જામનગરમાં વકીલની હત્યા: હિસ્ટ્રીશીટર વિરુદ્ધ લડ્યો હતો કેસ! સમજો – શું છે પૂરો મામલો

જામનગર વકીલ હત્યા કેસ: વકીલ અને કોંગ્રેસના નેતા હારૂન પલેજાની કેમ કરવામાં આવી, કોણ છે એ હત્યાનો આરોપી હિસ્ટ્રીશીટર રઝાક સાઈચા? જોઈએ તમામ વિગત.

Written by Kiran Mehta
Updated : March 15, 2024 14:24 IST
જામનગરમાં વકીલની હત્યા: હિસ્ટ્રીશીટર વિરુદ્ધ લડ્યો હતો કેસ! સમજો – શું છે પૂરો મામલો
જામનગરના વકીલ હારૂન પલેજા હત્યા કેસ (ફોટો - સોશિયલ મીડિયા)

જામનગર વકીલ હત્જાયા કેસ : મનગર શહેરમાં રસ્તા વચ્ચે બુધવારે વકીલ અને કોંગ્રેસના નેતા હારૂન પલેજાની કથિત રીતે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવ્યાના કલાકો બાદ, હિસ્ટ્રીશીટર રઝાક સાઈચાના બે ભાઈઓ સહિત 15 લોકો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, હારુન (51) સાંજે 6.30 વાગ્યાની આસપાસ તેની મોટરસાઈકલ પર જઈ રહ્યો હતો, ત્યારે બેડીમાં વાછાણી મિલ પાસે આરોપીઓએ તેને રોક્યો હતો. હારૂનના ભત્રીજા નૂરમદ પલેજાએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, હુમલાખોરોએ તેને પછાડી રસ્તા પર ફેંકી દીધો હતો. હારૂનને ગંભીર રીતે ઇજા પહોંચાડ્યા બાદ આરોપી ભાગી ગયો હતો. હારૂને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

નૂરમદની ફરિયાદના આધારે, 15 લોકો સામે હત્યા, ગુનાહિત કાવતરું અને રમખાણ માટે IPC હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રઝાકના ભાઈઓ ઈમરાન અને સિકંદર અને અન્ય 11 ને એફઆઈઆરમાં આરોપી બનાવવામાં આવ્યા છે

વકીલ હારુન પલેજાની હત્યા કેમ કરવામાં આવી?

નૂરમદને ટાંકીને તેમાં કહેવામાં આવ્યું હતું કે, હારુને એક મહિલા શિક્ષકના પિતાને વકીલ તરીકે તેની સેવાઓ પૂરી પાડી હતી, જે કેસમાં ગયા વર્ષે રઝાક સાઈચા અને અન્ય લોકો દ્વારા કથિત ઉત્પીડનના કારણે તેમણે આત્મહત્યા કરી હતી. નુરમાદે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, આ કેસમાં જામીન અરજીની સુનાવણી બાદ બેડી વિસ્તારના કેટલાક રહેવાસીઓએ હારુનના સંબંધી રઝાક સોપારી સાથે મળીને સ્વર્ગસ્થ શિક્ષકના પિતા અને હારુનનો રસ્તો રોક્યો હતો અને જો કેસ પાછો ખેંચવામાં નહીં આવે તો, તેમને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી હતી.

એફઆઈઆરમાં નીરમાદ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, “લગભગ ચાર-પાંચ દિવસ પહેલા, મારા કાકા હારુન પલેજાએ મને કહ્યું હતું કે, રઝાક સોપારી અને (કેટલાક અન્ય)…એ મળીને મને (હારુન) ને મારી નાખવાની યોજના બનાવી હતી, અને તેથી, ટૂંક સમયમાં કંઈક અપ્રિય બની શકે છે.”

જામનગર પોલીસે શું કહ્યું?

જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “રઝાક સાઈચા એક શિક્ષકને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે.” હારૂન પલેજા ફરિયાદી વતી કોર્ટમાં હાજર રહેતા હતા અને આરોપીઓને આ વાત પસંદ ન હતી. તેથી, પ્રથમ દૃષ્ટિએ, રઝાકની ગેંગે તેમની હત્યા કરી હતી.”

એપ્રિલ 2018 માં વકીલ કિરીટ જોશીની તેમની ઓફિસની બહાર કથિત રીતે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવ્યા બાદ, જામનગરમાં વકીલની હત્યાની આ બીજી ઘટના છે. પોલીસે દાવો કર્યો છે કે, ભાગેડુ ગેંગસ્ટર જયેશ રાણપરિયાએ જોશીની હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

સંયોગથી, રાજ્ય સરકારે ગયા ડિસેમ્બરમાં બેડીમાં રઝાકના બાંધકામ હેઠળના બંગલાને સરકારી જમીન પર અતિક્રમણ ગણાવીને તોડી પાડ્યો હતો. 8 માર્ચે, સરકારે અતિક્રમણનો આરોપ લગાવીને એ જ વિસ્તારમાં સાઇચા પરિવારના વધુ બે બંગલા તોડી પાડ્યા હતા. પોલીસે રઝાક અને તેના ભાઈ હુસૈન સામે એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યાના બે દિવસ બાદ તાજેતરની ડિમોલિશન ડ્રાઇવ આવી. “હારુન રઝાકના જ વિસ્તારમાં રહેતો હતો અને રઝાક સોપારી પીડિતાનો નજીકનો સંબંધી છે. અમે કેટલાક લોકોની અટકાયત કરી છે અને તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો – Vadodara clash | વડોદરા અથડામણ : સાતની ઓળખ, ચારની ધરપકડ, 25 સામે ગુનો નોંધાયો

આ દરમિયાન, જામનગરના બાર એસોસિએશનના સભ્યોએ પલેજાના પરિવાર સાથે એકતા સાથે કાયદાકીય કામકાજથી અળગા રહ્યા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ