત ઉર્ફે વિજય ટાંકની શુક્રવારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેની તલાશી લેતા તેના કબજામાંથી એક પિસ્તોલ મળી આવી હતી, જેના પગલે આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
તેને સુરત લાવી જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે, કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. તેણે કહ્યું કે, રાજપૂતે થોડા મહિના પહેલા શાહ માટે એક હોટેલ બુક કરાવી હતી, જ્યાં પાટીલ પાસેથી ખંડણીનો કથિત વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો. તેમણે એવો પણ ખુલાસો કર્યો હતો કે, ભાજપની છબી ખરાબ કરવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us