/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/who-Gujarat-Congress-leader-joined-the-BJP.jpg)
ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓની કહાની
પરિમલ એ ડાભી, ગોપાલ બી કટેશીયા : ગુજરાત લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે 7 મેના રોજ મતદાન કરવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે રાજ્યમાં ઇતિહાસ લગભગ પુનરાવર્તિત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, જેમ કે 2019 માં, કોંગ્રેસના દળ બદલુઓએ ભાજપના ઉમેદવારો તરીકે એકસાથે વિધાનસભા પેટા-ચૂંટણી લડવા માટે કમર કસી છે.
2019 માં, ભાજપે લોકસભાની ચૂંટણી સાથે યોજાયેલી પેટાચૂંટણીમાં ત્રણ દળ બદલુ ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા હતા અને તેમને વિજય રૂપાણી કેબિનેટમાં મંત્રીપદ સાથે "પુરસ્કાર" આપવામાં હતો, જ્યારે કોંગ્રેસ છોડ્યાના દિવસો પછી થોડા વધુ ધારાસભ્યોને પ્રમોટ કર્યા હતા.
કોંગ્રેસની 2019 અને હવેની સ્થિતિ કેવી?
જો કે, 2019 અને હવેની પરિસ્થિતિમાં તફાવત છે. છેલ્લી લોકસભા ચૂંટણી પહેલા, 2017ની વિધાનસભા ચૂંટણીમાં 182માંથી 77 બેઠકો જીતી કોંગ્રેસની વિધાનસભામાં મોટી હાજરી હતી. પરંતુ ત્યારબાદ, સૌથી જુની પાર્ટી 2022 ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર 17 બેઠકો જીત્યા બાદ સંસદીય ચૂંટણીનો સામનો કરી રહી છે, જે તેની અત્યાર સુધીની સૌથી ઓછી સંખ્યા છે અને આટલે જ મુશ્કેલી અટકી નહી અને વધુ ચાર ધારાસભ્યો ગુમાવ્યા - જેમાં અર્જુન મોઢવાડિયા (પોરબંદર), સીજે ચાવડા (વિજાપુર), ચિરાગ પટેલ (ખંભાત) અને અરવિંદ લાડાણી. (માણાવદર) – જેઓ ભાજપના ઉમેદવાર તરીકે પેટાચૂંટણીમાં પોતપોતાની બેઠકો પરથી હવે ભાજપ તરફથી ચૂંટણી લડશે.
20 ધારાસભ્યો સહિત 60 હજાર કોંગ્રેસી ભાજપમાં જોડાયા
ભાજપના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં 20 ધારાસભ્યો અને 300 નેતાઓ સહિત લગભગ 60,000 કોંગ્રેસીઓએ પાર્ટી છોડી દીધી છે. સૂત્રે જણાવ્યું હતું કે, “આ ચાર વિધાનસભા બેઠક દીઠ આશરે 250-300 કાર્યકરો છે. તેઓ પોતપોતાના ક્ષેત્રના અગ્રણી હતા. બીજેપી નેતૃત્વ સમગ્ર દેશમાં કોંગ્રેસને ખતમ કરવા માંગે છે અને તેથી જહાજમાં કૂદવા માટે તૈયાર રહેલા મહત્વના નેતાઓનો સતત પીછો કરવામાં આવી રહ્યો છે.”
જો કે, ભાજપમાં માત્ર થોડા જ દલ બદલુ સત્તાના હોદ્દા પર રહ્યા છે, જ્યારે અન્ય ઘણાને બાજુ પર કરી દેવામાં આવ્યા છે.
લોકસભા ચૂંટણી 2024 માં બે કોંગ્રેસી ચહેરા ઉતાર્યા
આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપે ‘કોંગ્રેસ કનેક્શન’ ધરાવતા બે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. સાબરકાંઠા બેઠક પરથી ઉમેદવાર શોભના બરૈયા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર બરૈયાના પત્ની છે, જ્યારે 2017 માં કોંગ્રેસ છોડનાર ચંદુ શિહોરા સુરેન્દ્રનગર બેઠક પરથી ઉમેદવાર છે.
કોંગ્રેસમાંથી નેતાઓના પલાયનથી ભાજપને પક્ષમાં જોડાનારાઓને "સ્ક્રીન" કરવા માટે એક સમિતિ બનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે, જેથી "કોઈપણ ખરાબ ઈરાદાવાળા હાનિકારક તત્વો તેમાં જોડાય નહીં" તેની ખાતરી કરવા માટે.
ઓગસ્ટ 2017 માં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા દ્વારા બોલ ફેંકવામાં આવ્યો હતો, જેમણે રાજ્યસભાની ચૂંટણી પહેલા પાર્ટી છોડી દીધી હતી. ત્યારબાદ કોંગ્રેસના મુખ્ય દંડક બળવંતસિંહ રાજપૂત, જેમને ભાજપે પક્ષમાં જોડાતા પહેલા જ અહેમદ પટેલ સામે ઉમેદવાર બનાવ્યા હતા, ધારાસભ્યો તેજશ્રી પટેલ અને પ્રહલાદ પટેલે પણ તે જ કર્યું અને તેમાંથી ત્રણ પછીથી ભાજપમાં જોડાયા.
કેમ કોંગ્રેસ નેતા ભાજપમાં આવ્યા
ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ નરહરી અમીને, જેઓ પોતે 2012 માં કોંગ્રેસથી અલગ થઈ ગયા હતા, કહ્યું: “કોંગ્રેસમાં મુખ્ય મુદ્દો જૂથવાદ છે. જો કોઈ ઉમેદવાર ચૂંટણી લડવા માટે પસંદ કરવામાં આવે છે, તો તેણે પહેલા આંતરિક જૂથો અને પછી ભાજપ સામે લડવું પડશે. તદુપરાંત, આણંદ-ખેડામાં ક્ષત્રિય જૂથવાદ એટલો પ્રબળ બની ગયો છે કે, ઘણા વફાદાર મતદારો (અન્ય સમુદાયોના) પક્ષથી દૂર થઈ ગયા છે. તેમજ ઘણા નેતાઓને વરિષ્ઠ નેતૃત્વને મળવા માટે ત્રણ મહિના સુધી રાહ જોવી પડે છે.
અમીને કહ્યું કે, તેનાથી વિપરિત ભાજપમાં એવા લોકોને તક આપવામાં આવે છે, જેઓ સારું પ્રદર્શન કરે છે અને સારી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવે છે. "તેમજ, ભાજપ એક કેડર આધારિત પાર્ટી છે અને તેથી અહીં કોઈ જૂથવાદ નથી."
ભાજપમાં જોડાનાર કેટલાક અગ્રણી કોંગ્રેસી ચહેરા
છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપમાં જોડાનારા કેટલાક અગ્રણી કોંગ્રેસી ચહેરાઓમાં બળવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર), કુંવરજી બાવળિયા (જસદણ), તેજશ્રી પટેલ (વિરમગામ), રામસિંહ પરમાર (થસરા), જવાહર ચાવડા (માણાવદર), જીતુ ચૌધરી (કપરાડા), રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય), અમિત ચૌધરી (માણસા), સીકે ​​રાઉલજી (ગોધરા), ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા (જામનગર ઉત્તર), કરમશી મકવાણા (સાણંદ), પ્રદ્યુમનસિંહ જાડેજા (અબડાસા), અલ્પેશ ઠાકોર (રાધનપુર), ધવલસિંહ ઝાલા (બાયડ), અશ્વિન કોટવાલ (ખેડબ્રહ્મા), આશા પટેલ (ઊંઝા), મોહનસિંહ રાઠવા (છોટા ઉદેપુર), ભગવાન બારડ (તાલાલા), અક્ષય પટેલ (કરજણ) અને પ્રવીણ મારૂ (ગરખા) નો સમાવેશ થાય છે.
રાજપૂત, બાવળિયા અને રાઘવજીને બાદ કરતાં, જેઓ વર્તમાન રાજ્ય સરકારમાં મંત્રીઓ છે અને અનુક્રમે ઉદ્યોગ, જળ સંસાધન અને કૃષિ જેવા મુખ્ય ખાતાઓ ધરાવે છે, અન્ય લોકોએ સમય જતાં પક્ષમાં તેમની આગવી ઓળખ જોઈ છે.
હકુભા, જેમને 2022ની ચૂંટણી પહેલા જામનગર (ઉત્તર) વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી ન હતી, તેમને તાજેતરમાં અમરેલી લોકસભા બેઠકના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, ભાજપ આને પક્ષની સ્થિતિ તરીકે સ્વીકારતું નથી.
બીજી તરફ જવાહર ચાવડાને પક્ષના વંશવેલોમાંથી દૂર કરવા માં આવ્યા છે અને તેઓ હવે ચૂંટાયેલા પ્રતિનિધિ નથી કે પક્ષમાં કોઈ હોદ્દો પણ ધરાવતા નથી. પૂર્વ ધારાસભ્યો હર્ષદ રિબડિયા (માણાવદર), પ્રવીણ મારૂ (ગરધા), પરશોત્તમ સાબરીયા (ધ્રાંગધ્રા) અને વલ્લભ ધારવિયા (જામનગર ગ્રામ્ય) ની પણ આવી જ હાલત છે.
અમીન દાવો કરે છે કે, 2020 માં મૃત્યુ પામેલા અહેમદ પટેલની ગેરહાજરીએ પણ કોંગ્રેસ પર નકારાત્મક અસર કરી છે અને ઘણા નેતાઓ એકલતા અનુભવી રહ્યા છે અને તેમની ફરિયાદોને સંબોધવા માટે હવે કોઈ નથી.
કોંગ્રેસ નેતાએ દળ બદલવાને લઈ કયા કારણોને જવાબદાર ગણાવ્યા
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતુ કે, કોંગ્રેસમાં પક્ષપલટા માટે સ્વાર્થ, સત્તાની લાલસા, ધંધાકીય હિતો અને ફોજદારી કેસ જેવા અનેક કારણોને જવાબદાર ઠેરવે છે. “ભાજપમાં નેતાઓ અને કાર્યકરોની એક્સપાયરી ડેટ હોય છે. એકવાર તેમનો હેતુ પૂરો થઈ જાય પછી ભાજપ તેમને છોડી દે છે. આ તેમના માણસોને પણ લાગુ પડે છે. પૂર્વ સીએમ કેશુભાઈ પટેલ, પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કટારિયા જેવા દિગ્ગજો સાથે ભાજપ પાર્ટીમાં ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસમાં આવું નથી.”
આ પણ વાંચો - કોણ છે ભાજપના ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીના પાંચ આયાતી ઉમેદવારો?
અમીને એ આરોપને નકારી કાઢ્યો હતો કે, નેતાઓ પર જોડાવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે, મોઢવાડિયા અને તેઓ એક સમયે ભાજપના કટ્ટર ટીકાકાર હતા. "અમારી વિરુદ્ધ ક્યારેય કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી."


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us