Himatnagar Car Accident: હિંમતનગરમાં ભયંકર કાર અક્સમાત, અમદાવાદના 7 લોકોના કરુણ મોત, કટર વડે કાર કાપી મૃતદેહ બહાર કાઢવા પડ્યા

Sabarkantha Himatnagar Car Accident: સાબરકાંઠાના હિંમતનગરમાં ટ્રેલર પાછળ કાર ઘડાકાભેર અથડાતા 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. મૃતકો શામળાજી થી અમદાવાદ આવી રહ્યા હતા. એક્સિડેન્ટ બાદ કાર ચગદાઈ જતાં કટર વડે કારના પતરા કાપી મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા.

Sabarkantha Himatnagar Car Accident: સાબરકાંઠાના હિંમતનગરમાં ટ્રેલર પાછળ કાર ઘડાકાભેર અથડાતા 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. મૃતકો શામળાજી થી અમદાવાદ આવી રહ્યા હતા. એક્સિડેન્ટ બાદ કાર ચગદાઈ જતાં કટર વડે કારના પતરા કાપી મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
sabarkantha himatnagar car accident | sabarkantha car accident | himatnagar car accident | Gujarat car accident | guajrat car accident news | sabarkantha | himatnagar

Sabarkantha Himatnagar Car Accident: સાબરકાંઠાના હિંમતનગરમાં કાર અકસ્માતમાં 7 લોકોના કરુણ મોત થયા છે. (Photo: Social Media)

Sabarkantha Himatnagar Car Accident: સાબરકાંઠાના હિંમતનગર સહકારી જીન પાસે ટ્રેલર પાછળ ઇનોવા કાર ધકાડાભેર અથડાતા ભંયકર અકસ્માત થયો છે.આ એક્સિડેન્ટ એટલો ભંયકર હતો કે ઘટનાસ્થળ પર જ કારમાં બેઠેલા 7 લોકોનું કરુણ મોત થયું છે. એક્સિડેન્ટ બાદ કાર સંપૂર્ણપણે ચગદાઇ જતા કટર વડે કારના પતરા કાપી મૃતદેહો બહાર કાઢ્યા હતા. મૃતકો શામળાજી થી અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે હિંમતનગર હાઇવે પર કાર એક્સિડન્ટ થયો છે. તમામ મૃતકો અમદાવાદના છે.

Advertisment

સાબરકાંઠા કાર અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત

https://twitter.com/PTI_News/status/1838767868948746514

માહિતી મુજબ મંગળવારે મોડી રાત્રે સાબરકાંઠાના હિંમતનગરમાં મોડાસા કડવા પાટીદાર સમાજ વાડી સામે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. હિંમતનગર સહકારી જીન પાસે ટ્રેલર પાછળ એક ઇનોવા કાર ધડાકાભેર અથડાઇ હતી. મૃતકો શામળાજી થી અમદાવાદ આવી રહ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં બેઠેલા 7 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. તેમજ એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

sabarkantha himatnagar car accident | sabarkantha car accident | himatnagar car accident | Gujarat car accident | guajrat car accident news | sabarkantha | himatnagar
Sabarkantha Himatnagar Car Accident: શામળાજીથી અમદાવાદ પરત આવી રહેલી કારનો હિંમતનગરમાં ભંયકર અકસ્માત થયો છે. (Photo: Social Media)

કટર વડે કારના પતરા કાપ મૃતદેહો બહાર કાઢ્યા

ટ્રેલર સાથે અથડાયા બાદ કાર ટામેટાની જેમ ચગદાઇ ગઇ હતી. કારની અંદર બેઠેલા લોકોના મતૃદેહો પણ દબાઇ ગયા હતા. એક્સિડેન્ટની જાણ થતા પોલીસ વિભાગ અને ફાયર વિભાગનો સ્ટફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. એક્સિડેન્ટ એટલો ભયંકર હતો કે ફાયર વિભાગના કર્મીઓએ કટર વડે કારના પતરા કાપી મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા.

Advertisment
https://twitter.com/AHindinews/status/1838789818601607672

મૃતકો શામળાજી થી અમદાવાદ જઇ રહ્યા હતા

હિંમતનગરમાં મોડાસા કડવા પાટીદાર સમાજ વાડી સામે ભયંકર કાર એક્સિડેન્ટમાં 7 લોકોના મોત થયા છે. આ તમામ મૃતકો શામળાજી થી અમદાવાદ આવી રહ્યા હતા.

સાબરકાંઠા અકસ્માત ગુજરાત