પ્લેટફોર્મની આ બેન્ચ, અડધી ગુજરાતમાં અને અડધી મહારાષ્ટ્રમાં છે: નવાપુરની જાણી-અજાણી મજાની વાતો

Gujarat Maharashtra border Navapur things : ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ નવાપુર ગામ રેલવે સ્ટેશનની વિશેષતાઓ અને રસપ્રદ વાતો, લોકો સેલ્ફી લેવા આવે છે.

Gujarat Maharashtra border Navapur things : ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ નવાપુર ગામ રેલવે સ્ટેશનની વિશેષતાઓ અને રસપ્રદ વાતો, લોકો સેલ્ફી લેવા આવે છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Navapur Railway Station half Gujarat half in Maharashtra

ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર - નવાપુર રેલવે સ્ટેશનની વિશિષ્ટ વિશેષતાઓ (એક્સપ્રેસ ફોટો )

Navapur railway station Half Gujarat and half Maharashtra, કમલ સૈયદ : ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ નવાપુર રેલવે સ્ટેશન તેની એક વિશિષ્ટતા ધરાવે છે. જેનો અમુક ભાગ મહારાષ્ટ્રમાં તો અમુક ભાગ ગુજરાતમાં છે. તમને ફોટામાં નવાપુર રેલ્વે સ્ટેશનનું પ્લેટફોર્મ જે ખાલી દેખાય છે, સિવાય કે રેલ્વે સ્ટાફ અને એક માણસ, જે બેટરીથી ચાલતા સ્પીકર સાથે ફરી રહ્યો છે, ભીખ માંગે છે. પ્લેટફોર્મ પર "હું સ્ક્રેપ-ફ્રી સ્ટેશન છું" સંદેશ દર્શાવતી નિશાની જોઈ શકાય છે.

Advertisment

એક વ્યક્તિ તેની બેટરી અને ફોન ચાર્જ કરવા સ્ટેશન પર પાવર સોકેટનો ઉપયોગ કરી રહ્યો છે. ભરૂચથી પાંચ જણનું કુટુંબ સ્ટેશન પર આવે છે, ટ્રેન પકડવા માટે નહીં, પરંતુ પ્રખ્યાત 'સેલ્ફી પોઈન્ટ' પાસે તસવીર લેવા માટે આવે છે: અહીં રેલવે સ્ટેશન પર એક લાકડાની બેન્ચ છે, જે અડધી મહારાષ્ટ્રમાં છે અને બાકીની અડધી ગુજરાતમાં છે.

આ રેલ્વે સ્ટેશનની વિશિષ્ટ વિશેષતા એ એક પીળી લાઈન છે, જે 1 મે, 1960ની છે, જે તેને પાર કરે છે અને તેને બે રાજ્યોમાં વિભાજીત કરી નાખે છે, જ્યારે ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થયું હતું અને બોમ્બે પ્રેસિડેન્સી એક અલગ રાજ્ય બન્યું હતું, જે પહેલા તેનો એક ભાગ હતુ. સરહદની પુનઃ વ્યાખ્યા, જે નવાપુર રેલ્વે સ્ટેશન પરથી પસાર થઈ.

નવાપુર સ્ટેશન માસ્ટર ડીએલ મીનાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, સુરતથી લગભગ 100 કિમી દૂર સ્થિત, નવાપુર રેલ્વે સ્ટેશને દરરોજ માંડ 24 ટ્રેનો (માલગાડી અને પેસેન્જર ટ્રેનો) રોકાય છે, જેમાં અડધા કોચ ગુજરાત બાજુ અને અડધા મહારાષ્ટ્ર તરફ હોય છે.

Advertisment

જો તમે ગુજરાત બાજુના પેસેન્જર વેઇટિંગ રૂમનો ઉપયોગ કરો છો, તો તમારે મહારાષ્ટ્ર બાજુના પ્લેટફોર્મની દૂરની બાજુથી ચાનો કપ લાવવો પડશે, જે નંદુરબાર જિલ્લામાં છે. તો ગુજરાત તરફ તાપી જિલ્લો લાગે છે.

સ્ટેશન પરની સેવાઓને વિભાજિત કરવામાં આવી છે, જેથી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસ ગુજરાતમાં છે. પીળી લાઈન પ્લેટફોર્મ અને સીડીઓમાંથી પસાર થઈ સ્ટેશનની બાજુમાં આવેલી રેલ્વે કોલોની સુધી જાય છે, જ્યાં ગુજરાતની બાજુએ દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ (ડીજીવીસીએલ) દ્વારા અને મહારાષ્ટ્ર બાજુ, રાજ્ય વીજળી બોર્ડ (એમએસઈબી) દ્વારા વીજળીના વિતરક તરીકે વીજળી મીટર સ્થાપિત કરવામાં આવ્યા છે. રેલવે કર્મચારીના પરિવારે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, ગુજરાતની વીજળી મહારાષ્ટ્ર કરતાં સસ્તી છે.

નવાપુર રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે, નવાપુર રેલવે સ્ટેશનની કુલ લંબાઈ 800 મીટર છે, જેમાંથી 300 મીટર મહારાષ્ટ્રમાં અને 500 મીટર ગુજરાતમાં છે. રેલ્વે સ્ટેશન પર પ્રદર્શિત સૂચનાઓ ચાર ભાષાઓમાં લખવામાં આવી છે: અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતી.

એક રહેવાસીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, બે રાજ્યો વચ્ચેની સરહદ રેલ્વે કોલોનીના ઘર નંબર 27 TBને બે ભાગમાં વહેંચે છે - એક બારી મહારાષ્ટ્રમાં પડે છે, જ્યારે બીજી બારી અને દરવાજો ગુજરાતમાં પડે છે.

Gujarat Maharashtra border Navapur things
નવાપુર રેલવે સ્ટેશન (એક્સપ્રેસ ફોટો)

સ્ટેશન માસ્તર મીનાએ જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્ર ઝોનમાં રેલ્વે ઓફિસ આરપીએફ (રેલ્વે પ્રોટેક્શન ફોર્સ)ની પોસ્ટ્સ, ટિકિટ બુકિંગ સેન્ટર્સ, સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટ ઓફિસ, રેલ્વે ગાર્ડન, રેલ્વે ક્રોસીંગ અને 88 રેલ્વે ક્વાર્ટર છે. તો, ગુજરાત ઝોનમાં સ્ટેશન માસ્ટર ઓફિસ, વેઇટિંગ રૂમ, પાવર પેનલ રૂમ, શૌચાલય, પાણીની ટાંકી, પુલ અને 15 રેલવે ક્વાર્ટર્સનો સમાવેશ થાય છે.

સરકારી રેલ્વે પોલીસ (GRP) કચેરીઓ તાપીમાં નંદુરબાર અને વ્યારા ખાતે આવેલી છે. વ્યારામાં જીઆરપીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અધિકારીઓ વચ્ચે પરસ્પર સમજણ છે અને તેઓ સરહદને જુએ છે અને પછીથી ભવિષ્યની કાર્યવાહી કરે છે. નંદુરબાર જિલ્લા પંચાયત મહારાષ્ટ્ર પ્રદેશમાં રેલ્વે કોલોનીમાં ધોરણ 1 થી 5 માટે ગુજરાતી સરકારી શાળા ચલાવે છે, સૂત્રોએ જણાવ્યું હતું.

રેલવે કોલોની ઉપરાંત આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ મરાઠી અને ગુજરાતી આદિવાસીઓની મિશ્ર વસ્તી છે. ગુજરાત પ્રદેશના રહેવાસીઓ કે, જેમની પાસે ગુજરાત મતદાર ઓળખ કાર્ડ છે, તેઓ ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીમાં મતદાન કરે છે, જ્યારે મહારાષ્ટ્રના રહેવાસીઓ મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થાનિક, રાજ્ય અને લોકસભાની ચૂંટણીઓમાં મતદાન કરે છે.

નામ ન આપવાની શરતે, રેલ્વે અધિકારીના પરિવારે કહ્યું કે, તેઓ ગુજરાત રેલ્વે ક્વાર્ટર્સમાં રહેવા માંગે છે કારણ કે, તેઓને લાઈટ બિલ સસ્તુ થઈ શકે છે. મહારાષ્ટ્ર પ્રદેશમાં વધુ અને ગુજરાતમાં ઓછુ વિજળી બિલ આવે છે. "અમે રહેણાંક ક્વાર્ટર્સને મહારાષ્ટ્ર ઝોનમાંથી ગુજરાત ઝોનમાં બદલવા માટે અરજી કરી છે."

સૂત્રોએ જણાવ્યું હતું કે, નવાપુર રેલવે સ્ટેશનની બંને તરફ રહેતા મોટાભાગના લોકો આદિવાસી છે અને એકબીજા સાથે આંતરિક સંબંધો ધરાવે છે. નવાપુરના આદિવાસીઓ છે જેઓ તાપીના વ્યારામાં સ્થળાંતર કરીને આવ્યા હતા અને કેટલાક ગુજરાતી વેપારીઓ પણ નવાપુરના બજાર વિસ્તારમાં દુકાનો ધરાવે છે અને વેપાર કરે છે. બંને તરફ રાજ્ય પરિવહનની બસો મુસાફરોને અન્ય રાજ્યોમાં લઈ જાય છે.

નવાપુરની પોતાની નગરપાલિકા છે અને સત્તાવાળાઓ ભૌગોલિક નકશા પ્રમાણે કામ કરે છે. નવાપુર શહેરમાં કૃષિ આધારને લગતા ઉદ્યોગો છે, જેમ કે ખાંડ સહકારી ફેક્ટરીઓ અને ફૂડ પ્રોસેસિંગ સુવિધાઓ. સુરત અને તાપી જિલ્લાના લોકો નવાપુરમાં ઘણા પોલ્ટ્રી ફાર્મ ધરાવે છે. દક્ષિણ ગુજરાતમાં અને સ્થાનિક રીતે નવાપુર અને નંદુરબારમાં પણ ચિકન વેચાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, નવાપુરની APMC સુરત એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) અને ગુજરાતના અન્ય ભાગોમાં શાકભાજી અને ફળોનો સપ્લાય કરે છે.

નવાપુરમાં ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાં શિક્ષણ આપતી શાળાઓ છે. જો કે, અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક અભ્યાસક્રમો માટે શિક્ષણનું માધ્યમ માત્ર મરાઠી અને અંગ્રેજીમાં છે.

મહારાષ્ટ્ર ગુજરાતી ન્યૂઝ ગુજરાત ઓએમજી