Human Rights Day | માનવ અધિકાર દિવસ: ગુજરાતના અસંગઠિત કામદારોનું દબાણ, 'લોકસભા ચૂંટણીમાં વોટ જોઈએ તો, માંગ સ્વીકારવી પડશે'

Human Rights : ગુજરાતના અસંગઠિત ક્ષેત્રના મજૂરો (Gujarat unorganized workers), જેમાં ખેત મજૂરો, બાંધકામ કામદારો, મીઠું પકવતા કામદારો, માછીમારો, ફેરિયા, રિક્ષા ચાલકો, કચરો વીણતા કામદારો, વન પેદાશ એકત્ર કરનારા, ઘરગથ્થુ કામદારો, આ રીતે કામદારોના લગભગ 21 ઔપચારિક જૂથોમાંથી કામદારોના ગ્રુપના સભ્યોએ કાયદાની માંગ કરી.

Human Rights : ગુજરાતના અસંગઠિત ક્ષેત્રના મજૂરો (Gujarat unorganized workers), જેમાં ખેત મજૂરો, બાંધકામ કામદારો, મીઠું પકવતા કામદારો, માછીમારો, ફેરિયા, રિક્ષા ચાલકો, કચરો વીણતા કામદારો, વન પેદાશ એકત્ર કરનારા, ઘરગથ્થુ કામદારો, આ રીતે કામદારોના લગભગ 21 ઔપચારિક જૂથોમાંથી કામદારોના ગ્રુપના સભ્યોએ કાયદાની માંગ કરી.

author-image
Kiran Mehta
New Update
Human Rights Day | Gujarat unorganized workers

ગુજરાતના અસંગઠિત ક્ષેત્રના મજૂરોએ તેમની માંગ માટે રસ્તે ઉતર્યા

Human Rights Day : ગુજરાતના વિવિધ અસંગઠિત ક્ષેત્રોના આશરે 350 મજૂરોએ રવિવારે માનવ અધિકાર દિવસ નિમિત્તે લઘુત્તમ વેતન અને અસ્થાયી આવાસ માટેની જોગવાઈઓ જેવા તેમના વિવિધ અધિકારોની સુરક્ષા માટે એક યોગ્ય કાયદો ઘડવાની માંગ કરી હતી. તેઓએ એવી પણ ચેતવણી આપી હતી કે, જો રાજ્ય સરકાર તેમની માંગણીઓ સંતોષવામાં નિષ્ફળ જશે તો તેઓ આગામી લોકસભા ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરશે.

Advertisment

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) હેઠળ ખેત મજૂરો, બાંધકામ કામદારો, મીઠું પકવતા કામદારો, માછીમારો, ફેરિયા, રિક્ષા ચાલકો, કચરો વીણતા કામદારો, વન પેદાશ એકત્ર કરનારા, ઘરગથ્થુ કામદારો, આ રીતે કામદારોના લગભગ 21 ઔપચારિક જૂથોમાંથી કામદારો, અને સ્વચ્છતા કામદારો, તેમની ચિંતાઓ અને પડકારો માટે લાલ દરવાજા વિસ્તારમાં ગંગા ગોવિંદ મંગલ ભુવન હોલ ખાતે અસંગઠિત શ્રમિક હિતરક્ષક મંચ, ગુજરાત (ASHMG) ના બેનર હેઠળ મળ્યા હતા.

જૂથે માંગણીઓનું એક મેમોરેન્ડમ પણ તૈયાર કર્યું છે જે તેઓ 12 ડિસેમ્બરે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતને સુપરત કરે તેવી શક્યતા છે. કામદારોની મુખ્ય માંગણીઓમાં અસંગઠિત ક્ષેત્રના કામદારોના કલ્યાણ માટે અલગ સંપૂર્ણ કાયદો બનાવવાની છે. તેમના શોષણને રોકવા માટે.

આ પણ વાંચો - Aravali Accident : ગુજરાતના અરવલ્લીમાં અકસ્માત, હાઈવે નજીક ટ્રક અને ટુ-વ્હીલરની ટક્કરમાં ત્રણના મોત

Advertisment

ગ્રૂપના કન્વીનર વિપુલ પંડ્યાના જણાવ્યા અનુસાર, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન મુજબ ગુજરાતમાં 2.5 કરોડ કામદારો છે, જેમાંથી લગભગ બે કરોડ અસંગઠિત ક્ષેત્રના છે. “અસંગઠિત ક્ષેત્રના આ કામદારો આઝાદીના આટલા વર્ષો પછી પણ સંગઠિત ક્ષેત્રના કામદારો દ્વારા ભોગવતા મોટાભાગના લાભોથી વંચિત છે. અમે માંગણીઓનું એક મેમોરેન્ડમ તૈયાર કર્યું છે, જેમાં અમારી સામાન્ય માંગણીઓ અને ક્ષેત્રીય માંગણીઓનો પણ સમાવેશ થાય છે," પંડ્યાએ કહ્યું, "જો તેઓ અસંગઠિત ક્ષેત્રના બે કરોડ મજૂરોના મત ઇચ્છતા હોય, તો તેઓએ અમારી માંગણીઓ સ્વીકારવી પડશે".

ગુજરાતી ન્યૂઝ ગુજરાત સરકાર અમદાવાદ ગુજરાત