ભરૂચ લોકસભા પરિણામ 2024 : મનસુખ વસાવા દબદબો યથાવત, સતત સાતમી વખત જીત, આપ નેતા ચૈતર વસાવા હાર્યા

Bharuch Lok Sabha Election 2024 Result : ભરૂચ લોકસભા બેઠક પર પણ 4 જૂને મત ગણતરી હાથ ધરાશે અને પરિણામ જાહેર થશે, આ બેટક પર આપને આશા છે કે, ચૈતર વસાવા જીતશે, તો ભાજપે છ વખતના સાંસદ મનસુખ વસાવા પર ભરોસો બતાવ્યો છે.

Written by Kiran Mehta
Updated : June 04, 2024 18:28 IST
ભરૂચ લોકસભા પરિણામ 2024 : મનસુખ વસાવા દબદબો યથાવત, સતત સાતમી વખત જીત, આપ નેતા ચૈતર વસાવા હાર્યા
ભરૂચ લોકસભા ચૂંટણી પરિણામ 2024

Bharuch Lok Sabha Election Result : લોકસભા ચૂંટણી પરિણામ 2024 માટે આજે મત ગણતરી 4 જૂને હાથ ધરવામાં આવી ત્યારે બધાની નજર ભરૂચ બેઠક પર હતી. જોકે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને ભાજપના મનસુખ વસાવાની સતત સાતમી વખત જીત થઈ છે. જ્યારે આપ નેતા ચૈતર વસાવાનું લોકસભામાં જવાનું સપનું તૂટી ગયું છે.

ભરૂચ લોકસભા બેઠક પરિણામ 2024

ભરૂચ લોકસભા બેઠક પરિણામ 2024 જાહેર થઈ ગયું છે. ભાજપના છ વખતના સાંસદ મનસુખ વસાવાએ 608157 મત મેળવ્યા તો આપ નેતા ચૈતર વસાવાને 522461 મત મળતા મનસુખ વસાવા 85696 મતની લીડ સાથે સાતમી વખત વિજેતા થયા છે.

ઉમેદવારપાર્ટીકેટલા મત મળ્યાજીત-હાર
મનસુખ વસાવાભાજપ608157જીત (લીડ – 85696 મત)
ચૈતર વસાવાઆપ522461હાર
NOTA23283

ભરૂચ ઉમેદવારો કોને કેટલા મત મળ્યા

તમને જણાવી દઈએ કે, ભરૂચ લોકસભા બેઠક પર 13 ઉમેદવારો મેદાનમાં હતા. જોકે, ખરાખરીનો જંગ ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા અને આપ ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે હતો. જેમાં મનસુખ વસાવાની શાનદાર જીત થઈ છે. આ સિવાય અન્ય કયા ઉમેદવારને કેટલા મત મળ્યા તેની વાત કરીએ તો, ભારત આદિવાસી પાર્ટીના દિલીપ વસાવાને 10014 મત, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર ચેતનભાઈ વસાવાને 6324 મત, માલવા કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન માછીને 2764 મત, અપક્ષ ઉમેદવાર સાજિદ મુનશીને 9937 મત, અપક્ષ નવીનભાઈ પટેલને 3453, અપક્ષ યુસુફ હસનઅલીને 3247 મત, અપક્ષ મિતેશ પઢિયારને 2459, અપક્ષ અબીદબેદ મિરઝાને 2050 મત, ઈસ્માઈલ પટેલને 1902 મત, નારાયણભાઈ રાવલ 1583 મત અને ધર્મેશ વસાવાને 1330 મત મળ્યા છે.

ભરૂચ લોકસભા બેઠક પર કેવું મતદાન થયું?

ભરૂચ લોકસભા બેઠક પર આ વખતે 68.75 ટકા મતદાન નોંધાયું છે. તો અગાઉની ત્રણ ચૂંટણીના મતદાન પર નજર કરીએ તો, 2009 માં 57.14 ટકા, 2014માં 74.85 ટકા તો 2019માં 73.55 ટકા મતદાન નોંધાયું હતુ. આ સિવાય ભરૂચ લોકસભા બેઠક અંતર્ગત આવતી સાત વિધાનસભામાં અંકલેશ્વરમાં 64.74 ટકા, ભરૂચમાં 60.43 ટકા, ડેડિયાપાડામાં 83.94 ટકા, જંબુસરમાં 65.42 ટકા, ઝગડિયામાં 77.36 ટકા, કરજણમાં 67.04 ટકા અને વાઘરામાં 67.52 ટકા મતદાન નોંધાયું હતુ

ભરૂચ લોકસભા બેઠક 2019 પરિણામ

ભરૂચ બેઠક પર 2019 ના પરિણામની વાત કરીએ તો, ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાને 6,37,795 ટકા મત મળ્યા હતા, તો કોંગ્રેસ ઉમેદવાર શેરખાન પઠાણને 3,03,581 મત મળ્યા હતા. આ બાજુ બીટીપીના છોટુ વસાવાને 1,44,083 ટકા મત મળ્યા હતા.

ઉમેદવારપાર્ટીકેટલા મત મળ્યાજીત-હાર
મનસુખ વસાવાભાજપ6,37,795જીત
શેરખાન પઠાણકોંગ્રેસ3,03,581હાર
છોટુ વસાવાબીટીપી1,44,083હાર
NOTA6,321

ભરૂચ લોકસભા બેઠક 2014 પરિણામ

ભરૂચની લોકસભા બેઠક પર 2014 ના ચૂંટણી જંગમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાને 5,48,902 ટકા મત મળ્યા હતા, તો કોંગ્રેસ ઉમેદવાર જયેશભાઈ પટેલને 3,95,629 મત મળ્યા હતા. આ બાજુ જેડી(યુ) ના અનિલ ભગતને 49,289 ટકા મત મળ્યા હતા.

ઉમેદવારપાર્ટીકેટલા મત મળ્યાજીત-હાર
મનસુખ વસાવાભાજપ5,48,902જીત
જયેશભાઈ પટેલકોંગ્રેસ3,95,629હાર
અનિલ ભગતજેડી(યુ)49,289હાર
NOTA23,615

ભરૂચ લોકસભા બેઠક 2009 પરિણામ

ભરૂચની લોકસભા બેઠક પર 2009 ના ચૂંટણી જંગમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાને 311,018 ટકા મત મળ્યા હતા, તો કોંગ્રેસ ઉમેદવાર અઝિઝ ટંકારવી ને 283,787 મત મળ્યા હતા. આ બાજુ જેડી(યુ) ના છોટુ વસાવાને 63,660 ટકા મત મળ્યા હતા.

ઉમેદવારપાર્ટીકેટલા મત મળ્યાજીત-હાર
મનસુખ વસાવાભાજપ311,018જીત
અઝિઝ ટંકારવીકોંગ્રેસ283,787હાર
છોટુ વસાવાજેડી(યુ)63,660હાર

ભરૂચ લોકસભા બેઠક ઈતિહાસ

લોકસભા બેઠકના ઈતિહાસની વાત કરીએ તો, 1957 થી અત્યાર સુધીમાં 17 લોકસભા ચૂંટણી અહીં યોજાઈ છે. જેમાં સાત વખત કોંગ્રેસ તો 10 વખત ભાજપના ઉમેદવાર ચૂંટણી આવ્યા છે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે આ બેઠક પર અંતિમ 1984માં જીતનો સ્વાદ ચાખ્યો હતો, ત્યારબાદ 1989 થી સતત 35 વર્ષથી ભાજપ જીતતની આવી છે.

વર્ષજીતેલા ઉમેદવારપાર્ટી
1957ચંદ્રશેખર ભટ્ટકોંગ્રેસ
1962છોટુભાઈ પટેલકોંગ્રેસ
1967માનસિંગ રાણાકોંગ્રેસ
1971માનસિંગ રાણાકોંગ્રેસ
1977અહેમદ પટેલકોંગ્રેસ (આઈ)
1980અહેમદ પટેલકોંગ્રેસ (આઈ)
1884અહેમદ પટેલકોંગ્રેસ (આઈ)
1989ચંદુભાઈ દેશમુખભાજપ
1991ચંદુભાઈ દેશમુખભાજપ
1996ચંદુભાઈ દેશમુખભાજપ
1998ચંદુભાઈ દેશમુખભાજપ
1998મનસુખભાઈ વસાવાભાજપ
1999મનસુખભાઈ વસાવાભાજપ
2004મનસુખભાઈ વસાવાભાજપ
2009મનસુખભાઈ વસાવાભાજપ
2014મનસુખભાઈ વસાવાભાજપ
2019મનસુખભાઈ વસાવાભાજપ

ભરૂચ લોકસભા બેઠક 13 ઉમેદવારો

ભરૂચ લોકસભા બેઠક પર કુલ 13 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં આ વખતે ભાજપના મનસુખ વસાવા અને આપ ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે ખરાખરીનો જંગ છે. આ બંને નેતા આદિવાસી સમાજમાંથી આવે છે. તો આ સિવાય બસપા સહિતની અન્ય ચાર ઉમેદવારો પણ આદિવાસી સમાજના મેદાનમાં છે, તો ત્રણ લઘુમતિ સમાજના ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

ક્રમઉમેદવારપાર્ટી
1ચૈતરભાઈ વસાવાઆમ આદમી પાર્ટી
2મનસુખભાઈ વસાવાભાજપા
3ચેતનભાઈ વસાવાબસપા
4ગીતાબેન માછીમાલવા કોંગ્રેસ
5દિલીપભાઈ વસાવાભારત આદિવાસી પાર્ટી
6ઈસ્માઈલ અહમદ પટેલઅપક્ષ
7ધર્મેન્દ્રકુમાર વસાવાઅપક્ષ
8નવીનભાઈ પટેલઅપક્ષ
9નારાયણભાઈ રાવલઅપક્ષ
10આબિદબેગ મિર્ઝાઅપક્ષ
11મિતેશ પઢિયારઅપક્ષ
12યુસુફ વલી હસનાલીઅપક્ષ
13સાજિદ મુનશીઅપક્ષ

આ પણ વાંચો – Gujarat Exit Poll Result 2024 | ગુજરાત એક્ઝિટ પોલ 2024 : જુઓ ગુજરાત માટે એક્ઝિટ પોલમાં શું આગાહી કરવામાં આવી હતી.

ભરૂચ બેઠક પર ભાજપે નો રિપીટ થીયરી ફગાવી છ વખતના સાંસદ મનસુખ વાસાવાને ફરી મેદાનમાં ઉતાર્યા હતા, તો કોંગ્રેસ-આપ ગઠબંધનમાં આપના નેતા ચૈતર વસાવા સામે પક્ષે હરિફમાં હતા. ચૈતર વસાવાની ભરૂચ બેઠકમાં લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી ભાજપે કોઈ રીક્સ ન લેવાનું વિચારી મનસુખ વસાવા પર જ ફરી ભરોસો કર્યો હતો, અને મનસુખ વસાવા તે ભરોસા પર ખરા ઉતર્યા અને ભરૂચ બેઠક ફરી એકવાર જીતીને બતાવી..

તમને જણાવી દઈએ કે, ભરૂચ લોકસભા બેઠક પર મનસુખ વસાવાનો ખાસ દબદબો છે. ભાજપ અહીંથી સતત 1989 થી એટલે કે 35 વર્ષથી જીતતી આવી છે. 2022 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ચૈતર વસાવાને ઓછા આંકવાની ભૂલ કરી હતી અને 40 ટકા વોટ શેરથી ચૈતર વસાવાની જીત થઈ હતી. જેને પગલે આ બેઠક પર આ વખતે રસાકસીનું પરિણામ રહેવાની આશા હતી. પરંતુ મનસુખ વસાવાએ 85696 મતના માર્જિનથી જીતી સાબિત કર્યું કે, દબદબો જરા પણ ઓછો થયો નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ