Biparjoy Cyclone Effect | બિપરજોય વાવાઝોડું બન્યું વિનાશક, 4000 થી વધુ વીજ પોલ ધ્વસ્ત, કચ્છ-સૌરાષ્ટ્રમાં અંધારપટ, હજારો વૃક્ષો ઉખડ્યા, જાણો ક્યાં કેટલી થઈ અસર?

Cyclone in Gujarat, Biparjoy live : બિપરજોયે પોતાનું રૌદ્રસ્વરૂપ દેખાડ્યું હતું. બિપરજોયે આ વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી. ભારે પવનના કારણે ઠેકઠેકાણે ઝાડ ઉખડી ગયા હતા. વીજળી વ્યવસ્થા ખોરવાઈ હતી.

Written by Ankit Patel
Updated : June 16, 2023 12:22 IST
Biparjoy Cyclone Effect | બિપરજોય વાવાઝોડું બન્યું વિનાશક, 4000 થી વધુ વીજ પોલ ધ્વસ્ત, કચ્છ-સૌરાષ્ટ્રમાં અંધારપટ, હજારો વૃક્ષો ઉખડ્યા, જાણો ક્યાં કેટલી થઈ અસર?
બિપરજોય વાવાઝોડાની અસર

Biparjoy Cyclone landfall effect Gujarat : ચક્રવાતી વાવાઝોડું બિપરજોય ગુરુવારે સાંજે કચ્છના જખૌ પાસે ટકરાયું હતું. ત્યારબાદ બિપરજોયે પોતાનું રૌદ્રસ્વરૂપ દેખાડ્યું હતું. બિપરજોયે આ વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી. ભારે પવનના કારણે ઠેકઠેકાણે ઝાડ ઉખડી ગયા હતા. વીજળી વ્યવસ્થા ખોરવાઈ હતી. એક હજારથી વધારે ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાવાઝોડાના કારણે થયેલા નુકસાન અને સ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યા છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પળેપળની જાણકારી મેળવી રહ્યા છે. બિપરજોયની ટક્કર સમેય કચ્છમાં 125 કિમી પ્રતિકલાકની ઝડપે હવા ચાલી હતી. જેનાથી ખુબ જ નુકસાનની આશંકા સેવાઇ રહી છે.

સમુદ્ર તટ વિસ્તાર જેવાકે જખૌ, કોટેશ્વર, નારાયણ સરોવર વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા હતા. પ્રભાવિત વિસ્તારોમાંથી 1 લાખ લોકોને સેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. એનડીઆરએફની 19 ટીમો પણ તૈનાત છે.

બિપરજોય વાવાઝોડાના કારણએ કચ્છ અને સૌરાષ્ટ્રના 1100 ગામોમાં વીજળી ગુલ

બિપરજોય વાવાઝોડાના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના કારણે ભારે તારાજી સર્જાઈ છે. બિપરજોયના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના 2550 જેટલા ફીડર ઠપ થઈ ગયા છે જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં અંધારપટ છવાયો છે. આ ઉપરાંત વાવાઝોડાના સંભવિત અસરવાળા કચ્છ અને સૌરાષ્ટ્રના 11 જેટલા જિલ્લાઓમાં 1100 ગામોમાં વીજળી પુરવઠો ખોરવાયો છે. કચ્છ અને સૌરાષ્ટ્રના 4000થી વધુ વીજપોલને નુકસાન પહોંચ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.

વાવાઝોડું કચ્છ સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ લાવ્યું

જામનગર અને દેવભૂમિ દ્વારકામાં, કચ્છના અખાત દ્વારા કચ્છ જિલ્લામાંથી અલગ પડેલા જિલ્લાઓ, કુલ 526 ગામો વીજળી વિનાના છે. કચ્છમાં 406 ગામો વીજ વિહોણા હતા. પોરબંદરમાં પણ 109 ગામો અંધારપટનો સામનો કરી રહ્યા છે. રાજકોટ જિલ્લાને બચાવો, બે પ્રદેશોના અન્ય 11 જિલ્લાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જેમાં દરિયાકાંઠાના મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને કચ્છ અને બોટાદ, સુરેન્દ્રનગર જેવા અંતરિયાળ જિલ્લાઓનો સમાવેશ થાય છે.

ચક્રવાતે 4038 વીજ થાંભલા ધરાશાયી કર્યા

કંપનીએ જણાવ્યું હતું કે ચક્રવાતે 4038 વીજ થાંભલા ધરાશાયી કર્યા હતા, જેના કારણે 2102 ગ્રામીણ ફીડર, 76 શહેરી ફીડર, 45 ઔદ્યોગિક ફીડર અને 324 કૃષિ ફીડર સહિત 2547 વીજ ફીડરમાં પાવર નિષ્ફળતા સર્જાઈ હતી. 186 જેટલા પાવર ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે, તેમ પ્રકાશનમાં ઉમેર્યું હતું.

બિપરજોય વાવાઝોડું ફૂંકાતાં કચ્છ સૌરાષ્ટ્ર બેહાલ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ 1521 થાંભલાને નુકસાન થયું હતું, ત્યારબાદ જૂનાગઢ (909 પોલ), પોરબંદર (621) અને અમરેલી (274) થાંભલાને નુકસાન થયું હતું. કચ્છમાં 187 પોલ ધરાશાયી થયાના અહેવાલ છે.

ગુજરાતના આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલ જેઓ ભુજમાં કેમ્પ કરી રહ્યા છે તેમણે કહ્યું હતું કે PGVCL એ ક્ષતિગ્રસ્ત થાંભલાઓને બદલવા માટે 35 વીજળીના થાંભલાઓ અનામત રાખ્યા છે અને ઉમેર્યું હતું કે હોસ્પિટલો અને અસ્થાયી ચક્રવાત આશ્રયસ્થાનોમાં ઇમરજન્સી ઉપયોગ માટે પાવર જનરેટર સેટ મૂકવામાં આવ્યા છે.

આજે રાજસ્થાનમાં એન્ટ્રી મારશે બિપરજોય

બિપરજોય વાવાઝોડું ગુજરાતને ઘમરોળ્યા બાદ રાજસ્થાનમાં દસ્તક દેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 16 બપોર પછી બિપરજોય વાવાઝોડું નબળું પડશે. રાજસ્થાન તરફ આગળ વધશે. વાવાઝોડાની આંખ અત્યારે પાકિસ્તાન-કચ્છની સીમા પાસે છે. અહીં વાવાઝોડાની ગતિ બનળી પડીને 70 કિમી પ્રતિ કલાક થઈ ગઈ છે. રાજસ્થાનમાં પ્રભાવિત વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મોટા નુકસાનની આશંકા

બિપરજોયના કારણે મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડાની ગુજરાતના તટ વિસ્તારમાં ટક્કરથી ભારે પવનના કારણએ ઝાડ, હોર્ડિંગ્સ ઉખડી ગયા હતા. અનેક વીજળીના થાંભલા પણ પડી ગયા હતા. જેના પગલે વીજ સપ્લાય પણ બંધ કરવામાં આવ્યો હતો. હજી સુધી નુકસાનનીનો સંપૂર્ણ પણે સર્વે કરવામાં આવ્યો નથી. જોકે, માનવામાં આવી રહ્યું છે કે બિપરજોય વાવાઝોડાના કારણે ભારે નુકસાન પહોંચ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે લેન્ડફોલ ખતમ થઈ શકે છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાહત અને બચાવ કાર્યો માટે એનડીઆરએફની 15 ટીમો, એસડીઆરએફની 12 ટીમોની સાથે ભારતીય સેના, નૌસેના, વાયુસેના, ભારતીય કોસ્ટ ગાર્ડ અને બીએસએફના કર્મીઓ તૈનાત કરવામાં આવ્યો હતો. હવામાન વિભાગ પ્રમાણે ચક્રવાત ખતમ થયા બાદ વરસાદ ચાલું રહેશે.

IAFની ક્વિક રિએક્શન ટીમ પણ સ્ટેન્ડબાય મોડ પર

બિપરજોયથી મચેલી તબાહી બાદ રેસ્ક્યૂ ઓપરેશનમાં એરફોર્સને પણ સામેલ કરવામાં આવશે. ઇન્ડિય એર ફોર્સની ક્લિક રિએક્શન ટીમ, મેડિકલ આસિસ્ટન્ટ ટીમ અને ગુરુડ કમાંડો પણ સ્ટેન્ડ બાય પર છે. ચક્રવાતી તુફાનના પગલે ભારતીય વાયુસેનાએ દક્ષિણ પશ્વિમી વાયુ કમાને કહ્યું કે ગુજરાત સરકાર અને ગુજરાતના નાગિરક પ્રશાસન સાથે મળીને કામ થઈ રહ્યું છે.

18 જૂન સુધી 99 ટ્રેનો રદ્દ

ચક્રવાત બિપરજોયની અસર રેલવે સેવાઓ પર પણ પડી હતી. જે વિસ્તારોમાં બિપરજોયની અસર છે તે વિસ્તારોમાં પસાર થનારી અથવા ટર્મિનેટ થનારી 99 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. વધુ 23 ટ્રેનોને પણ રદ્દ કરવામાં આવી છે. 3 ટ્રેનોને શોર્ટ ર્મિનેટ કરવામાં આવી છે. 7 ટ્રેનોને શોર્ટ ઓરજિનેટ કરવામાં આવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ