શિકારી ખુદ શિકાર? 'વ્હિસલ બ્લોઅર' તરીકે જાણીતા યુવરાજસિંહ જાડેજા પર શું આરોપ, કેમ થઈ ધરપકડ?

Yuvraj Singh Jadeja arrested : આપ (AAP) નેતા યુવરાજ સિંહ જાડેજાની મુશ્કેલી વધી ગઈ છે, ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા 29 એપ્રિલ સુધી રિમાન્ડ પર છે, સ્પર્ધાત્મક પરીક્ષાના કૌભાંડી (Competitive Examination Scams) પાસેથી કથિત રીતે પૈસા પડાવવાના આરોપમાં ધરપકડ કરાઈ છે.

Yuvraj Singh Jadeja arrested : આપ (AAP) નેતા યુવરાજ સિંહ જાડેજાની મુશ્કેલી વધી ગઈ છે, ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા 29 એપ્રિલ સુધી રિમાન્ડ પર છે, સ્પર્ધાત્મક પરીક્ષાના કૌભાંડી (Competitive Examination Scams) પાસેથી કથિત રીતે પૈસા પડાવવાના આરોપમાં ધરપકડ કરાઈ છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
AAP Yuvraj Singh Jadeja

આપ લીડર યુવરાજ સિંહ જાડેજા (ફાઈલ ફોટો)

રાશિ મિશ્રા : 34 વર્ષિય યુવરાજસિંહ જાડેજા ગુજરાતભરમાં "વ્હિસલ બ્લોઅર" તરીકે જાણીતો બન્યા છે, જ્યારે તેમની કથિત રીતે પૈસા પડાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, એક રેકેટ ચલાવાવામાં આવી રહ્યું હતુ, જેમાં "ડમી" નો ઉપયોગ કરીને મોટી રકમ માટે સરકારી ભરતી પરીક્ષામાં બેસવા માટે ઉપયોગ કરતા હતા.

Advertisment

યુટ્યુબર અને વિદ્યાર્થી કાર્યકર્તા 2021 માં આમ આદમી પાર્ટી (AAP) માં જોડાયા તે પહેલાં, તે રાજ્યમાં બેરોજગારીના મુદ્દાને સખત રીતે આગળ વધારવા માટે ફેમસ હતા, ખાસ કરીને ગુજરાત સરકારની ભરતી પ્રક્રિયાઓના સંદર્ભમાં - સ્પર્ધાત્મક રીતે યોજાયેલી પરીક્ષાઓથી. પોલીસ પ્રશિક્ષણ કાર્યક્રમોમાં ભાગ લેતા ઢોંગ કરનારાઓને - જેમાંથી ઘણાની રાજ્ય પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસે નોંધાવેલી ખંડણીની ફરિયાદમાં દિવસભરની પૂછપરછ પછી જાડેજાની શુક્રવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી, એ આરોપોના આધાર પર, જેને કાર્યકર્તાએ ઉજાગર કરવાનો દાવો કર્યો હતો, અને ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (બીએસજી) દ્વારા 29 એપ્રિલ સુધી રિમાનડ પર છે. ડમી ઉમેદવારના આ કેસમાં કથિત આરોપીઓ પાસેથી એક કરોડ રૂપિયાની ઉચાપત કરવાના આરોપનો સામનો કરી રહ્યા છે.

આ ઘટનાથી લાગે છે કે AAP અને કોંગ્રેસના રાજ્ય એકમો ગુજરાત ભાજપ સરકાર સામે એક થયા છે.

Advertisment

ગુજરાત AAP પ્રમુખ ઇસુદાન ગઢવીએ શુક્રવારે કહ્યું હતું કે, "યુવરાજ સિંહ યુવાનોનો અવાજ છે અને તેણે ઘણા પેપર લીકનો પર્દાફાશ કર્યો છે. રસપ્રદ વાત એ છે કે, ન તો આ પેપર લીકના માસ્ટર માઈન્ડ, ન તો ડમી ઉમેદવારોના કૌભાંડના માસ્ટર માઈન્ડ, કે ન તો ટ્રેનિંગમાં ભાગ લેવા માટે 40 લાખ રૂપિયા ચૂકવવામાં આવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર હજુ સુધી પકડાયા નથી. આ પૈસા ક્યાંથી આવ્યા? આ ઓન રેકોર્ડ છે કે, અત્યાર સુધી જેટલા પેપર લીક થયા છે, તે તમામ પેપરને યુવરાજ સિંહે લીલી ઝંડી દેખાડી છે. એવામાં સ્વભાવિક છે કે, શક્તિશાળી તાકાતો તેમનાથી નારાજ છે.

જાડેજાના સમર્થનમાં બહાર આવનારા નેતાઓમાંના એક વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા પણ હતા. ગઢવીની સાથે જ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં, ચાવડાએ જાડેજાની ધરપકડને વખોડી કાઢી, "ફરિયાદો અને પુરાવાઓ સાથે પેપર-લીક અને ડમી-ઉમેદવારોના કૌભાંડોનો પર્દાફાશ કરનાર યુવરાજ સિંહ જેવા કોઈને" શા માટે જેલમાં મોકલવામાં આવે છે તે જાણવાની માંગણી કરી?

“156 (સીટો)ની બહુમતી ધરાવતી આ સરકારે પેપર લીક કરનારાઓને, જેઓ ડમી ઉમેદવારોના રેકેટમાં (ભાવનગરમાં) સંડોવાયેલા છે તેમને તેની 56 (ઇંચ) છાતી બતાવવી જોઈતી હતી અને આરોપીઓને જેલમાં મોકલવા જોઈએ. બલ્કે, આ નિરંકુશ સરકારમાં જે લોકો સામાન્ય જનતાના પ્રશ્નોને સામે લાવી રહ્યા છે, જેઓ સરકારના કૌભાંડોનો પર્દાફાશ કરી રહ્યા છે, તેમને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે.

ગુજરાત રાજ્ય કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, "આ કોંગ્રેસ અને AAPની વાત નથી," પરંતુ સરકારે જવાબ આપવાની જરૂર છે કે, તેણે આ લીક વિશે ક્યારેય કેમ વાત કરી નથી. તેમણે કહ્યું, "એવુ શક્ય નથી કે આટલા મોટા કૌભાંડો સરકારમાં કોઈને જાણ થયા વિના થાય."

અગાઉ આ પેપરને આપેલા એક ઈન્ટરવ્યુમાં જાડેજાએ કહ્યું હતું કે, 'હું એ વિચારીને AAPમાં જોડાયો છું કે હું તેમાં યુવાનો, શિક્ષણ અને રોજગાર માટે વધુ સારું કામ કરી શકું. તે માત્ર સત્તામાં રહેલી સરકાર પર સવાલ ઉઠાવવાનું ન હતુ. જે હું આપમાં જોડાયો તે પહેલા કરતો આવ્યો છુ. મેં મારો પહેલો વિરોધ 2019 માં ભરતી પરીક્ષામાં પેપર લીક સામે કર્યો હતો. મેં પુરાવા એકઠા કર્યા હતા અને સરકારને સ્થળ પર જ સત્તા પર લાવી હતી.

નવેમ્બર 2022 માં આપેલા અન્ય એક ઇન્ટરવ્યુમાં, જાડેજાએ જણાવ્યું હતું કે, તેનો જન્મ અને ઉછેર ગોંડલમાં થયો હતો, અને 2009 માં તેના સ્નાતક સુધી ત્યાં જ અભ્યાસ કર્યો હતો. B.Com ના વિદ્યાર્થી, તેમણે આ સિવાય પોતાના વતનમાં કમ્પ્યુટર સાયન્સમાં ડિપ્લોમા પણ કર્યું. 2009 અને 2012 ની વચ્ચે, તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરી અને શેર ટ્રેડિંગના વ્યવસાયમાં તેના પરિવારને મદદ કરી.

જ્યારે 2008 અને 2011 ની મંદી વિશ્વમાં આવી ત્યારે, તેમણે એક અલગ રસ્તો શોધવાનું નક્કી કર્યું - એક સક્ષમ વ્યવસાય - પોતાની જાતે શરૂ કરવા માટે - અને 2012 માં વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ માટે ગાંધીનગર આવ્યા. AAP નેતાએ કહ્યું, "હું 2012માં નવા બિઝનેસ આઈડિયા સાથે ગાંધીનગર આવ્યો હતો, વાઈબ્રન્ટ ગુજરાત દ્વારા ફંડની શોધમાં હતો."

“તેની સાથે જ, હું રાજ્ય સિવિલ સર્વિસિસ અને અન્ય રાજ્ય ભરતી પરીક્ષાઓ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ ટ્યુટર કરું છું. હું પોતે એક અલગ પરીક્ષા માટે બેઠો હતો - ગુજરાત જાહેર રાજ્ય સેવા વર્ગ I અને II - કારણ કે મેં નક્કી કર્યું હતું કે, જો મારે સરકારી નોકરી મેળવવી હોય, તો તે અધિકારી ગ્રેડ I હોવી જોઈએ. મેં 2014 અને 2016માં પરીક્ષા આપી હતી, પરંતુ પ્રિલિમિનરી રાઉન્ડ ક્લિયર કરી શક્યો નહોતો. તેથી મેં વિવિધ સમુદાયોના વિદ્યાર્થીઓને ભણાવવાનું ચાલુ રાખવાનું નક્કી કર્યું, આ સફર ઓગસ્ટ 2016 માં શરૂ થઈ હતી અને 2021 સુધી ચાલુ રહી છે."

જાડેજાએ કહ્યું કે, ગૌરવશાળી શિક્ષક હંમેશા વિદ્યાર્થીઓને વિવિધ રાજ્ય-સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાર પાડવામાં મદદ કરે છે, તેમના દ્વારા શીખવવામાં આવેલા લગભગ 8,000 વિદ્યાર્થીઓ વિવિધ નોકરીઓ માટે લાયક બન્યા છે, તેવો તેઓ દાવો કરે છે - તેણે પોતે એકમાં ગ્રેડ મેળવ્યો છે. “2014 માં, હું પોલીસ ભરતી બોર્ડની પરીક્ષામાં કોન્સ્ટેબલની પોસ્ટ માટે ક્વોલિફાય થયો હતો. મને અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કામ કરવા માટે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ મેં ઑફર નકારી કાઢી હતી. મે પરિવારના દબાણ હેઠળ પરીક્ષા આપી હતી કારણ કે, તેઓ ઈચ્છતા હતા કે હું સરકારી નોકરી કરું અને સેટલ થઈ જાઉં, લગ્ન કરું. પરંતુ મને જીવનમાં અલગ વસ્તુઓ જોઈતી હતી."

ડિસેમ્બર 2022માં AAPએ જાડેજાને ગાંધીનગર જિલ્લાની દહેગામ બેઠક માટે પક્ષના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા, જોકે બાદમાં તે હરીફાઈમાંથી ખસી ગયા હતા અને દાવો કર્યો હતો કે, તેઓ પક્ષના "સ્ટાર પ્રચારક" હશે. AAPએ ગુજરાત વિધાનસભામાં પાંચ બેઠકો જીતી, રાજ્યમાં તેની શરૂઆત કરી.

ગયા વર્ષે જાડેજાએ ગુજરાતમાં 2014થી અત્યાર સુધીની તમામ સરકારી ભરતીઓની સીબીઆઈ તપાસની માંગણી કરી હતી. તેમણે ઈન્ડિયન એક્સપ્રેસને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેમણે તે વર્ષ પસંદ કર્યું હતું કારણ કે "નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવા માટે ગુજરાતમાંથી બહાર નીકળ્યા પછી ભ્રષ્ટાચારીઓનો ડર ખતમ થઈ ગયો હતો".

જાડેજાના ખુલાસા બાદ ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડ (GSSSB) દ્વારા લેવામાં આવેલી ઓછામાં ઓછી બે પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. જો કે, તેમણે એવો દાવો કર્યો હતો કે, તેઓ AAPના સભ્ય તરીકે પરીક્ષા પ્રણાલીમાં આ લિકનો પર્દાફાશ કરી રહ્યા નથી, કારણ કે, “રાજ્ય સરકારનું વલણ એ છે કે, જો વિપક્ષમાંથી કોઈ મુદ્દો ઉઠાવે છે, ભલે ગમે તેટલો મહત્વપૂર્ણ ન હોય, તેને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જ્યારે તમે એક વિદ્યાર્થી પ્રતિનિધિ છો ત્યારે તટસ્થ વ્યક્તિ તરીકે બોલવું જરૂરી છે, જેથી લોકો એવું પણ ન વિચારે કે, હું રાજકીય લાભ માટે આવું કરી રહ્યો છું.

ફેબ્રુઆરી 2023 માં, તેણે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ભરતી પરીક્ષા 2021 માં છેતરપિંડીનો પર્દાફાશ કર્યો, જેના કારણે ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી. મયુરકુમાર તડવીનો મામલો કરાઈ પોલીસ એકેડમીના ધ્યાન પર આવ્યો, જ્યારે તેઓ તાલીમાર્થીઓ માટે ફેબ્રુઆરી 2023 ની પે સ્લિપ તૈયાર કરી રહ્યા હતા. પોલીસ ભરતી બોર્ડ દ્વારા શ્રેણીબદ્ધ કસોટીઓ દ્વારા કુલ 582 તાલીમાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. પોલીસે પાછળથી દાવો કર્યો હતો કે, એકેડેમીમાં ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ "ગુપ્ત તપાસ" હાથ ધરવામાં આવી હતી અને જ્યારે જાડેજાએ આ મુદ્દો જાહેર કર્યો ત્યારે તડવી પહેલેથી જ દેખરેખ હેઠળ હતો.

આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચારમાં બેરોજગારી અને પેપર લીકનો મુદ્દો વ્યાપકપણે ઉઠાવ્યો હતો. આ મુદ્દો કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણીની દોડમાં ઉઠાવવામાં આવ્યો હતો, આખરે ભાજપે પેપર લીકને રોકવા માટે ફેબ્રુઆરીમાં નવો કાયદો લાવવાની આગેવાની કરી હતી, જેમાં દોષિતોને 10 વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ, 2023, પેપર લીકને "સંગઠિત અપરાધ" તરીકે વ્યાખ્યાયિત કરે છે.

ડિક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતી ન્યૂઝ ગુજરાત Express Exclusive આપ ભાજપ