ગીર જંગલમાં સિંહના હુમલામાં પશુપાલક ઘાયલ, અઠવાડિયા પહેલા પુત્ર પર કર્યો હતો હુમલો

lion attack in Gir forest : ગીર જંગલના વિસાવદર રેન્જ (visavadar range) માં હસનપુર ગામ નજીક સિંહણે માલધારી પશુપાલક પર હુમલો કર્યો, જેમાં તે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અઠવાડીયા પહેલા તેના પુત્ર પર પણ સિંહ દ્વારા હુમલો થયો હતો.

Written by Kiran Mehta
July 18, 2023 11:27 IST
ગીર જંગલમાં સિંહના હુમલામાં પશુપાલક ઘાયલ, અઠવાડિયા પહેલા પુત્ર પર કર્યો હતો હુમલો
ગીર જંગલના વિસાવદર રેન્જમાં સિંહણે પશુપાલક પર કર્યો હુમલો

Lion Attack in Gir Forest : ગીરના જંગલમાં સિંહના હુમલા બાદ માલધારી (પશુપાલન) સમુદાયના એક કિશોરને ઇજા થયાના લગભગ એક અઠવાડિયા પછી, શનિવારે મોડી સાંજે ગીર (પશ્ચિમ) વન્યજીવન વિભાગમાં તેના પિતા પર સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, અધિકારીઓએ જણાવ્યું હતું. બાદમાં જૂનાગઢની હોસ્પિટલમાં દાખલ કરાયેલા આ વ્યક્તિની તબિયતમાં સુધારો થતાં સોમવારે રજા આપવામાં આવી હતી.

ભેંસોએ પશુપાલકનો બચાવ્યો જીવ

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય (GNPWLS) ના હસનપુર ગામ નજીક માલધારી વસાહત, કડવાડી નેસના માલધારી ઝેટા ચાવડા, જ્યારે તેમના ઢોર ચરાવી રહ્યા હતા ત્યારે સિંહણના હુમલાથી ઘાયલ થયા હતા. ઝેટાના મોટા ભાઈ કરશન ચાવડાએ, જેઓ પણ કડવાડી નેસમાં રહે છે, સોમવારે જણાવ્યું હતું કે, “તેઓએ તેમના ભેંસોના ટોળાને દૂધ નીકાળ્યા પછી ચરવા દીધા હતા, જ્યારે સિંહણએ તેમના પર હુમલો કર્યો હતો.” તેમણે વધુમાં કહ્યું કે, “ઝેટાની ચીસો સાંભળીને, ભેંસોના ટોળાએ સિંહણ પર હુમલો કર્યો, અને સિંહણને પીછેહઠ કરવાની ફરજ પડી અને આ રીતે ઝેટાનો બચાવ થયો.”

ઇજાગ્રસ્ત જેતાને સૌપ્રથમ વન વિભાગ દ્વારા જૂનાગઢ જિલ્લાના વિસાવદર શહેરની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેને જૂનાગઢની જીએમઇઆરએસ સરકારી મેડિકલ કોલેજમાં રીફર કરવામાં આવ્યો હતો. કરશને જણાવ્યું હતું કે, “ઝેટાને હુમલામાં માથા અને કોણીમાં ઈજાઓ થઈ હતી પરંતુ, ડોકટરોએ તેમને ટાંકા કરી દીધા હતા. તેમની તબિયતમાં સુધારો થયા બાદ, સોમવારે સવારે તેમને જૂનાગઢની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી”.

બાળકોએ સિંહણ પર પથ્થરમારો કર્યો હતો

કડવાડી નેસ ગીર (પશ્ચિમ) વન્યજીવ વિભાગની વિસાવદર રેન્જમાં આવે છે. વિસાવદર રેન્જ ફોરેસ્ટ ઓફિસર (આરએફઓ) વિક્રમસિંહ જાડેજાએ રવિવારે પત્રકારોને જણાવ્યું હતું કે, શુક્રવારે સાંજે કડવાડી નેસ પાસે સિંહણે ગાયનો શિકાર કર્યો ત્યારે પશુપાલકોએ સિંહણ પર પથ્થરમારો કર્યો હતો. કરશને કહ્યું, “બાળકોએ ગાયને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ ફાયદો થયો નહિ. આ જ સિંહણે એક દિવસ પછી ઝેટા પર હુમલો કર્યો.”

બંને હુમલા માનવીય ભૂલ

“અમે આ વિસ્તારમાં અગાઉ આ સિંહણ જોઈ નથી,” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગાય તેમના કાકાની છે. ઝેટા પર હુમલો તેના પુત્ર વિક્રમ પર નર સિંહ દ્વારા હુમલો અને ઘાયલ થયાના એક અઠવાડિયા પછી થયો હતો. આ મામલે ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ પ્રશાંત તોમરે કહ્યું હતું કે, બંને હુમલાઓ “માનવીય ભૂલ” હતા. સિંહણએ ગાયનું મારણ કરતાં ગાયના માલિકે બૂમો પાડી હતી. તેથી, સિંહણ ગાયબ થઈ ગઈ. અમે પશુપાલકોને સતર્ક રહેવા જણાવ્યું છે. પરંતુ બીજા દિવસે સવારે, તે માણસ સિંહણની ખૂબ નજીક ગયો.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ