ગુજરાત સરકાર સુરતની 7 વન રેન્જમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનો સર્વે કરશે, આ વિસ્તારને અભ્યારણ તરીકે જાહેર કરાશે

Gujarat wildlife sanctuary : ગુજરાત સરકારનું વન વિભાગ સાત વન અભ્યારણ્ય માટે સર્વે કરશે. સર્વેક્ષણમાં ઉમરપાડા, વડપાડા, માંડવી ઉત્તર અને દક્ષિણ, ખેરવાડા, તાપ્તી અને વાજપુરના જંગલ વિસ્તારોને આવરી લેવામાં આવશે.

Gujarat wildlife sanctuary : ગુજરાત સરકારનું વન વિભાગ સાત વન અભ્યારણ્ય માટે સર્વે કરશે. સર્વેક્ષણમાં ઉમરપાડા, વડપાડા, માંડવી ઉત્તર અને દક્ષિણ, ખેરવાડા, તાપ્તી અને વાજપુરના જંગલ વિસ્તારોને આવરી લેવામાં આવશે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gujarat wildlife sanctuary

ગુજરાત વન વિભાગ દ્વારા સર્વે

Gujarat Forest Department : ગુજરાત વન વિભાગ સુરતના તાપી-વ્યારા વિસ્તારની સાત રેન્જમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું પ્રાથમિક સર્વેક્ષણ શરૂ કરવામાં આવશે, જેમાં 69,668.51 હેક્ટરમાં ફેલાયેલા "અખંડ જંગલો"નો સમાવેશ કરવામાં આવશે, આ વિસ્તારને અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવશે.

Advertisment

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગાંધીનગરમાં મળેલી રાજ્ય વન્યજીવ બોર્ડની 23 મી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

સર્વેક્ષણમાં ઉમરપાડા, વડપાડા, માંડવી ઉત્તર અને દક્ષિણ, ખેરવાડા, તાપ્તી અને વાજપુરના જંગલ વિસ્તારોને આવરી લેવામાં આવશે.

“વરિષ્ઠ મુખ્ય વન સંરક્ષક (વન્યપ્રાણી) નિત્યાનંદ શ્રીવાસ્તવે એક પ્રેઝન્ટેશનમાં દક્ષિણ ગુજરાતમાં દીપડાના વધતા જતા હુમલાઓને કારણે માનવ-પ્રાણી સંઘર્ષને રોકવાના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો, એમ પાંચ દીપડાને રેડિયો-કોલર લગાવવામાં આવ્યા હતા અને વિભાગ દ્વારા પ્રાણીઓની વર્તણૂકનો અભ્યાસ કરવા માટે ટ્રેપ કેમેરા અને આક્રમક દિપડાઓનો સામનો કરવા માટે ટ્રાંક્વીલાઈઝર ગન પણ ખરીદી રહ્યું છે.

Advertisment

ગુજરાતમાં હાલમાં 20 જેટલા વન્યજીવ અભયારણ્યો છે.

નિવેદનમાં જણાવાયું છે કે, "દક્ષિણ ગુજરાત પ્રદેશમાં માનવ વસ્તીની વધારે ગીચતાને ધ્યાનમાં રાખીને, દીપડા જ્યારે માનવ વસાહતની નજીક આવે ત્યારે તેને પકડવા માટે તાલુકા દીઠ 10 પાંજરા ખરીદવાની પણ યોજના છે."

ફોરેસ્ટ ઓફિસરે પાવાગઢ અને જાંબુઘોડા ખાતે પહેલાથી જ ઉદ્ઘાટન કરાયેલા કેન્દ્રો ઉપરાંત સુરત અને વલસાડ ખાતે બે નવા બચાવ કેન્દ્રો બનાવવામાં આવી રહ્યા છે, તેની પણ બોર્ડને માહિતી આપી હતી.

આ દરમિયાન, મુખ્ય સચિવ રાજ કુમારે દીપડાઓને માનવ વસ્તીથી દૂર સંરક્ષિત જંગલ વિસ્તારોમાં સ્થાનાંતરિત કરવાના લાંબા ગાળાના ઉકેલ તરીકે વન વિભાગ દ્વારા પુનર્વસન કેન્દ્રનું વ્યૂહાત્મક આયોજન સૂચવ્યું હતું.

બેઠક દરમિયાન કચ્છનુ નાનું રણ, બલારામ-અંબાજી, નારાયણ સરોવર, ગીરમાં જંગલી ગધેડા અભયારણ્ય, જાંબુઘોડા અને શૂલપાણેશ્વર સહિત રાજ્યભરના સાત અભયારણ્યોમાં અંડરગ્રાઉન્ડ ઓપ્ટિકલ ફાઈબર કેબલ, મોબાઈલ ટાવર અને રસ્તાઓ બનાવવા માટે 15 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો - wolves in forests of Gujarat | ગુજરાતના જંગલોમાં વરૂ : સોફ્ટ રિલીઝ’ પછી, વન વિભાગ વરુને જંગલમાં મુક્ત કરવાની નજીક

આ બેઠકમાં વન મંત્રી મુલુભાઈ બેરા, રાજ્ય મંત્રી મુકેશ પટેલ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને વન દળના વડા યુ.ડી. સિંહ, અગ્ર સચિવ સંજીવ કુમાર અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વન સંરક્ષક અને બોર્ડના સભ્યો, ધારાસભ્ય મહેશ કસવાલા, માલતીબેન મહેશ્વરી અને સંબંધિત વન્યજીવ સંસ્થાઓના વરિષ્ઠ સભ્યો પણ હાજર રહ્યા હતા.

વન ગુજરાતી ન્યૂઝ ગુજરાત