ગુજરાત હાઈકોર્ટે મુંબઈના બિઝનેસમેનને પ્લેન હાઈજેકના આરોપમાંથી મુક્ત કર્યો, NIA કોર્ટે આજીવન કેદની ફટકારી હતી સજા

jet airways plane hijacking case : ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) જેટ એરવેઝ પ્લેન હાઈઝેકીંગ કેસમાં એનઆઈએ ટ્રાયલ કોર્ટ (NIA Court) ના ચુકાદાને બાજુ પર રાખી આરોપી મુંબઈના બિઝનેસમેન બિરજુ સલ્લા (birju salla) ને આરોપોમાંથી મુક્ત કર્યા છે, તો જોઈએ શું છે કેસ?

jet airways plane hijacking case : ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) જેટ એરવેઝ પ્લેન હાઈઝેકીંગ કેસમાં એનઆઈએ ટ્રાયલ કોર્ટ (NIA Court) ના ચુકાદાને બાજુ પર રાખી આરોપી મુંબઈના બિઝનેસમેન બિરજુ સલ્લા (birju salla) ને આરોપોમાંથી મુક્ત કર્યા છે, તો જોઈએ શું છે કેસ?

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gujarat High Court, Jet Airways, Plane Hijack, Case, Mumbai Businessman, Birju Salla, NIA Court

જેટ એરવેજ પ્લેન હાઈઝેક કેસ - ગુજરાત હાઈકોર્ટે ચૂકાદો સંભળાવ્યો

સોહિની ઘોષ : ગુજરાત હાઈકોર્ટે મંગળવારે મુંબઈ સ્થિત બિઝનેસમેન બિરજુ સલ્લાને નિર્દોષ જાહેર કર્યો હતો, જેઓ અગાઉ 2017માં મુંબઈ-દિલ્હી ફ્લાઈટને હાઈજેક કરવાની ધમકી આપતો પત્ર મોકલવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો.

Advertisment

સલ્લાને આજીવન કેદની સજા ફટકારતા વિશેષ NIA કોર્ટના 2019ના ચુકાદાને બાજુ પર રાખીને, હાઈકોર્ટની બેન્ચે નિર્દેશ આપ્યો કે, જપ્ત કરાયેલી મિલકતોને મુક્ત કરવામાં આવે અને ટ્રાયલ કોર્ટ દ્વારા તેના પર લાદવામાં આવેલ દંડ પરત કરવામાં આવે.

હાઈકોર્ટે જણાવ્યું હતું કે, આરોપીને "શંકાસ્પદ પુરાવાના આધારે" અપહરણના ગુના માટે દોષિત ઠેરવી શકાય નહીં.

11 જૂન, 2019 ના રોજ, અમદાવાદની NIA કોર્ટે સલ્લાને હાઇજેકિંગ વિરોધી અધિનિયમ, 2016 હેઠળ ઘડવામાં આવેલા તમામ આરોપો માટે દોષિત ઠેરવ્યો હતો અને તેને "આજીવન કેદ"ની સજા ફટકારી હતી.

Advertisment

2016માં કાયદામાં સુધારો કરવામાં આવ્યો અને તેને વધુ કડક બનાવાયા પછી આ કાયદા હેઠળ સલ્લાની દોષિત તરીકેની આ પ્રકારની પ્રથમ સજા હતી. તેણે કથિત રીતે ફ્લાઇટના બાથરૂમમાં નકલી હાઇજેક નોટ લગાવી હતી અને NIAએ દાવો કર્યો હતો કે, એ એવી આશામાં હતો કે તે જેટ એરવેઝને મજબૂર કરશે. જેમાં જેટ એરવેઝ દિલ્હીની કામગીરી બંધ કરે અને સલ્લાની ગર્લફ્રેન્ડ, જે એરલાઇનની દિલ્હી ઓફિસમાં કામ કરતી હતી, તે મુંબઈ પરત આવી જાય. આ નોટના કારણે ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

NIA કોર્ટે સલ્લા વિરુદ્ધ રૂ. 5 કરોડનો દંડ પણ ફટકાર્યો હતો, જેમાંથી સલ્લાને મુંબઈ-દિલ્હી જેટ એરવેઝ 9W339 ફ્લાઇટને 1 લાખ વળતર અને પાઇલટને અને કો-પાયલટને વળતર તરીકે રૂ. 50,000 ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ફ્લાઇટના બિઝનેસ ક્લાસમાં કામ કરતા બે ક્રૂ મેમ્બર્સ (જ્યાં સલ્લા બેઠેલા હતા) અને બોર્ડ પરના 115 મુસાફરોને દરેકને 25,000 રૂપિયા આપવામાં આવ્યા હતા.

જસ્ટિસ એએસ સુપેહિયા અને જસ્ટિસ એમઆર મેંગેડેની ડિવિઝન બેન્ચે સલ્લાને દોષિત હોવાને પલટી અને ટ્રાયલ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવેલી સજા વિરુદ્ધ સલ્લાની અપીલને મંજૂરી આપતી વખતે, ટ્રાયલ કોર્ટ દ્વારા લાદવામાં આવેલા દંડને પણ બાજુ પર રાખ્યો અને નિર્દેશ આપ્યો કે, 5 કરોડ રૂપિયાની રકમ પરત કરવામાં આવે.

અદાલતે ફ્લાઇટના ક્રૂ સભ્યોને ટ્રાયલ કોર્ટના નિર્દેશો મુજબ ચૂકવણી કરવાની સ્થિતિમાં વળતર પરત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો અને વૈકલ્પિક રીતે, બેન્ચે રાજ્યને નિર્દેશ આપ્યો કે, તે "ક્રુ સભ્યોને ચૂકવણી કરવામાં આવેલી રકમની ચૂકવણી કરે, અને તે ખુલ્લું રહે." એટલે કે, રાજ્યને ક્રૂ મેમ્બરો પાસેથી રકમ વસૂલવા માટે કહેવામાં આવ્યું હતું.

ખંડપીઠે એ પણ નિર્દેશ આપ્યો હતો કે, તપાસ અધિકારી દ્વારા અધિનિયમ હેઠળ જપ્ત કરાયેલી મિલકતોને "તાત્કાલિક મુક્ત કરવામાં આવે".

આ પણ વાંચો – જીવિત અને સ્વસ્થ્ય મહિલાને વડોદરામાં મૃત્યુનું પ્રમાણપત્ર મળ્યું, તપાસમાં સામે આવ્યો ગજબ સંયોગ…

સલ્લા પર કલમ ​​3(1) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો, જે કોઈ ગેરકાયદેસર અને જાણીજોઈને બળ અથવા ધમકી, અથવા બળજબરી, અથવા અન્ય કોઈપણ પ્રકારની ધાકધમકી દ્વારા, અથવા કોઈપણ તકનીકી માધ્યમથી, વિમાનને કબજે અથવા નિયંત્રણ કરે છે, તો તે અપહરણનો ગુનો કરે છે.], 3(2) (a) [આવો ગુનો કરવાની ધમકી આપે છે], અને કલમ 4(b) હેઠળ શિક્ષાપાત્ર છે [આજીવન કેદ સાથે જેનો અર્થ તે વ્યક્તિની કુદરતી આજીવન કેદની બાકીની કેદ અને દંડ, અને અને સુધારેલા અપહરણ વિરોધી અધિનિયમ, 2016 હેઠળ આવી વ્યક્તિની સ્થાવર, જંગમ મિલકત પણ જપ્ત કરવા માટે જવાબદાર છે.

ગુજરાત હાઇકોર્ટ ગુજરાતી ન્યૂઝ દેશ