ગુજરાત વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે તુષાર ચૌધરીને ખેડબ્રહ્માથી, વિજાપુરથી સીજે ચાવડાને ટિકિટ આપી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : કોંગ્રેસ દ્વારા 33 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી, જિગ્નેશ મેવાણી વડગામ બેઠક પરથી જ લડશે

Written by Ashish Goyal
Updated : November 13, 2022 23:22 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે તુષાર ચૌધરીને ખેડબ્રહ્માથી, વિજાપુરથી સીજે ચાવડાને ટિકિટ આપી
કોંગ્રેસ દ્વારા 33 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે

Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 માટે કોંગ્રેસ દ્વારા 33 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. તુષાર ચૌધરીને ખેડબ્રહ્માથી અને સીજે ચાવડાને વિજાપુરથી ટિકિટ આપવામાં આવી છે. જિગ્નેશ મેવાણી વડગામ બેઠક પરથી જ લડશે. કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં 142 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

બાપુનગરથી હિંમતસિંહ પટેલને, આંકલાવથી અમિત ચાવડાને, થરાદથી ગુલાબસિંહ રાજપૂતને, દાંતાથી કાંતિભાઈ ખરાડીને, વાવથી ગેનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસના 33 ઉમેદવારોની યાદી

ઉમેદવારબેઠક
ગેનીબેન ઠાકોરવાવ
ગુલાબસિંહ રાજપૂતથરાદ
નાથાભાઈ પટેલધાનેરા
કાંતિભાઈ ખરાડીદાંતા-ST
જીગ્નેશ મેવાણીવડગામ- SC
રઘુ દેસાઈરાધનપુર
દિનેશ ઠાકોરચાણસ્મા
ડૉ. કિરિટ પટેલપાટણ
ચંદનજી ઠાકોરસિદ્ધપુર
ડૉ. સી. જે ચાવડા​​​​​​​વીજાપુર-
તુષાર ચૌધરીખેડબ્રહ્મા-ST
રાજેન્દ્રસિંહ ઠાકોરમોડાસા
બાબુસિંહ ઠાકોરમાણસા
બળદેવજી ઠાકોરકલોલ
રાજેન્દ્ર પટેલવેજલપુર
બળવંત ગઢવીવટવા
રણજીત બારડનિકોલ
વિજય બ્રહ્મભટ્ટઠક્કરબાપાનગર
હિંમત સિંહ પટેલબાપુનગર
ગ્યાસુદ્દીન શેખદરિયાપુર
ઈમરાન ખેડાવાલાજમાલપુર ખાડિયા
શૈલેષ પરમારદાણીલીમડા- SC
દિનેશ મહિડાસાબરમતી
રાજેન્દ્રસિંહ પરમારબોરસદ
અમિત ચાવડાઆંકલાવ
કાન્તીસોઢા પરમારઆણંદ
પુનમભાઈ પરમારસોજીત્રા
ઈન્દ્રજીત સિંહ પરમારમહુધા
ચંદ્રીકાબેન બારૈયાગરબાડા-ST
સત્યજીત સિંહ ગાયકવાડવાઘોડિયા
સંગ્રામસિંહ રાઠવાછોટા ઉદેયપુર- ST
સુખરામભાઈ રાઠવાજેતપુર – ST
બાલકિશન પટેલડભોઈ

આ પહેલા સવારે કોંગ્રેસ દ્વારા 6 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં બળવાખોર મનહર પટેલ બોટાદથી ટિકિટ આપવામાં આવી હતી. મનહર પટેલની ટિકિટ કપાતા નારાજ હતા. જેથી રમેશ મેરની જગ્યા પર મનહર પટેલને ટિકિટ આપવામાં આવી હતી. આ સિવાય મોરબીથી જયંતી પટેલ, રાજકોટ પશ્ચિમથી મનસુખ કાલરિયા, જામનગર ગ્રામ્યથી જીવણ કુંભારવાડિયા, ગારિયાધરથી દિવ્યેશ ચાવડા, ધાંગ્રધાથી છત્રસિંહ ગુંજરિયાને ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસના મોહન વાળાએ રાજીનામું આપ્યું

કોડિનારમાં ટિકિટ ન મળતા કોડીનારના હાલના ધારાસભ્ય મોહન વાળાએ રાજીનામું આપ્યું છે. તો પૂર્વ ધારસભ્ય ધીરસિંહ બારડે પણ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. કોડિનારના સિટિંગ ધારાસભ્યને મોહન વાળાને કોંગ્રેસે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી નથી, જેને લઇને ભારે નારાજગી જોવા મળી છે. આ મામલે મોહન વાળાએ કોડિનારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ ધીરસિંહ બારડ સાથે એક બેઠક પણ યોજી હતી. મોહન વાળાનું પત્તુ કપાવા પાછળ જીગ્નેશ મેવાણીનો હાથ હોવાનું મનાય છે.

કોંગ્રેસ તો આ વખતે કોડિનારમાં મોહન વાળાને રિપિટ કરવા તૈયાર હતી જો કે જીગ્નેશ મેવાણીની દખલગીરીને કારણે હાલના ધારાસભ્યના બદલે મેવાણીના નજીકના મહેશ મકવાણાને ટિકિટ અપાઇ છે. તેની સામે મોહન વાળાના જૂથ અને કોડિનારના કોંગ્રેસ સભ્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ