ગુજરાત AAP નેતા ચૈતર વસાવા : 'ભાજપનું UCC પગલું આદિવાસી સમાજને નિશાન બનાવી રહ્યું, હું આપ છોડવા પણ તૈયાર'

Gujarat AAP leader Chaitar Vasava interview : ગુજરાતના આપ નેતા ચૈતર વસાવાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં યુસીસી બીલ અને અરવિંદ કેજરિવાલ દ્વારા આ યુસીસી બીલને સમર્થનને લઈ આદિવાસી સમાજને થવા જઈ રહેલા નુકશાન અંગે પોતાની પ્રતિક્રિયા આપી.

Gujarat AAP leader Chaitar Vasava interview : ગુજરાતના આપ નેતા ચૈતર વસાવાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં યુસીસી બીલ અને અરવિંદ કેજરિવાલ દ્વારા આ યુસીસી બીલને સમર્થનને લઈ આદિવાસી સમાજને થવા જઈ રહેલા નુકશાન અંગે પોતાની પ્રતિક્રિયા આપી.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
ucc bill | Gujarat AAP | Chaitar Vasava

યુસીસી બીલ - ગુજરાત આપ નેતા ચૈતર વસાવા ઇન્ટરવ્યુ

અદિતી રાજા : આમ આદમી પાર્ટી (AAP) ના ગુજરાત એકમના કાર્યકારી પ્રમુખ ચૈતર વસાવા (35) એ ધમકી આપી છે કે, જો તેના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આદિવાસીઓને આમાંથી છૂટ્ટીની ખાતરી કર્યા વિના સમાન નાગરિક સંહિતા (UCC) ને સમર્થન આપશે, તો તેઓ પાર્ટી છોડી દેશે. વસાવા, આપના પાંચ ધારાસભ્યોમાંથી એક છે, જેઓ પહેલા ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) માં હતા, તેઓ રાજ્યમાં UCC વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે. તેમણે ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે UCC તરફથી આદિવાસી ઓળખને "ખતરો" અને અન્ય મુદ્દાઓ પર તેની કાર્યવાહી વિશે વાત કરી.

Advertisment

UCC કેવી રીતે આદિવાસીઓને ધમકી આપે છે?

અત્યાચાર અને શિક્ષણના અભાવને કારણે આદિવાસીઓ આજે દયનીય સ્થિતિમાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રોજેક્ટ માટે તેમની પાસેથી જમીન છીનવી લેવામાં આવી છે. સંપાદિત જમીન પર કોમર્શિયલ હોટલો બનાવવામાં આવી રહી છે; ત્યાં કોઈ આદિવાસીને રોજગારી પણ આપવામાં આવી રહી નથી.

UCC ની રજૂઆત આદિવાસીઓના વિશેષ અધિકારો અને સંપત્તિ સંબંધિત ઘણા કાયદાઓને નબળા કરશે. આ કાયદાઓ સમુદાયને સશક્ત બનાવે છે.

આદિવાસીઓના રિવાજો અનોખા છે. આદિવાસી સમુદાય એવા પ્રેમીઓને સામાજિક રીતે સ્વીકારે છે, જેઓ ભાગી જાય છે અને તેમને બાળકો હોય છે. અમારા સમાજમાં વધારે પત્નીઓ રાખવાની પ્રથા છે. અમે વિધવા પુનર્લગ્નને પણ સમર્થન આપીએ છીએ. અમે છોકરીઓ અને છોકરાઓ વચ્ચે પણ તફાવત કરતા નથી; આદિવાસીઓમાં સેક્સ રેશિયો ઘણો સારો છે. અમારા સમાજમાં જમાઈની પ્રથા છે, જેમાં પરિવારમાં પુત્ર ન હોય તો જમાઈ પત્નીના ઘરે આવે છે.

Advertisment

અમારા સમુદાયો ગામડાઓમાં (સભાઓ) વિવાદો અને છૂટાછેડા અંગે નિર્ણય લઈ શકે છે. જો UCC અમલમાં આવશે, તો અમારા કુલદેવતાઓ (પરંપરાગત દેવતાઓ) માટેના અનુષ્ઠાન, વિધિઓ ભંગ થશે.

આ કાયદો અમારા સમુદાયને આરક્ષણમાં તથા બંધારણમાં આપવામાં આવેલી વિશેષ સત્તાઓ પણ છીનવી લેશે. આનાથી, રાજકારણમાં સમાજનું પ્રતિનિધિત્વ - ગ્રામ પંચાયત સ્તરથી લઈને સંસદસભ્યોના સ્તરથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુધી - સમાપ્ત થઈ જશે.

રાજ્યના અન્ય આદિવાસી નેતાઓ આ સ્ટેન્ડ પર અસંમત છે. તેમણે કહ્યું છે કે, તમે અમુક પ્રથાઓનો બચાવ કરી રહ્યા છે, ખાસ કરીને બહુપત્નીત્વ, તેને તમારું "વ્યક્તિગત હિત" ગણાવી રહ્યા છે.

આ ભાજપના નેતાઓ છે, જેઓ તેમની પાર્ટીની સૂચના મુજબ કામ કરી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે, આદિવાસીઓની સામાજિક પ્રથાઓ અલગ છે અને તેના પર અસર થશે. સમુદાયની ઓળખ ખતમ થઈ જશે.

ભાજપ દ્વારા યુસીસીની દરખાસ્ત લોકસભાની ચૂંટણી પહેલા લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમોને લક્ષ્ય બનાવવા માટે કરવામાં આવી હતી. તેઓ એ સમજતા નથી, તે એ છે કે જો સમુદાયને કાયદાના કાર્યક્ષેત્રની બહાર રાખવામાં નહીં આવે, તો આ દરખાસ્ત ઘણી આદિવાસી બેઠકોમાં પાર્ટીની સંભાવનાઓને નુકસાન પહોંચાડશે.

તમે આ મુદ્દે રાજીનામું આપવાની ધમકી આપી હતી?

હું ઘણા વર્ષોથી ગ્રામીણ વિસ્તારોમાં કામ કરું છું; મારી પાસે ગ્રામીણ કૃષિમાં સ્નાતકની ડિગ્રી છે. હું નર્મદા જિલ્લા પંચાયતનો સભ્ય હતો.

મારી પત્ની શકુંતલા બે ટર્મથી જિલ્લા પંચાયતની સભ્ય રહી છે. ઑક્ટોબર 2022 માં અમારું BTP છોડ્યા પછી પણ તેણીએ તેની પોસ્ટ ચાલુ રાખી.

મેં 2022 માં (ડેડિયાપાડા) વિધાનસભા બેઠક જીતી કારણ કે, આદિવાસી વસ્તી મારા કામમાં વિશ્વાસ કરતી હતી. મેં મારી યુવાની આદિવાસીઓના સામાજિક સશક્તિકરણ માટે સમર્પિત કરી છે. હું આપમાં રહુ કે ન રહુ, મને જનતાનો સાથ મળશે.

AAP એ આદિવાસી સમુદાયના વિરોધને સમર્થન આપવાનું વચન આપ્યું છે. તેઓએ મને વિરોધ કરતાં રોક્યો નથી. UCC સામે અમારો વિરોધ AAPના બેનર હેઠળ પણ છે. જો હું AAP છોડી દઉં તો પણ હું ક્યારેય કોંગ્રેસ અને ભાજપમાં નહીં જોડાઉ - જે બે પાર્ટીઓ સામે હું લડ્યો છું. હું BTP પર પણ પાછો ફરીશ નહીં.

તમે એક સમયે BTPના સૌથી મજબૂત તળિયાના નેતાઓમાંના એક હતા, હવે તમે તે પાર્ટીને કેવી રીતે રેટ કરો છો?

જ્યારે છોટુ દાદા (BTP વડા છોટુભાઈ વસાવા) જનતા દળ (યુનાઈટેડ)માં હતા, ત્યારે મહેશ વસાવા (છોટુભાઈના પુત્ર અને BTP પ્રમુખ) 2002માં દેડિયાપાડા બેઠક પર જીત્યા હતા. 2007માં તેમને માત્ર 13,000 વોટ મળ્યા હતા. પછી તેમને સમજાયું કે, દેડિયાપાડા એવી બેઠક નથી કે, જેના પર તે વિશ્વાસ કરી શકે. જ્યારે હું છોટુ દાદા સાથે મારી ટીમ સાથે યુવા કાર્યકર તરીકે જોડાયો (ક્યારેક 2014 માં), મહેશે ફરીથી ડેડિયાપાડાની મુલાકાત લેવાનું શરૂ કર્યું. પરંતુ, જમીન પર અમે તેમના મુખ્ય સૈનિક હતા. મહેશે ફરીથી 2017 (બીટીપીની રચના થઈ તે વર્ષે) ડેડિયાપાડાથી વિધાનસભા ચૂંટણીમાં ભારે માર્જિનથી જીત મેળવી.

લાંબા સમય પહેલા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, છોટુ દાદા ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લેશે અને 2022ની ચૂંટણી તેમની સલામત બેઠક ઝગડિયા પરથી લડશે નહીં. મહેશ તેની સીટ પરથી અને હું દેડિયાપાડાથી ચૂંટણી લડવાનો હતો. પરંતુ પરિવારમાં વિખવાદ ચાલી રહ્યો હતો.

મને BTP માટે હવે કોઈ ભવિષ્ય દેખાતું નથી કારણ કે, તેમને સમગ્ર રાજ્યમાં (2022ની ચૂંટણીમાં) એક લાખથી પણ ઓછા મત મળ્યા છે.

એવી અટકળો ચાલી રહી છે કે, ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપ AAPને રીઝવવા પ્રયાસ કરી રહી છે.

મારી વ્યક્તિગત રીતે લોકસભાની બેઠક માટે તાત્કાલિન કોઈ મહત્વાકાંક્ષા નથી. જો AAP મને ચૂંટણી લડવાનું કહેશે, તો હું ચૂંટણી લડીશ. ભાજપમાં જોડાવાની મારી કોઈ યોજના નથી, જેની સામે હું લડું છું.

AAPએ 2022ની ચૂંટણી દરમિયાન જોરદાર પ્રચાર કર્યો હતો. વિધાનસભામાં પાર્ટીના પ્રદર્શનને તમે કેવી રીતે જુઓ છો?

બજેટ સત્ર દરમિયાન AAP નેતાઓએ મહત્વના મુદ્દા ઉઠાવ્યા હતા. જામજોધપુરના હેમંત આહીર, બોટાદના ઉમેશ મકવાણા અને હું અમારા વિસ્તારોમાં પ્રમાણિકતાથી કામ કરી રહ્યા છીએ.

પાંચ વર્ષ પછી આમ આદમી પાર્ટી ક્યાં દેખાય છે?

2027 સુધીમાં, ગુજરાતમાં AAP કેડર અને વિધાનસભામાં પણ તાકાતની દૃષ્ટિએ મોટી હશે. અમારી પહેલી જ ચૂંટણીમાં પાર્ટીને રાજ્યમાં 41 લાખ વોટ મળ્યા હતા. ગુજરાતમાં ત્રીજા રાજકીય પક્ષની કોઈ શક્યતા ન હોવાની ચર્ચા વચ્ચે આ શક્ય બન્યુ હતુ. જો અમને માત્ર ત્રણ-ચાર લાખ મત મળ્યા હોત તો અમે આટલા પ્રેરિત ન હોત.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

સીઆર પાટીલ યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતી ન્યૂઝ politics અરવિંદ કેજરીવાલ ગુજરાત આપ ભાજપ