Exclusive: ‘ભાજપ એ ડાયનાસોર જેવું છે, હાલ ખબર નથી કે તેની પૂંછડી કચડાઈ રહી છે’: મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ

ગુજરાત ભાજપમાં લોકસભા ચૂંટણીને લઈ આંતરિક ડખો સામે આવ્યો છે, વડોદરામાં પૂર્વ મહિલા મોર્ચા અધ્યક્ષ જ્યોતિ પંડ્યા સસ્પેન્ડ થયા, તેમણે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવી ભાજપની દુર થવાની તમામ વિગત

Written by Kiran Mehta
March 18, 2024 13:53 IST
Exclusive: ‘ભાજપ એ ડાયનાસોર જેવું છે, હાલ ખબર નથી કે તેની પૂંછડી કચડાઈ રહી છે’: મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ
જ્યોતિ પંડ્યા, પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ભાજપ મહિલા મોરચા (એક્સપ્રેસ ફાઈલ ફોટો)

અદિતી રાજા | Exclusive Interview Jtyoti Pandya, Vadodara : ભાજપ મહિલા મોરચાના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જ્યોતિ પંડ્યાને ગત અઠવાડિયે પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેણીએ આગામી લોકસભામાં ત્રીજી વખત વર્તમાન સાંસદ રંજન ભટ્ટના નામાંકન સામે અસંતોષ વ્યક્ત કરવા માટે પત્રકાર પરિષદ યોજી હતી.

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેના એક વિશિષ્ટ ઈન્ટરવ્યુમાં, જ્યોતી પંડ્યા, જેમણે પાર્ટીમાં 38 વર્ષથી વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું છે, તેમણે વડોદરા અને ભાજપને લગતા વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી, જ્યારે સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાની શક્યતાને નકારી પણ ન હતી.

શું તેમનો પદ છોડવાનો આવેગપૂર્ણ નિર્ણય છે કે, વિચાર્યા બાદ લેવાયેલ નિર્ણય છે?

તેમણે કહ્યું, આ અનુભૂતિ થોડા સમય પહેલા થઈ હતી, મને ખરાબ ત્યારથી લાગવા માંડ્યું, જ્યારે પાર્ટીઓમાં મહિલાઓ આવીને તેમની કહાની શેર કરતી, જ્યાં-જ્યાં તેમનું અપમાન થયું હતું અથવા તેમની સાથે કઠોર વર્તન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા, વિધાનસભા કે અન્ય ચૂંટણીઓના ચૂંટણી પ્રભારી તરીકે હું અવારનવાર સુરત જતી અને ત્યાંનો વિકાસ જોતી, ત્યારે પણ વડોદરા માટે મને નિરાશાની લાગણી વધવા લાગી.

મારા મગજમાં આ પહેલાથી જ હતુ પરંતુ, રંજન ભટ્ટ માટે ત્રીજી ટર્મ એક હવે ટ્રિગર છે. પાર્ટીએ અઠવાડિયામાં બે વાર મારો બાયોડેટા લીધો હતો અને હું ખૂબ જ શાંત અને આત્મવિશ્વાસથી ભરપૂર હતી કારણ કે, 10 વર્ષ (ભટ્ટનો કાર્યકાળ) અસમર્થતા સાબિત કરવા માટે પૂરતો સમય હતો. મારો પ્રશ્ન એ છે કે, તમે આવું કેમ કરી રહ્યા છો (રંજનબેન ભટ્ટને કાર્યકાળ) ત્રીજી મુદત માટે તેમીન કેમ મેદાનમાં ઉતર્યા? જો આ સ્ત્રીની હઠ છે, તો હું પણ તે મેળવી શકું છું.

જો ઉમેદવાર અન્ય કોઈ હોત, તો શું તમે પદ છોડ્યું હોત?

જો રંજનબેન ભટ્ટ ત્યાં ન હોત અને કોઈ અન્ય ઉમેદવાર હોત, તો મેં હોદ્દો છોડ્યો ન હોત. મને મેયરશિપ (ડિસેમ્બર 2010 થી 2013 ના મધ્ય સુધી) આપવામાં આવી હતી કારણ કે, હું શિક્ષિત, યુવા, અને ગતિશીલ હતી અને મારો સંપૂર્ણ સમય મે હંમેશા પાર્ટીને આપ્યો હતો. મને પ્રશ્ન એ છે કે, તમે શા માટે એવી વ્યક્તિને પસંદ કરી, જે પરફોર્મ નથી કરી રહી? વડોદરામાં નેતાઓની કમી નથી. પાર્ટીને ચાલુ રાખવા માટે નવા ચહેરાની જરૂર હતી, જો તમે એ જ લોકોને રિપીટ કરતા રહેશો તો, યુવા પેઢી વિચારશે કે ‘આપણે અહીં પાર્ટીમાં શું કરી રહ્યા છીએ.’

પાર્ટી સૌથી નીચલા સ્તરના કાર્યકરોને પણ 24×7 સખત મહેનત કરાવે છે. તેમણે પણ બધું બાજુ પર છોડીને પાર્ટીના તમામ ફોન કોલમાં હાજરી આપવી પડશે. જો તમે આ ન કરો, તો તમે બહાર છો!

તમારા નિર્ણયની જાણ કરવા માટે તમે પાર્ટીમાં પ્રથમ કોલ કોને કર્યો?

મેં (CR) પાટીલ સાહેબ અને (ભાજપના પ્રદેશ મહાસચિવ) રત્નાકરજી સાથે વાત કરી. બંનેએ મારા ફોનનો જવાબ આપ્યો. પાટીલે વિજય શાહ (વડોદરા શહેર પ્રમુખ) અને બાલુ શુક્લા (ધારાસભ્ય રાવપુરા અને વિધાનસભામાં ભાજપના મુખ્ય દંડક) ને મારી સાથે વાત કરવા મોકલ્યા, પણ મને ખબર હતી કે, તેઓ માત્ર ઔપચારિકતા ખાતર ત્યાં આવ્યા હતા, અને તેઓ ખરેખર હું રોકાઉ, તેવું ઈચ્છતા ન હતા.

તમે એવું કેમ કહ્યું કે, ભાજપના નેતાઓ બોલતા ડરે છે?

દરેકને એટલી ખરાબ રીતે અપમાનિત કરવામાં આવે છે કે, તેઓ બોલતા ડરે છે. તમારે લાઇનમાં રહેવું પડશે અથવા સસ્પેન્ડ થવું પડશે. પક્ષની વિચારધારા સાથે પક્ષપલટાથી ચેડા કરવામાં આવ્યા છે, એટલે કે, નવા લોકોને લાવવામાં આવ્યા છે.

આજે ભાજપ એક મોટા ડાયનાસોર જેવો બની ગયો છે, જેને ખબર નથી કે તેની પૂંછડી કચડવામાં આવી રહી છે. આ વિશાળ શરીરમાં ચેતાતંત્ર દ્વારા મગજ સુધી સંદેશ પહોંચતા સમય લાગશે, પરંતુ પૂંછડી કચડાઈ હોવાની વાક મગજ સુધી જરૂર પહોંચશે.

મેં જે ભાજપ સાથે શરૂઆત કરી હતી, તે દ્રઢ વિશ્વાસ અને વિચારધારા પર આધારિત પાર્ટી હતી, જે પ્રતિબદ્ધતાનું સન્માન કરતી હતી. આજે, તમે ખાતરી નથી કરી શકતા કે, પ્રતિબદ્ધતાનું મૂલ્ય થશે કે કેમ અને જેઓ હમણાં જ જોડાયા છે તેઓ પ્રતિબદ્ધતા બતાવશે કે કેમ.

તમે રંજન ભટ્ટના કાર્યકાળમાં વડોદરામાં વિકાસના અભાવની વાત કરી હતી? તમે શું કહેવા માંગતા હતા?

હું હંમેશા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ઉત્સુક હતી – પીવાનું પાણી અને ડ્રેનેજ લાઈનો અનેકવાર મિશ્રિત થાય છે. VMC (વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન) વિભાગોમાં સંકલનનો અભાવ છે – તેઓ રસ્તાના બાંધકામ અને સમારકામ પછી તરત જ પાઇપલાઇન નેટવર્ક નાખે છે. અમારે વડોદરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટની જરૂર છે, જે બન્યું નથી. નજીકમાં આણંદ જિલ્લો છે, જ્યાં લાખો આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ આવે છે, જેમને અમદાવાદ ઉતરવું પડે છે, જોકે વડોદરા નજીક છે. ઈન્ટરનેશનલ એરપોર્ટને ઝડપી બનાવવા અને વડોદરા વધુ પેસેન્જરો લાવવા માટે આપણી પાસે શા માટે વિઝનનો અભાવ છે? વડોદરાએ એઈમ્સ ગુમાવ્યું અને પછી અમે કહીએ છીએ કે, એમપી અને રાજસ્થાનના દર્દીઓને કારણે એસએસજી હોસ્પિટલ ઓવરલોડ છે. તો અમને એઈમ્સ કેમ ન મળી? કેન્દ્ર સરકાર બધું આપવા તૈયાર છે, પરંતુ શહેરના આગેવાનો પાસે માંગવાનુ વિઝન હોવુ જોઈએ.

ભાજપના શહેર એકમ પર વારંવાર VMCના કામમાં દખલ કરવાનો આરોપ લગાવવામાં આવે છે, શું આ કામમાં બાધા કરે છે?

આ સાચું છે કે, કેટલાક ઘણી વખત દખલ કરે છે. જો જરૂરી હોય, તો તમે કરો, પરંતુ જો દરેક પક્ષના કાર્યકર્તા સૂચનાઓ આપવાનું શરૂ કરશે, તો તેઓ (VMC અધિકારીઓ) બધું કેવી રીતે અનુસરશે? આપણા ઘરમાં પણ દરેક સભ્ય ઘરની મદદગારને સૂચના આપતા નથી. નેતાઓમાં સાક્ષરતાનો અભાવ હોય છે પરંતુ, પરિપક્વતા ઘણી મદદ કરી શકે છે. પરંતુ કેટલાક નેતાઓમાં દૂરદર્શિતા અને નિઃસ્વાર્થતાનો અભાવ છે. તેઓ માત્ર નિહિત સ્વાર્થ અને સત્તા માટે કામ કરી રહ્યા છે, કોઈ સામૂહિક વિચાર નથી.

વહીવટી અધિકારીઓ અને ચૂંટાયેલા નેતાઓ વચ્ચે કોમ્યુનિકેશન ગેપ એક સમસ્યા છે?

છેલ્લા ત્રણ દાયકાથી રાજ્યમાં ભાજપ શાસક પક્ષ છે પરંતુ, તે વાસ્તવિક સ્થાનિક નેતાઓની સામૂહિક ઇચ્છા છે (જે વિકાસ લાવે છે). હું છેલ્લા બે દિવસથી વાત કરી રહી છું અને તેથી આ મુદ્દાઓ જાહેર ચર્ચા માટે આવ્યા છે. હું જાણતી હતી કે, જો હું બોલીશ તો મને સસ્પેન્ડ કરવામાં આવશે. પરંતુ હું સત્ય બહાર લાવવા માંગુ છું, જેથી નેતૃત્વ સુધી આ વાત પહોંચે અને તે સાંભળી શકે.

શું એ વાત સાચી નથી કે, વડોદરા અને મધ્ય ગુજરાતમાં રાજ્ય સરકારમાં પ્રતિનિધિત્વનો અભાવ છે, જેની અસર વિકાસ પર પણ પડે છે?

સી.આર. પાટીલ વડોદરામાં હતા (વડોદરા જિલ્લા પક્ષ કાર્યાલયના ઉદ્ઘાટન માટે) અને કહ્યું કે, સ્થાનિક નેતાઓ વિકાસની માંગણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે તો સારું રહેશે, પરંતુ સાત કલાકની અંદર, તેમણે એકમના વડાઓ પર સમાન અસમર્થ ઉમેદવારનો બોજ નાખ્યો. જેઓ તેમના દાયકાના લાંબા કાર્યકાળ દરમિયાન કોઈ નોંધપાત્ર કામ કરી શક્યા નથી અને તેમને બરતરફ કરવાની જરૂર છે. તેઓ વડોદરાના નેતાઓને ગાજર-મૂળા (ગાજર-મૂળા જેવા તુચ્છ) માને છે, જ્યારે પણ પાટીલ વડોદરા આવે છે, ત્યારે તેઓ ઉશ્કેરણીજનક નિવેદનો કરે છે અને પક્ષના જૂથોમાં દુશ્મનાવટ ઊભી કરે છે.

તમે કયા વાસ્તવિક નેતૃત્વ વિશે વાત કરો છો?

વાસ્તવિક નેતૃત્વનો અર્થ શું છે? તેનો અર્થ છે સમસ્યાઓને સમજવી અને યોગ્ય ઉકેલ આપવો. આ માટે તમારે સંસ્થા અને તેના લોકોની આકાંક્ષાઓને સમજવા માટે ટીમ વર્ક, કોમ્યુનિકેશન અને કૌશલ્યની જરૂર છે. આ વાસ્તવિક નેતૃત્વની ક્યાંક કમી છે. અમે જાણીએ છીએ કે, IAS અધિકારીઓ વડોદરામાં પોસ્ટિંગ ઓછી કરી રહ્યા છે.

અધિકારીઓ લાયક અને કાર્યક્ષમ હોય છે પરંતુ, તેઓ માત્ર એવી વ્યક્તિ સાથે કામ કરી શકે છે, જે સિસ્ટમના અવકાશ અને મર્યાદાઓને સમજે છે. ઉપરાંત તમારે સમયમર્યાદા સાથે કામ કરવું પડશે. આ વાત સાચા નેતાઓ જ જાણશે.

વિકાસનો અભાવ છતા વડોદરાની પ્રજાએ ભાજપને ચૂંટણીમાં કેમ મત આપ્યા?

ઘણા આભાસી નેતાઓ છે અને લોકો વાસ્તવિક નેતૃત્વની શોધમાં છે. જો તેઓને આ મળી જશે, તો તેઓ બીજા કોઈને પણ મત આપશે. લોકો માત્ર (નરેન્દ્ર) મોદીજી પર ભરોસો કરે છે કારણ કે, તેઓ સાચા નેતા છે અને તેમણે વારાણસીને તેમના મતવિસ્તાર તરીકે પસંદ કરતી વખતે વડોદરાને વચન આપ્યું હતું પરંતુ, તેઓ એવા વ્યક્તિને વડોદરા સોંપી રહ્યા છે, જે નિષ્ફળ ગયા છે. લોકો, મોદીજીને મત આપે છે કારણ કે, તેઓ આવતા રહે છે, લોકોને ખાતરી આપવા માટે કે, તેઓ અહીં જ છે.

શું તમે અપક્ષ તરીકે ચૂંટણી લડશો?

શક્યતાઓ છે, પરંતુ આ સમયે, હું કંઈપણ માટે પ્રતિબદ્ધ કરી શકતી નથી. પરંતુ, પરિસ્થિતિ દર મિનિટે બદલાઈ રહી છે અને ઘણા લોકો મારો સંપર્ક કરી રહ્યા છે. આ એક ડરામણું ચિત્ર છે કારણ કે, પક્ષના સમર્થન વિના હું કેવી રીતે (ચૂંટણી લડીશ)? પરંતુ મારી ઈચ્છા છે અને જો મને સારું નેટવર્ક મળે તો હું જરૂર ચૂંટણી લડી શકું છુ. વડોદરાના લોકો મને આવુ કંઈક કરવાનું કહેશે તો હું કરીશ. અત્યારે, મારું 70 ટકા મન સખત મહેનત અને તેને પૂર્ણ કરવાનું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ