Cyclone Biparjoy Live Updates: બિપરજોય વાવાઝોડાની અસર : દ્વારકાના દરિયાનું રૌદ્ર સ્વરૂપ, યાત્રાધામ હર્ષદની બજારમાં પાણી ઘૂસ્યા

Cyclone Biparjoy Updates : ગુજરાત (Gujaratr) પર ચક્રવાત બિયજોયનું સંકટ કેવું રહેશે? હવામાન વિભાગે (IMD) શું આગાહી (Forecast) કરી છે? તો જોઈએ વેધર રિપોર્ટ (Weather Report)

Cyclone Biparjoy Updates : ગુજરાત (Gujaratr) પર ચક્રવાત બિયજોયનું સંકટ કેવું રહેશે? હવામાન વિભાગે (IMD) શું આગાહી (Forecast) કરી છે? તો જોઈએ વેધર રિપોર્ટ (Weather Report)

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Cyclone Biparjoy Live Updates

ગુજરાત (Gujaratr) પર ચક્રવાત બિયજોયનું સંકટ (photo – IMD)

Cyclone Biparjoy Gujarat IMD update : ચક્રવાત બિપરજોય જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યુ છે તેમ તેમ જેની ભયંકર અસર વર્તાઇ રહી છે. ચક્રવાત બિપરજોયની અસરે દરિયાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાનું શરૂ થઇ ગયુ છે. આ વાવાઝોડું 15 જૂન સૌરાષ્ટ્ર – કચ્છ અને પાકિસ્તાની દરિયા કિનારે ત્રાટકી શકે છે. ચક્રવાત જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યુ છે તેમ તેમ દરિયા કિનારાના વિસ્તારોમાં ઝડપી પવન ફુંકાવાનું શરૂ થઇ ગયુ છે.

Advertisment

વરિષ્ઠ મંત્રીઓને અલગ-અલગ જિલ્લાઓની જવાબદારી સોંપી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત બિપરજોય વાવાઝોડાની અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. જેમાં કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લામાં મુળુ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે.આ બધા જ મંત્રીઓને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી છે.

  • Jun 11, 2023 23:56 IST

    — India Meteorological Department (@Indiametdept) June 11, 2023



  • Jun 11, 2023 23:55 IST

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જિલ્લા તંત્રના આપત્તિ વ્યવસ્થાપન અને સજ્જતાની સમીક્ષા કરી

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લા કલેક્ટરો સાથે બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરો સામે જિલ્લા તંત્રના આપત્તિ વ્યવસ્થાપન અને સજ્જતાની સમીક્ષા કરી મહત્વપૂર્ણ દિશાનિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રીએ વીજળી, પાણી, દવાઓ જેવી આવશ્યક વસ્તુઓના પુરવઠાને જો અસર પહોંચે તો તત્કાલ પુન:સ્થાપન માટેની ટીમ, પંપિંગ મશીન્સ, જનરેટર્સ સહિતની જરૂરી વ્યવસ્થાઓ તૈયાર રાખવા પણ સૂચનો કર્યા હતા.

    અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ અને આર્મી સાથે સંકલન સાધી આ એજન્સીઓને આપદા પ્રબંધન માટે સ્ટેન્ડબાય પર રાખેલ છે. આ ઉપરાંત, NDRF ની 7 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે તેમજ 3 ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે. SDRFની 12 ટીમ પણ જરૂરિયાતવાળા વિસ્તારોમાં પહોંચવા સજ્જ રાખવામાં આવેલ છે.



  • Advertisment
  • Jun 11, 2023 23:44 IST

    પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ માતાજી ખાતે દરિયાનું પાણી રોડ પર આવી ગયું

    બિપરજોય વાવાઝોડાની અસર રાજ્યના દરિયા કાંઠે જોવા મળી રહી છે. પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ માતાજી ખાતે દરિયાનું પાણી રોડ પર આવી ગયું છે. હર્ષદ ખાતે દરિયામાં કરંટ દેખાયા બાદ દરિયાનાં પાણી રસ્તા પર આવી ગયા છે. અહીં અનેક દુકાનો સુધી પાણી ઘૂસ્યા છે.



  • Jun 11, 2023 22:03 IST

    સૌરાષ્ટ્ર-કચ્છમાં એલર્ટ

    — India Meteorological Department (@Indiametdept) June 11, 2023



  • Jun 11, 2023 21:56 IST

    જૂનાગઢ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં 12 અને 13 જૂને રજા

    જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર દ્વારા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 12 અને 13 જૂન એમ બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. આ રજાઓ દરમિયાન શાળાના આચાર્ય અને સ્ટાફે હાજર રહેવાનું રહેશે.



  • Jun 11, 2023 20:51 IST

    15 જૂને વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાય તેવી સંભાવના

    અરબી સમુદ્રમાં 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. 15 જૂને બપોરે 2 વાગ્યાની આસપાસ કચ્છ-સૌરાષ્ટ્રમાં વાવાઝોડું ટકરાય તેવી શક્યતા છે. વાવાઝોડું જ્યારે ટકરાશે ત્યારે પવનની ગતિ 125થી 150 કિમી રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છનાં કાંઠા વિસ્તારમાં તોફાનની તીવ્ર ગતિ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનો પ્રભાવ રહેશે. 14 તારીખે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 14 જૂને રાજકોટ, ભાવનગર, જુનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવલખી, માંડવી, ઓખા બંદર, બેડી, મુંદ્રા, જખૌ બંદર પર ચાર નંબરનું સિગ્નલ લગાવાયું છે.

    રવિવારે સાંજે સાડા પાંચ વાગ્યે વાવાઝોડું પોરબંદરથી 400 કિલોમીટર, દ્વારકાથી 440 અને નલિયાથી 530 કિલોમીટર દૂર છે. હવે ધીમે ધીમે નજીક આવી રહ્યું છે



  • Jun 11, 2023 20:03 IST

    બિપરજોય ચક્રવાતની ગુજરાતમાં અસર શરૂ, આ વિસ્તારોમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી

    અરબી સમુદ્રમાં સક્રિય બનેલા વાવાઝોડા બિપરજોયની અસર ગુજરાતમાં દેખાવા લાગી છે. રાજ્યના કેટલાક ભાગમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના તેમજ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે.



  • Jun 11, 2023 18:10 IST

    મુંબઈમાં દરિયામાં મોજા ઉછળ્યા

    — ANI (@ANI) June 11, 2023



  • Jun 11, 2023 16:09 IST

    Cyclone Biparjoy Pakistan: પાકિસ્તાનમાં ચક્રવાત બિપરજોયનો કહેર, 24 લોકોના મોત : ગુજરાતના સૌરાષ્ટ- કચ્છમાં યલો એલર્ટ

    Cyclone Biparjoy on Pakistan & Gujarat : પાકિસ્તાનના મીડિયા અહેવાલ અનુસાર ચક્રવાતની અસરે ભારે વરસાદ પડતા 24 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારે યલો એલર્ટ જારી કર્યું છે (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)



  • Jun 11, 2023 16:01 IST

    ગુજરાતના દ્રારકાના દરિયાનો નજારો

    — ANI (@ANI) June 11, 2023



  • Jun 11, 2023 15:53 IST

    સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ એલર્ટ

    — India Meteorological Department (@Indiametdept) June 11, 2023



  • Jun 11, 2023 15:45 IST

    વાવાઝોડાના સંકટ સામે ગુજરાત સરકારની તૈયારી, વરિષ્ઠ મંત્રીઓને અલગ-અલગ જિલ્લાઓની જવાબદારી સોંપી

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત બિપરજોય વાવાઝોડાની અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. જેમાં કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લામાં મુળુ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે.આ બધા જ મંત્રીઓને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી છે.



  • Jun 11, 2023 15:41 IST

    દરીયા કિનારાના 6 જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ

    રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત વ્યાપક અસરને અનુલક્ષીને દરીયા કિનારાના 6 જિલ્લા દ્વારકા, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગર અને જૂનાગઢમાં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ શાળા પ્રવેશોત્સવ હવે ત્રણ ને બદલે બે દિવસ એટલે કે 12 અને 13 જૂનના દિવસોએ યોજાશે.



  • Jun 11, 2023 15:38 IST

    ગુજરાતમાં ચક્રવાત બિપરજોયનું સંકટ

    ગુજરાતમાં આવી રહેલા ચક્રવાત બિપરજોય વિશે પળે-પળેની માહિતી આપી રહ્યા છીએ.



cyclone biparjoy વાવાઝોડું ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત