Accident : મોડાસાથી અમદાવાદ આવતી એમ્બ્યુલન્સમાં આગ, નવજાત સહિત ચાર લોકો જીવતા ભુંજાયા

Ambulance accident near Ahmedabad : મોડાસાથી અમદાવાદ આવતી એમ્બ્યુલન્સ દુર્ઘટનાનો ભોગ બની હતી. એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગતા નવજાત સહિત ચાર લોકો જીવતા ભુંજાયા હતા.

Written by Ankit Patel
November 18, 2025 09:48 IST
Accident : મોડાસાથી અમદાવાદ આવતી એમ્બ્યુલન્સમાં આગ, નવજાત સહિત ચાર લોકો જીવતા ભુંજાયા
અકસ્માતની ફાઈલ તસવીર - Express photo

Today Accident news : ગુજરાતમાં આજે મંગળવારે વહેલી સવારે દર્દનાક ઘટના બની હતી. મોડાસાથી અમદાવાદ આવતી એમ્બ્યુલન્સ દુર્ઘટનાનો ભોગ બની હતી. એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગતા નવજાત સહિત ચાર લોકો જીવતા ભુંજાયા હતા.

મળતી માહિતી મહિસાગર જિલ્લાની એક મહિલાને પ્રસુતિ માટે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહિલાની પ્રસુતિ બાદ બાળકની તબિયત લથડતાં નવજાતને અમદાવાદ ખસેડવામાં આવી રહી હતી. એમ્બ્યુલન્સ મારફતે બાળકને મોડાસાથી અમદાવાદા લાવવામાં આવી રહ્યું હતું.

આ પણ વાંચોઃ- ગુજરાત પોલીસ @100 કલાક: રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ આરોપીનું વિગતવાર ડોઝિયેર તૈયાર કરવા આદેશ

જોકે, આજે વહેલી સવારે મોડાસા-અમદાવાદ રોડ પર રાણાસૈયદ પેટ્રોલપંપ સામે એમ્બ્યુલન્સમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ભીષણ આગના કારણે નવજાત બાળક સહિત પિતા, ડોક્ટર અને નર્સનું કરુણ મોત નીપજ્યું હતું. આમ આ દુર્ઘટનામાં એક નવજાત બાળક સહિત ચાર લોકો જીવતા ભડથું થઈ ગયા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ