ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની મતદારોને અપીલ: મતદાન સમયે મુસાફરી યોજના હોય તો શિડ્યુલ કરો, રિફંડ માટે મદદ મળશે

ગાંધીનગર લોકસભા બેઠક ઉમેદવાર અમિત શાહના મતવિસ્તારમાં સીએમ ભુપેન્દ્ર પટેલ પ્રચાર માટે પહોંચ્યા હતા, તેમણે ન્યુ રાણીપમાં કાર્યકર્તાઓને લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે અપીલ કરી.

Written by Kiran Mehta
April 06, 2024 16:00 IST
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની મતદારોને અપીલ: મતદાન સમયે મુસાફરી યોજના હોય તો શિડ્યુલ કરો, રિફંડ માટે મદદ મળશે
ગાંધીનગર લોકસભા વિસ્તારના ન્યુ રાણીપના અંબાલાલ ફાર્મ ખાતે આયોજિત ચૂંટણી પ્રચારમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ. (નિર્મલ હરીન્દ્રન - એક્સપ્રેસ તસવીર)

Gujarat Loksabha Election 2024 : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા મતદારોને અપીલ કરતાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સ્થાનિકો લોકોને વિનંતી કરી કે, તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરે, અને આ માટે તે સુનિશ્ચિત કરે કે તેમની મુસાફરી યોજનાઓ હોય તો, ફરીથી શેડ્યૂલ કરે. તેમણે આવું બુકિંગ કરી દીધુ હોય તો, રિફંડ મેળવવામાં પમ મદદની ખાતરી આપી હતી. પટેલે ગાંધીનગરના મતદારોને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ માટે દેશમાં સૌથી વધુ મત સાથે વિજયની ખાતરી કરવા માટે પણ અપીલ કરી હતી.

સીએમ ભુપેન્દ્ર પટેલે પ્રમુખો અને સચિવો સાથે ‘સંવાદ’માં જણાવ્યું હતું કે, “જો તમે રજાઓ પર જવાનું વિચારી રહ્યા છો, તો તારીખો બદલો. અમે તમને આમાં સંપૂર્ણ સહયોગ અને મદદ કરીશું. અમે એ સુનિશ્ચિત કરીશું કે, તમારા પૈસા કપાઈ ન જાય, ટિકિટોની તારીખ બદલાવી લો, અમે તમને દરેક રીતે સમર્થન આપીશું, પરંતુ તમારે મત આપવા ચોક્કસ આવવુ જોઈએ.

સીએમ પટેલે ન્યુ રાણીપ વિસ્તારમાં રહેણાંક સોસાયટી, જે ગાંધીનગર લોકસભા મતવિસ્તારનો એક ભાગ છે. તેમણે રહેણાંક સોસાયટીઓના પ્રતિનિધિઓને પણ વિનંતી કરી કે, તેઓ તેમના પડોશના તમામ લાયક મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે સુનિશ્ચિત કરે. રાજ્યમાં 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થવાનું છે. જ્યારે મુખ્યમંત્રીએ વોટ માંગ્યા ત્યારે પાર્ટીના કાર્યકરો પણ સ્થાનિક લોકો સાથે જોડાયેલા રહ્યા હતા.

સીએમએ રહેણાંક સોસાયટીઓથી ઘેરાયેલા એક ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાયેલી મીટિંગમાં, તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કેપ્સ, ફ્લેગ્સ, સ્કાર્ફ અને કટઆઉટ્સ જેવી પાર્ટી સામગ્રીનું વિતરણ પણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં સ્થાનિકોને ‘અમિતભાઈ શાહનો પરિચય’ પત્રિકાઓ પણ આપવામાં આવી હતી, જેમાં ABVP સભ્યથી દેશના પ્રથમ સહકારી મંત્રી સુધીની તેમની સફરની વિગતો આપવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, જો તમારે કલમ 370 હટાવવા જેવા નિર્ણયો યોગ્ય લાગતા હોય તો માત્ર જીત મહત્વની નથી. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે, સોસાયટીમાં હાજર દરેક સભ્ય મત આપે, આપણે અમિતભાઈ માટે આ કરવાનું છે. આજે જો અમિતભાઈએ ગાંધીનગર મતવિસ્તારને દેશમાં નંબર વન બનાવ્યો છે. તો આપણી જવાબદારી છે કે, અમિતભાઈને દેશમાં સૌથી વધુ જીતના માર્જીન સાથે દિલ્હી મોકલવાની.

રાજ્ય અને દેશમાં શાસન કરનાર એક જ પક્ષના ‘ડબલ ફાયદા’ મતદારોને યાદ કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘તમને બે ફાયદા છે, જો અમારા તરફથી કોઈ ભૂલ હોય તો અમિતભાઈ તેની ભરપાઈ કરી દે છે. વિકાસના કોઈ કામ બાકી નથી. ગૃહ મંત્રાલયમાં તો 24*7 ધ્યાન આપવાનું જ હોય છે, પરંતુ તેમ છતાં, તેમના ગાંધીનગર મતવિસ્તારમાં અમિતભાઈ હંમેશા કોઈપણ કામ માટે તૈયાર રહે છે. ગાંધીનગર વિધાનસભા ક્ષેત્રમાં કોઈ કામ હોય તો તેમનો ફોન આવે છે.

આ પણ વાંચો – ગુજરાત: રાજ્યની તમામ 26 બેઠકો પર 5 લાખ મતોથી જીતવાનો ભાજપનો લક્ષ્યાંક, જાણો શું છે પ્લાન?

ઉલ્લેખનીય છે કે, પક્ષની પ્રચાર રણનીતિના ભાગરૂપે મુખ્યમંત્રી સમિતિઓના અધ્યક્ષો અને સચિવોને સંબોધિત કરી રહ્યા છે. આ સપ્તાહની શરૂઆતમાં તેમણે અમદાવાદના મેમનગરમાં આવી જ એક સભાને સંબોધી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ