ગુજરાત કોંગ્રેસે લોકો માટે મુદ્દાઓને ઉજાગર કરવા પ્લેટફોર્મ શરૂ કર્યું, કોંગ્રેસ લોકોની 'મન કી બાત' સાંભળશે

Gujarat Congress Janmanch : ગુજરાત કોંગ્રેસ હવે લોકોની સમસ્યા (problems), મુદ્દાઓ (issues) સાંભળવા જનમંચ પ્લેટફોર્મ શરૂ કરશે. કોંગ્રેસ નાગરિક મુદ્દાઓ, ભ્રષ્ટાચાર, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય, કૃષિ સહિતના ભાજપ સરકાર (BJP Goverment) ને લગતા લોકોના મુદ્દા સાંભળશે અને તેને પ્રકાશિત કરવામાં અને ઉકેલવામાં મદદ કરશે.

Gujarat Congress Janmanch : ગુજરાત કોંગ્રેસ હવે લોકોની સમસ્યા (problems), મુદ્દાઓ (issues) સાંભળવા જનમંચ પ્લેટફોર્મ શરૂ કરશે. કોંગ્રેસ નાગરિક મુદ્દાઓ, ભ્રષ્ટાચાર, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય, કૃષિ સહિતના ભાજપ સરકાર (BJP Goverment) ને લગતા લોકોના મુદ્દા સાંભળશે અને તેને પ્રકાશિત કરવામાં અને ઉકેલવામાં મદદ કરશે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gujarat Congress start public forum

ગુજરાત કોંગ્રેસ જનમંચ શરૂ કરશે

ગુજરાત કોંગ્રેસે ગુરુવારે જણાવ્યું હતું કે, તે 1 મેના રોજ 'જનમંચ' પ્લેટફોર્મ શરૂ કરશે, જેમાં લોકો રાજ્યની ભાજપ સરકાર સંબંધિત તેમની સમસ્યાઓ રજૂ કરી શકે છે, અને પાર્ટી તેમને પ્રકાશિત કરવામાં અને ઉકેલવામાં મદદ કરશે.

Advertisment

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર કાર્યક્રમો અને તહેવારોના આયોજનમાં વ્યસ્ત છે. તેમની પાસે સામાન્ય નાગરિકોની સમસ્યાઓ સાંભળવાનો સમય કે રાજકીય ઈચ્છાશક્તિ નથી. આવી સ્થિતિમાં કોંગ્રેસની યોજના નાગરિકોની સમસ્યાઓ, સૂચનો અને ફરિયાદો માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાની છે. 1 મે, ગુજરાતના સ્થાપના દિવસના રોજ, અમે 'જન મંચ' પ્લેટફોર્મ શરૂ કરીશું."

કોંગ્રેસ તરફથી આ જાહેરાત એવા દિવસે આવી છે, જ્યારે ગુજરાત સરકાર મુખ્યમંત્રીની ઓનલાઈન ફરિયાદ નિવારણ પ્રણાલી સ્વાગત (ટેક્નોલોજી દ્વારા ફરિયાદો પર રાજ્યવ્યાપી ધ્યાન) ના 20 વર્ષની ઉજવણી કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે આ સિસ્ટમ શરૂ કરી હતી.

ચાવડાએ કહ્યું કે, “યુવાઓ, મહિલાઓ, વેપારીઓ, કામદારો અથવા કોઈપણ આ પ્લેટફોર્મનો સંપર્ક કરી શકે છે અને તેમની સમસ્યાઓને પ્રકાશિત કરી શકે છે. તે નાગરિક મુદ્દાઓ, ભ્રષ્ટાચાર, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય, કૃષિ વગેરે હોઈ શકે છે. કોંગ્રેસ પક્ષ ફક્ત તમારા અધિકારો માટે જ લડશે નહીં, પરંતુ અમે તમારા માટે પરિણામો પ્રાપ્ત પણ કરીશું."

Advertisment

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)ના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આવતા મહિનાથી આખું વર્ષ કોંગ્રેસના નેતાઓ દરેક તાલુકાની મુલાકાત લેશે અને લોકોને તેમની ચિંતા અને સમસ્યાઓ વ્યક્ત કરવાની તક આપશે. “ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે તો, જ્યારે દારૂ અને ડ્રગ્સ પણ ખુલ્લેઆમ વેચાય છે, ત્યારે અમે આ મુદ્દાઓને યોગ્ય અધિકારી સમક્ષ રજૂ કરીશું. જો જરૂર પડશે તો અમે કોર્ટનો સંપર્ક કરીશું.”

ઠાકોરે ઉમેર્યું, "જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની 'મન કી બાત' (PM મોદીનો માસિક રેડિયો કાર્યક્રમ) માં વ્યસ્ત છે, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ શેરીઓમાં સામાન્ય માણસ અને મહિલાઓની 'મન કી બાત' સાંભળવા માંગે છે."

ગુજરાતી ન્યૂઝ ગુજરાત સરકાર ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાત Express Exclusive congress