જામનગર: ગીર જંગલથી દુર ચૂનાના પત્થરની ખાણમાં સિંહણનો દટાયેલો મૃતદેહ મળ્યો, વન વિભાગે શરૂ કરી તપાસ

Lion Dead Body Found in Jamnagar : જામનગરથી ચોંકાવનારા સમાચાર મળ્યા છે, જંગલથી ખુબ દૂર ચૂનાના પથ્થરની ખાણમાં સિંહણનો દટાયેલો મૃતદેહ મળ્યો, વન વિભાગે તપાસ શરૂ કરી.

Written by Kiran Mehta
May 10, 2024 18:32 IST
જામનગર: ગીર જંગલથી દુર ચૂનાના પત્થરની ખાણમાં સિંહણનો દટાયેલો મૃતદેહ મળ્યો, વન વિભાગે શરૂ કરી તપાસ
જામનગરથી સિંહણનો દટાયેલો મૃતદેહ મળ્યો (એક્સપ્રેસ ફોટો)

ગોપાલ કટેશીયા : જામનગર જિલ્લામાં ગીર જંગલથી દૂરના ક્ષેત્રમાં એક એશિયાટીક સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. તે ફરતો-ફરતો જંગલ વિસ્તારથી દૂર જામનગર જિલ્લામાં આવેલી એક બંધ ચૂનાના પથ્થરની ખાણ પાસે મૃત હાલતમાં મળી આવ્યો છે, વન અધિકારીઓએ પ્રાથમિક દૃષ્ટિએ જણાવ્યું હતું કે, સિંહણનું વીજ કરંટથી મૃત્યુ થયું છે.

વન અધિકારીઓએ શુક્રવારે સવારે મધ્ય જામનગરના કાલાવડ તાલુકાના હંસથલ ગામમાં ઉજ્જડ જમીનની તપાસ કરવાનું શરૂ કર્યું અને એક ત્યજી દેવાયેલી ચૂનાના પથ્થરની ખાણમાં દટાયેલ સિંહણનો મૃતદેહ મળ્યો. જૂનાગઢ પ્રાદેશિક વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક (CCF) કે રમેશે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “અમને માહિતી મળી કે, કંઈક અપ્રિય ઘટના બની છે, જેથી અમારા કર્મચારીઓએ હંસથલ ગામના વિસ્તારની તપાસ શરૂ કરી હતી. સ્કેનિંગ ઓપરેશન દરમિયાન, અમારા સ્ટાફે ત્યજી દેવાયેલા ચૂનાના પત્થરની ખાણમાંથી અપ્રિય ગંધ જોવા મળી હતી. આખરે, અમને જાણવા મળ્યું કે, ખાણમાં દફનાવવામાં આવેલી સિંહણના શબમાંથી દુર્ગંધ આવી રહી હતી.”

CCF કે રમેશે જણાવ્યું હતું કે, સિંહણ પાંચથી નવ વર્ષની હોવાનું માનવામાં આવે છે અને તે બરડા વન્યજીવ અભયારણ્યથી લગભગ 40 કિમી દૂર કાલાવડ તાલુકાના વિસ્તારોમાં ફરતી હતી. “આ વિસ્તારમાં ફરતી સિંહણ કાલાવડનું એકાંત પ્રાણી હતું. ગુજરાતના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન પાસેથી યોગ્ય પરવાનગી મેળવ્યા પછી, અમે સિંહણને રેડિયો કોલર કરી હતી.”

હંસથલ ગિરનાર વન્યજીવ અભયારણ્યથી લગભગ 100 કિમી દૂર છે, જે એશિયાટિક સિંહોનો જાણીતો સ્થાપિત વિસ્તાર છે, જે સિંહની લુપ્તપ્રાય પ્રજાતિ છે. ગુજરાત વન વિભાગે પ્રજાતિઓના સંરક્ષણના પ્રયાસોના ભાગરૂપે બરડા વન્યજીવ અભયારણ્યમાં એશિયાટિક લાયન જીન પૂલ સેન્ટર પણ સ્થાપ્યું છે. અભયારણ્યની અંદર સ્થપાયેલા આ કેન્દ્રમાં સિંહોને મોટા વાડામાં રાખવામાં આવે છે.

આ વર્ષે જાન્યુઆરીમાં કાલાવડને અડીને આવેલા જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં એક સિંહ અને એક સિંહણ જોવા મળી હતી. ગત વર્ષે એક સિંહે પણ બરડા વન્યજીવ અભ્યારણ્યની મુલાકાત લીધી હતી. 2013માં કાલાવડ તાલુકામાં એક પેટા પુખ્ત સિંહ આવ્યો હતો, પરંતુ તેને પાંજરામાં કેદ કરીને ગીરના જંગલમાં લઈ જવામાં આવ્યો હતો. વન અધિકારીઓએ જણાવ્યું હતું કે, હંસથલ ગામ નજીક ઘણી બંજર જમીન છે, જે સિંહો માટે યોગ્ય રહેઠાણ બની શકે છે.

રમેશે કહ્યું, “પ્રથમ દૃષ્ટિએ, એવું લાગે છે કે, સિંહણને નજીકના કૃષિ ફાર્મમાં ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો અને તેની બોડી ચૂનાના પથ્થરની ખાણમાં દફનાવવામાં આવી હતી. જો કે, અમે હજુ પણ ઘટનાની ચોક્કસ વિગતો મેળવવા માટે વૈજ્ઞાનિક પુરાવા એકઠા કરી રહ્યા છીએ અને અમે વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એક્ટ મુજબ કાર્યવાહી કરીશું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ