/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Harappan-in-kutch.jpg)
હડપ્પન સંસ્કૃતિ અવશેષ ગુજરાતના કચ્છમાં (તસવીરઃ પ્રો. રાજેશ એસ.વી. અને અભયન જી.એસ.)
સોહિની ઘોષ, ગોપાલ કટેશીયા : ગુજરાતના એક ગામમાં ટેકરીના ઢોળાવ પર મળી આવેલ માનવ હાડપિંજર, વિકૃત અને લવચીક મુદ્રામાં, પુરાતત્વવિદોની ટીમને પરેશાન કરી રહેલા રહસ્યની આ એક ચાવી હોઈ શકે છે.
2018 માં, કેરળ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજના સહયોગથી કામ કરતા, ગુજરાતના કચ્છ જિલ્લાના ખાટિયા ગામની સીમમાં 500 કબરો સાથે સામૂહિક દફન સ્થળ શોધી કાઢ્યું. ત્યારે પ્રશ્ન થયો હતો કે, આ કબરો કોની છે? શું આ દફન સ્થળ - સંભવતઃ સૌથી મોટું - આસપાસના વિશાળ માનવ વસાહત માટે હતું અથવા કોઈ નાની વસાહતોના જૂથ માટે સામાન્ય સુવિધા હતી? ત્યારથી ટીમ નજીકની વસાહતોના અવશેષો શોધી રહી છે.
હવે, માટીકામની કલાકૃતિઓ અને પ્રાણીઓના હાડકાં સાથે હાડપિંજરની હાજરી, જેને પુરાતત્વવિદોની ટીમે એક પહાડી, જેને સ્થાનિક રીતે પડતા બેટ તરીકે ઓળખાય છે, ત્યાં ખોદકામ કરતા મળી આવ્યું છે, જે 5,200 વર્ષ જૂની હડપ્પન વસાહતની હાજરી તરફ ઈશારો કરે છે. જે અહીંથી 1.5 કિ.મી. દૂર જુના ખાટિયામાં સામૂહિક કબર, જે પ્રારંભિક હડપ્પન કબ્રસ્તાન છે. નવીનતમ શોધ એ સિદ્ધાંતને માન્યતા આપે છે કે, કબ્રસ્તાન સ્થળ આવી કેટલીક નાની વસાહતોના જૂથ માટે સામાન્ય સુવિધા તરીકે સેવા આપી રહ્યું હશે.
કેરળ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અને પ્રોજેક્ટના સહ-નિર્દેશક રાજેશ એસવીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “પડતા બેટની ટેકરી એવી જગ્યાઓમાંથી એક હોઈ શકે છે, જ્યાં હાડપિંજરના અવશેષો (સ્મશાનભૂમિમાં) જુના ખાટલામાંથી મળી આવ્યા હતા.
હવે એ જાણી શકાયુ છે કે, આ ઘણી વસાહતો પૈકીની એક હતી, જેનું દફન સ્થળ જુના ખાટિયા હતું. સંશોધકો માને છે કે, નેક્રોપોલિસની આસપાસના આવા નાના હડપ્પન વસાહતોના નેટવર્કે "પ્રારંભિક હડપ્પાની સાંસ્કૃતિક રચના અને આ શુષ્ક પ્રદેશ પર તેમના અનુગામી વ્યવસાયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હશે."
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Harappan-remains-in-kutch.jpg)
પડતા બેટના ચાર હેક્ટર વિસ્તારની અંદર, સંશોધકોએ બે વિસ્તારોની ઓળખ કરી હતી, જ્યાં ખોદકામ દરમિયાન પુરાતત્વીય ભંડાર મળી આવ્યા હતા - સ્થાનિકતા 2 પ્રારંભિક હડપ્પન યુગ (3,200 BC થી 2,600 BC), પરિપક્વ હડપ્પન યુગ (2600 BC થી 1900 BC) કલાકૃતિઓ સાથે. અને અંતમાં હડપ્પન યુગ (1900 BC થી 1700 BC), અને સ્થાનિકતા 1 જેમાં પરિપક્વ હડપ્પન યુગ અને અંતમાં હડપ્પન યુગની કલાકૃતિઓ છે.
કેરળ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના વડા અને પડાતા બેટ ખોદકામનું નેતૃત્વ કરનાર પ્રોફેસર અભયન જી એસએ જણાવ્યું હતું કે, એક પૂર્વધારણા એ છે કે આ વિસ્તારમાં વસ્તી વધી હશે, આમ વિસ્તાર 2 થી સ્થાનિક 1 સુધી ફેલાય છે અથવા રહેવાસીઓ બાદમાં વિખેરાઈ ગયા. એટલે કે, જુદા જુદા સમયે રહેવા માટે અલગ અલગ વિસ્તારો પસંદ કર્યા.
જ્યારે વસવાટના સ્થળે માત્ર થોડા જ બાંધકામો હોવાનું જણાય છે, સંશોધકોએ જણાવ્યું હતું કે, શક્ય છે કે મોટાભાગના માળખાકીય અવશેષો લેન્ડસ્કેપની અસ્થિર પ્રકૃતિને કારણે નાશ પામ્યા હશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Harappan-remains-in-kutch-1.jpg)
સંશોધકોએ જણાવ્યું હતું કે, માટીથી બનેલા વાસણો અને પ્રાણીઓના હાડકાં - જે ઢોર, ઘેટાં અથવા બકરાં અને શેલના ટુકડાઓનું પ્રતિનિધિત્વ કરે છે, જે સંભવિત પશુપાલન તેમજ શંખ "શોષણ" તરફ નિર્દેશ કરે છે - તે હડપ્પાના લોકોના કબજાના સંકેતો અને પુરાવા છે.
તેમણે કહ્યું કે, ખોદકામની સૌથી આકર્ષક વિશેષતાઓમાંની એક સિરામિક કલાકૃતિઓ છે, જે હડપ્પાની અજાણી માટીકામની પરંપરાઓમાંથી એક હોઈ શકે છે, જેમાં મોટા વાસણ ભંડારમાં, જારથી લઈને નાના બાઉલ અને વાનગીઓનો સમાવેશ થાય છે.
ટીમને કાર્નેલિયન અને એગેટથી બનેલા અર્ધ-કિંમતી પથ્થર-મોતી, ટેરાકોટા સ્પિન્ડલ વોર્લ્સ, તાંબુ, લિથિક ટૂલ્સ, કોરો અને ડેબિટેજ, ગ્રાઇન્ડીંગ સ્ટોન્સ અને હથોડા પથ્થર પણ મળી આવ્યા હતા. છોડના શોષણને વધુ ઓળખવા અને કૃષિ પદ્ધતિઓને સમજવા માટે સ્થળ પરથી પુરાતત્વીય નમૂનાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા છે.
બીજી બાજુ હાડપિંજરની હાજરી અન્ય પ્રશ્ન ઉભા કરે છે. જો સામૂહિક દફન સ્થળ કદાચ વસાહતના લોકો માટે સેવા આપતું હતુ, તો શા માટે આ મૃતદેહના અવશેષો અહીં હતા, અને જુના ખાટિયા દફન સ્થળ પર ન હતા?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Harappan-remains-in-kutch-2.jpg)
રાજેશ જણાવે છે કે, જ્યારે જુના ખાટિયા પ્રારંભિક હડપ્પન તબક્કાનું કબ્રસ્તાન હતું, ત્યારે પડાતા બેટ ખાતેનું હાડપિંજર કદાચ સમય જતાં દફન પ્રથામાં ફેરફાર સૂચવે છે. “આ ઇરાદાપૂર્વકની દફનવિધિ છે અને શક્ય છે કે હાડપિંજરના અવશેષો (પડતા બેટ ખાતેના ખોદકામમાંથી) અંતમાં હડપ્પન સમયગાળાના હોય અથવા નિવાસસ્થાનની નજીકની મર્યાદામાં દફન કરવાની પ્રથા હોય. અમે જુના ખટિયા (સામૂહિક કબ્રસ્તાન) માં હડપ્પન પછીની કોઈ દફનવિધિ જોઈ નથી.
આ પણ વાંચો - ગુજરાત હાર્ડલુક | સાયબર કૌભાંડ : સાયબર ક્રાઇમ વધી રહ્યો – શિક્ષિત, ટેક્નોલોજી માસ્ટર્સ પણ બની રહ્યા શિકાર
ગત વર્ષે રાજેશને જુના ખાટિયા કબ્રસ્તાનની શોધ બદલ શાંઘાઈ યુનિવર્સિટીની ચાઈનીઝ એકેડમી ઓફ સોશિયલ સાયન્સ દ્વારા ફીલ્ડ ડિસ્કવરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
હાડપિંજર, અન્ય કલાકૃતિઓ સાથે, હાલમાં પરિવહનમાં છે અને એક અઠવાડિયામાં કેરળ પહોંચવાની અપેક્ષા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us