કચ્છના વેપારી પાસેથી રૂ. 3.75 કરોડ પડાવ્યા, 6 પૈકી 4 પોલીસકર્મી સામે ગુનો નોંધાયો, જાણો - શું છે કેસ?

policemen extorting case mundra : કચ્છના મુંદ્રાના સોપારી વેપારી (Kutch businessman) નો માલ પકડી પોલીસકર્મીઓએ કેસ પતાવવા 3.75 કરોડની વેપારી પાસેથી ઉચાપત કરી હોવાના મામલે પોલીસકર્મીઓ હજુ પણ ધરપકડથી દુર, તો જોઈએ શું છે પુરો મામલો.

policemen extorting case mundra : કચ્છના મુંદ્રાના સોપારી વેપારી (Kutch businessman) નો માલ પકડી પોલીસકર્મીઓએ કેસ પતાવવા 3.75 કરોડની વેપારી પાસેથી ઉચાપત કરી હોવાના મામલે પોલીસકર્મીઓ હજુ પણ ધરપકડથી દુર, તો જોઈએ શું છે પુરો મામલો.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
policemen extorting case mundra

પોલીસકર્મીઓએ ઝીરો સર્કલ ખાતે રૂ. 1 કરોડની કિંમતની સુપારી ભરેલી ટ્રકને અટકાવી, મુન્દ્રામાં 4FLPL ગોડાઉનના મેનેજર આશિષ પટેલનું અપહરણ કર્યું અને પંડિત પાસેથી રૂ. 3.75 કરોડની ઉચાપત કર્યાના લગભગ છ મહિના પછી FIR દાખલ કરવામાં આવી છે. (પ્રતિનિધિત્વ/ફાઈલ)

ગોપાલ કટેસિયા : કચ્છ જિલ્લાના મુન્દ્રા શહેરમાં સોપારી ભરેલી ટ્રકને કથિત રૂપે અટકાવ્યા પછી છ મહિના પછી, જ્યાં સોપારી ભરેલી હતી તે ગોડાઉનના મેનેજરનું અપહરણ કર્યું અને ગોડાઉનના માલિક પાસેથી રૂ. 3.75 કરોડની ઉચાપત કરી, આ મામલે કચ્છના ચાર પોલીસકર્મી સહિત છ લોકો ( પશ્ચિમ) વિરુદ્ધ અપહરણ, ખંડણી અને ગુનાહિત ષડયંત્રના આરોપ હેઠળ ગુનો નોંધ્યો છે. તમામ છ ફરાર છે, પોલીસે ગુરુવારે જણાવ્યું હતું.

Advertisment

કિરીટસિંહ ઝાલા, રણવીરસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ઝાલા, ભરત ગઢવી, શૈલેન્દ્રસિંહ ઉર્ફે ભાનુભા સામે 10 ઓક્ટોબરના રોજ 4Fox લોજિસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડ (4FLPL) ના ડિરેક્ટર અનિલ પંડિત દ્વારા મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે FIR દાખલ કરવામાં આવી છે.

કિરીટસિંહ, રણવીરસિંહ અને રાજેન્દ્રસિંહ ભુજમાં કચ્છ (પશ્ચિમ) પોલીસના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI) છે, જ્યારે ગઢવી એ જ પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા હેડ કોન્સ્ટેબલ છે. સોઢા ગાંધીધામના રહેવાસી છે અને કચ્છમાં ફરજ બજાવતા સ્વર્ગસ્થ IPS અધિકારીના ભત્રીજા છે. મોહતા ગાંધીધામના વેપારી છે.

છ પોલીસકર્મી પર આઈપીસી કલમ 365 (ગુપ્ત રીતે અને ખોટી રીતે વ્યક્તિને બંધક રાખવાના ઈરાદા સાથે અપહરણ), 342 (ખોટી રીતે કેદ), 389 (વ્યક્તિને ગુનાના આરોપના ડર બતાવી છેતરપિંડી કરવી) 384 (ખંડણી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તો 120B (ગુનાહિત કાવતરું) અને 114 (અપરાધ કરવામાં આવે ત્યારે પ્રેરક હાજર). સહિતની કલમો સાથે ગુનો નોંધાયો છે.

Advertisment

પોલીસકર્મીઓએ ઝીરો સર્કલ ખાતે રૂ. 1 કરોડની કિંમતની સોપારી ભરેલી ટ્રકને અટકાવી હતી, ત્યારબાદ મુન્દ્રામાં 4FLPL ગોડાઉનના મેનેજર આશિષ પટેલનું અપહરણ કર્યું અને પંડિત પાસેથી રૂ. 3.75 કરોડની ઉચાપત કર્યાના લગભગ છ મહિના પછી FIR દાખલ કરવામાં આવી છે. પંડિતે 27 જૂને ભુજમાં બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથાલિયાને અરજી સબમિટ કર્યાના લગભગ સાડા ત્રણ મહિના પછી પણ તે ધક્કા ખાય છે.

મોથાલિયાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, ધાનેરા ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી છે“ અમને અરજીની સામગ્રીમાં પ્રથમ દૃષ્ટિએ કેસ મળ્યા પછી, અમે જુલાઈમાં ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા અને ત્યારથી તેઓ ફરાર છે. અન્ય બે જેઓ ગાંધીધામના રહેવાસી છે, તેઓ પણ ફરાર છે. તેમને પકડવાના પ્રયાસો ચાલુ છે.”

મુંબઈના વતની, પંડિત હાલમાં ગાંધીધામમાં રહે છે અને નિકાસ-આયાતનો વ્યવસાય કરતા મોહતા સાથે પરિચિત છે.

એફઆઈઆર મુજબ, 13 એપ્રિલે, પંડિતને મોહતા તરફથી એક વોટ્સએપ કોલ આવ્યો હતો, જેમાં તેમને માહિતી આપવામાં આવી હતી કે, મુન્દ્રાના 4FLPL ગોડાઉનમાંથી બદામ ભરેલી એક ટ્રકને "ક્રાઈમ બ્રાન્ચ" અધિકારીઓ દ્વારા અટકાવવામાં આવી છે. મોહતાએ ચેતવણી પણ આપી હતી કે, ઈન્ટરસેપ્શન બાદ 4FLPL ગોડાઉન સીલ કરવામાં આવશે.

તેને કહેવામાં આવ્યું હતું કે, તેણે કેસ ટાળવા માટે પોલીસને 5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે, એફઆઈઆરમાં જણાવાયું છે.

એફઆઈઆરમાં ઉમેર્યું હતું કે, ચાર પોલીસકર્મીઓએ 13 એપ્રિલના રોજ સાંજે 7 વાગ્યાની આસપાસ પંડિતનું એક ખાનગી કારમાં અપહરણ કર્યું હતું અને પંડિત આરોપીઓને રૂ. 3.75 કરોડ ચૂકવવા સંમત થયાના લગભગ ચાર કલાક પછી તેમને છોડી મૂક્યા હતા. તેમણે 14 એપ્રિલથી 18 એપ્રિલની વચ્ચે મોહતાને રૂ. 2.32 કરોડ રોકડા આપ્યા હતા, એમ એફઆઈઆરમાં પંડિતની ફરિયાદમાં ટાંકવામાં આવ્યું છે. પંડિતે મોહતાને પોલીસ કર્મચારીઓને 1.43 કરોડ રૂપિયા ચૂકવવા પણ કહ્યું, જે તેણે અગાઉ તેને અને તેના પિતાને ઉછીના આપ્યા હતા.

જો કે, 52 વર્ષીય વેપારીને પાછળથી ખબર પડી કે, મોહતાએ અન્ય આરોપીઓ સાથે મળીને પોલીસ કેસની ધમકી આપીને તેમની પાસેથી રૂ. 3.75 કરોડ પડાવી લેવાનું કાવતરું ઘડ્યું છે.

બાદમાં, જ્યારે મોહતાને જાણ થઈ કે, આ બાબતની જાણ પોલીસને કરવામાં આવી છે, ત્યારે તે પંડિતને મળ્યો અને તેને કહ્યું કે, તેણે સોઢાની મદદથી મામલો પતાવી દીધો છે. તેણે પંડિતને એમ પણ કહ્યું કે, તેણે તેના ડ્રાઈવર મારફત ગાંધીધામમાં કિરીટસિંહના ઘરે રૂ. 85 લાખ રોકડા પહોંચાડ્યા હતા અને સોઢાને આંગડિયા (કુરિયર) ફર્મ દ્વારા રૂ. 1.47 કરોડ મોકલ્યા હતા. સોઢાએ બદલામાં કિરીટસિંહને રોકડ મોકલી હતી, મોહતાએ પંડિતને જાણ કરી હતી. તેણે પંડિતને એ પણ વચન આપ્યું હતું કે, જો તે અરજી પાછી ખેંચવા માટે સંમત થાય, તો તે સંપૂર્ણ રકમ પરત કરશે.

મોહતાએ પંડિતના ખાતામાં રૂ. 65 લાખ ટ્રાન્સફર પણ કર્યા હતા અને આંગડિયા પેઢી મારફતે રૂ. 2.32 કરોડ પંડિતને મોકલ્યા હતા. જો કે, FIR મુજબ, મોહતાએ હજુ પણ પંડિતને 13 લાખ રૂપિયા આપવાના બાકી છે.

જ્યારે તે ચુકવણી બાકી છે, ત્યારે મોહતાના પિતા સુનિલ મોહતા, જેઓ હાલમાં દુબઈમાં રહે છે, તેમણે પંડિત અને તેની કંપનીને "બદનામ" કરવાનું શરૂ કર્યું, તેમને IGP પાસે અરજી દાખલ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. મોથલિયાએ ઉમેર્યું "સુનીલ મોહતા ભારતમાં વોન્ટેડ છે જ્યારે પંકિલ પર 2016 માં ગાંધીધામમાં હિટ એન્ડ રન-કેસમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ માટે ગુનો નોંધવામાં આવ્યો હતો. સોઢા પણ ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં સામેલ છે."  "પ્રથમ દૃષ્ટિએ, આરોપીઓએ એવું વાતાવરણ ઊભું કર્યું કે, જેમાં ફરિયાદીને ડરના માર્ય પૈસા ચૂકવવા પડે. જો કે, એ પણ તપાસ કરવાની છે કે, શા માટે ફરિયાદી એરેકા નટ કન્સાઇનમેન્ટ માટે રૂ. 3.75 કરોડ ચૂકવવા સંમત થયા, જોકે, તેની કિંમત માત્ર રૂ. 1 કરોડ હતી.

ગુજરાતી ન્યૂઝ ગુજરાત પોલીસ ગુજરાત