AAPએ અદાણી ગ્રૂપ સામે JPC તપાસની માંગ કરી, તો બજરંગ દળે અમદાવાદનું નામ બદલવાનો ફરી પુનરોચ્ચાર કર્યો

Gujarat Politics : અદાણી ગ્રુપ (Adani Group) સામેના આરોપની જેપીસી (JPC) માંગ સાથે ગુજરાત આપે (Gujarat AAP) રેલી યોજી તો બજરંગ દળે (Bajarang Dal) ફરી અમદાવાદ (Ahmedabad) નું નામ કર્ણાવતી (Karnavati) કરવાનો રાગ આલોપ્યો.

Gujarat Politics : અદાણી ગ્રુપ (Adani Group) સામેના આરોપની જેપીસી (JPC) માંગ સાથે ગુજરાત આપે (Gujarat AAP) રેલી યોજી તો બજરંગ દળે (Bajarang Dal) ફરી અમદાવાદ (Ahmedabad) નું નામ કર્ણાવતી (Karnavati) કરવાનો રાગ આલોપ્યો.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

અદાણી ગ્રુપ સામે જેપીસી તપાસની આપની માંગ - તો બજરંગ દળે કર્ણાવતી નામ માટેની ફરી માંગ કરી (ફોટો - નિર્મલ હરિન્દ્રન અને ટ્વીટર)

Gujarat Politics : આમ આદમી પાર્ટી (AAP) ના ગુજરાત એકમે રવિવારે અદાણી ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપ સામેના વિવિધ આરોપોની સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની તપાસની માંગ સાથે રેલી યોજી હતી.

Advertisment

અમદાવાદ શહેરના આશ્રમ રોડ સ્થિત કાર્યાલયથી સાબરમતી આશ્રમ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ કહ્યું, "અમે બાપુ (મહાત્મા ગાંધી)ને પ્રાર્થના કરીએ છીએ કે, તેઓ ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થોડી શાણપણ આપે અને (ગૌતમ) અદાણી સામે તપાસ કરે… અને પગલાં લેવા (જેથી) આવો અન્ય કોઈ ભ્રષ્ટાચાર ન થાય."

પાર્ટીના કાર્યકારી પ્રમુખ જગમાલ વાલા, ગેહના વસરા અને રાજુ સોલંકી સાથે ગુજરાત AAP કાર્યકરોએ પણ રેલીમાં ભાગ લીધો હતો.

અમદાવાદનું નામ બદલવું: બજરંગ દળે કર્ણાવતીની માંગણીનો પુનરોચ્ચાર કર્યો

દક્ષિણપંથી સંગઠન બજરંગ દળે રવિવારે તેની દ્વિ-વાર્ષિક બેઠકના બીજા દિવસે અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો હતો.

Advertisment

મીટિંગ બાદ મીડિયાને સંબોધતા, બજરંગ દળના રાષ્ટ્રીય કન્વીનર નીરજ ડોનેરિયાએ કહ્યું કે, “1984 થી કર્ણાવતી નામની માંગ છે, જ્યારે આ કર્ણાવતી (અમદાવાદ) શહેરમાં બજરંગ દળની એક પાંખની સ્થાપના કરવામાં આવી હતી. સત્તાવાર દસ્તાવેજોમાં શહેરનું નામ 'કર્ણાવતી'ના પહેલાના નામમાં પુનઃસ્થાપિત થવું જોઈએ.

આ પણ વાંચો - Gujarat politics : ગુજરાત કોંગ્રેસને ઝટકો, અમૂલ ડેરીના ચાર ડિરેક્ટરો ભાજપમાં જોડાયા

બજરંગ દળ "દેવ-ભક્તિ" થી "દેશ-ભક્તિ" તરફ પ્રગતિ કરી રહ્યું હોવાનો દાવો કરીને, ડોનેરિયાએ દેશમાં સમાન નાગરિક સંહિતાના અમલીકરણને પણ સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે, સંતુલન જાળવવું જરૂરી છે.

ગુજરાતી ન્યૂઝ ગુજરાત Express Exclusive આપ