Death by drinking Ayurveda syrup : ગુજરાત : આયુર્વેદ સિરપ પીવાથી 3 ના મોત! પોલીસે તપાસ શરૂ કરી

Ayurveda syrup drinking Death! : ગુજરાત (Gujarat) ખેડા (Kheda) જિલ્લાના બગડુ (Bagdu) ગામ, બિલોદરા (Bilodara) ગામ, વડદલા (Vaddala) ગામ (Village) માં આયુર્વેદિક સિરપ કાળ મેઘસવા પીધા બાદ ત્રણ લોકોના મોત થયા હોવાની પ્રાથમિક શંકા હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું.

Written by Kiran Mehta
November 30, 2023 17:15 IST
Death by drinking Ayurveda syrup : ગુજરાત : આયુર્વેદ સિરપ પીવાથી 3 ના મોત! પોલીસે તપાસ શરૂ કરી
ખેડા જિલ્લામાં આયુર્વેદિક સિરપ પીવાથી ત્રણ લોકોના મોતની આશંકા

Death by drinking Ayurveda syrup Kal Meghasava! : ખેડા જિલ્લાથી એક મોટી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આયુર્વેદ સીરપ પીવાથી ત્રણ લોકોના મોત થયા હોવાની આશંકાથી હડકંપ મચી ગયો છે. પોલીસે ગુરુવારે કાલ મેઘસવા નામની આયુર્વેદિક સીરપનું સેવન કર્યા બાદ ગુજરાતમાં ત્રણ લોકોના શંકાસ્પદ મૃત્યુની તપાસ શરૂ કરી છે, અધિકારીઓએ જણાવ્યું હતું.

છેલ્લા બે દિવસમાં ત્રણ ગામમાં ત્રણ લોકોના મોત થયા છે – ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાનું બિલોદરા ગામ, મહુધા તાલુકાનું બગડુ ગામ અને મેમદાવાદનું વડદલા ગામ, જ્યાં આ સીરપથી મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહી છે.

જો કે, બંનેએ એક જ સીરપ પીધું હતું કે, કેમ તે અંગે હજુ સુધી પોલીસે તપાસ કરી નથી.

પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણ લોકોએ મંગળવારે બિલોદરા ગામમાં એક સ્થાનિક પ્રોવિઝન સ્ટોરમાંથી ખરીદેલું આયુર્વેદિક સીરપ પીધું હતું.

નડિયાદના નાયબ પોલીસ અધિક્ષક વીઆર બાજપાઈએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, મૃત્યુના કારણની પુષ્ટિ કરવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. “પરંતુ, મુખ્ય સામાન્ય પાસું એ છે કે, તે ત્રણેએ ગામના સ્થાનિક સ્ટોરમાંથી આયુર્વેદિક સીરપ કાલ મેઘસવા ખરીદી હતી અને તેનું સેવન કર્યું હતું.

નડિયાદ ગ્રામ્ય પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. બોટલની સામગ્રી દર્શાવે છે કે, તેમાં આલ્કોહોલનું પ્રમાણ 11 ટકાથી ઓછું છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે, શું મૃત્યુનું કારણ આ સીરપના સેવન સાથે સંકળાયેલ છે કે નહીં.” અધિકારીએ જણાવ્યું હતું.

બગડુ અને વડદલામાં થયેલા મોતના કેસમાં પણ લોકોએ આ જ સીરપ ખરીદ્યું હતું કે, કેમ તે પોલીસ હજુ સુધી શોધી શકી નથી.

ખેડા એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, બિલોદરામાં એક જ પ્રોવિઝન સ્ટોરમાંથી 55 લોકોએ સીરપની ખરીદી કરી હતી, પરંતુ ત્રણ મૃત્યુ થયા છે, જ્યારે ચાર લોકોએ બેચેનીની ફરિયાદ કરી છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે પ્રોવિઝન સ્ટોરના માલિકની છ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી છે અને આ સ્ટોરમાંથી સીરપ ખરીદનારા તમામ 55 લોકોને શોધી કાઢ્યા છે. સ્ટોર માલિકના પોતાના પિતા પણ અસ્વસ્થતાના કારણે હાલમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. બાકીના લોકો જેમણે સીરપ પીધી છે, તેમની હાલત પણ બરાબર છે. તેથી, અમે તપાસ કરી રહ્યા છીએ કે, મૃત્યુ અન્ય કોઈ કારણસર થયું છે કે કેમ.”

ગઢિયાએ જણાવ્યું હતું કે, બગડુમાં મૃત્યુ પામનાર વ્યક્તિ કેન્સરનો દર્દી હતો, જ્યારે વડદલાના વ્યક્તિએ સંબંધીના અંતિમ સંસ્કારમાં હાજરી આપતી વખતે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું કે, ડોકટરોએ પુષ્ટિ કરી છે કે, કોઈ પણ દર્દી નશામાં ન હતો.

અધિકારીએ કહ્યું કે, પોલીસે આગળના પગલાઓ અંગે નિર્ણય લેવા માટે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન પાસેથી સૂચનો પણ માંગ્યા છે.

આ પણ વાંચોSurat Chemical Company Fire | સુરત કેમિકલ કંપની આગ : સાત કામદારો આગમાં ભડથું, માનવ કંકાલ મળ્યા, 8 ની હાલત ગંભીર

એસપી ગઢિયાએ કહ્યું કે “આવા સીરપ સામાન્ય રીતે ટોનિક તરીકે વેચાય છે. ઘટકોમાં 11 ટકાથી ઓછું સ્વ-નિર્મિત આલ્કોહોલ હોય છે જે, ટોનિક્સમાં કાયદેસર રીતે સ્વીકાર્ય છે. અમે પરીક્ષણ માટે નમૂનાઓ મોકલ્યા છે પરંતુ 11% કરતાં ઓછી આલ્કોહોલ સામગ્રીવાળા સીરપનો FSL રિપોર્ટ આશ્ચર્યજનક પરિણામો આપશે નહીં. તપાસ ચાલુ રાખીએ છીએ”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ