Manipur Students : સંઘર્ષગ્રસ્ત મણિપુરના 50 અસરગ્રસ્ત વિદ્યાર્થીઓનું નવું ઘર બન્યું આણંદ, કેવી છે હવે તેમની નવી જીવનશૈલી?

Manipur Students in Swaminarayan Gurukul nar : મણિપુર હિસામાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે વડતાલ (Vadtal) સંસ્થા દ્વારા સંચાલિત આણંદ (Anand) ના નારમાં આવેલુ સ્વામિનારાયણ ગુરૂકુળ નવું ઘર બન્યું છે, વિદ્યાર્થીઓએ જણાવી તેમની નવી જીવનશૈલી (New Lifestyle) હવે કેવી છે.

Manipur Students in Swaminarayan Gurukul nar : મણિપુર હિસામાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે વડતાલ (Vadtal) સંસ્થા દ્વારા સંચાલિત આણંદ (Anand) ના નારમાં આવેલુ સ્વામિનારાયણ ગુરૂકુળ નવું ઘર બન્યું છે, વિદ્યાર્થીઓએ જણાવી તેમની નવી જીવનશૈલી (New Lifestyle) હવે કેવી છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Manipur students new lifestyle in Swaminarayan Gurukul in Gujarat

મણિપુર વિદ્યાર્થીઓની ગુજરાતમાં સ્વામિનારાયણ ગુરૂકુળમાં નવી જીવનશૈલી (ફોટો - એક્સપ્રેસ)

અદિતી રાજા |Manipur Students in Swaminarayan Gurukul nar : હિંદુ સાધુઓ સાથે સંકળાયેલી વિષિષ્ટ ચોટી, કપાળ પર લાલ તિલક અને સફેદ ધોતી-કૂર્તો પહેરેલો જેમાં 'ગોકુલધામ-નાર'નો અગ્રણી ઉલ્લેખ - વડતાલ સ્વામિનારાયણ પંથક દ્વારા સંચાલિત તેમની નવી છાત્રાલય અને શાળા - મણિપુરના 50 છોકરાઓ તેમના પરિવારથી એક હજાર કિલોમીટર દૂર હવે રહે છે, તેઓ તેમની નવી જીવનશૈલી અનુરૂપ થવા લાગ્યા છે.

Advertisment

તમામ છોકરાઓ મેઇતેઈ સમુદાયના

તમામ છોકરાઓ મેઇતેઈ વંશીય સમુદાયના છે અને હાલમાં તેઓ "આધ્યાત્મિક પ્રવચન અને દૈનિક શિસ્તના પાઠ" ઉપરાંત અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી શીખવા માટે "વિશેષ ક્લાસમાં ભાગ" લઈ રહ્યા છે, તેમણે ઉમેર્યું હતું કે, તેઓ અહીં "ખુશ" છે. તેમાંના કેટલાક કાન વીંધવાની રમત રમતા પણ જોવા મળે છે - જે મણિપુરની ધાર્મિક વિધિ છે.

એક વિદ્યાર્થીએ નજર સામે પિતાને મરતા જોયા

આ 50 છોકરાઓ મહારાષ્ટ્રના નાસિક ડાયોસીઝ હોસ્ટેલના માધવ સ્વામીને સોંપવામાં આવેલા 300 વિદ્યાર્થીઓમાંના છે, જેમાંથી 50 છોકરાઓને આણંદ જિલ્લાના નારમાં ગોકુલધામના સુખદેવ સ્વામીની સંભાળ માટે મોકલ્યા હતા. ગોકુલધામના હોસ્ટેલના વોર્ડન, મનીષ વાલંદે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, 12 વર્ષના છોકરાએ, 50 છોકરાઓમાંથી એક, એપ્રિલમાં તેના પિતાને મરતા જોયા હતા, જ્યારે તેઓએ એક ચર્ચમાં આશ્રય લીધો હતો, જ્યાં બોમ્બથી વિસ્ફોટ થયો હતો.

ઘરમાં આગ લાગતા ઘર છોડી પરિવાર સાથે ભાગવું પડ્યું

અન્ય 12 વર્ષના છોકરાને પરિવાર સાથે તેમના ઘરમાં આગ લાગવાની થોડી મિનિટો પહેલાં તેમના ગામ છોડીને ભાગી જવું પડ્યું હતું. બંને મણિપુરના ચુરાચંદપુર જિલ્લાના રહેવાસી છે.બંને છોકરાઓના પરિવારો હજુ પણ રાહત શિબિરોમાં રહે છે. વેલેન્ડે જણાવ્યું હતું કે, બંને છોકરાઓએ કાઉન્સેલિંગ પણ મેળવ્યું હતું.

Advertisment

એપ્રિલમાં તેના પિતાને ગુમાવનાર છોકરાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું, “હું ઘરે મારા પરિવાર વિશે વિચારતો રહું છું. હું ત્યાંથી નીકળ્યો તે પહેલા, મારી માતા અને મારી બહેને મને આંસુભરી વિદાય આપી. હું સખત અભ્યાસ કરીશ."

Manipur students new lifestyle in Swaminarayan Gurukul in Gujarat
મણિપુર વિદ્યાર્થીઓની ગુજરાતમાં સ્વામિનારાયણ ગુરૂકુળમાં નવી જીવનશૈલી (ફોટો - એક્સપ્રેસ)

'નવી સંસ્કૃતિ અને નવી જીવનશૈલી, ધીમે ધીમે પરિવર્તન અપનાવી રહ્યા'

50 છોકરાઓમાંથી અન્ય એક છોકરો, જે મણિપુરના થૌબલ જિલ્લાનો છે, જે મોટાભાગે હિંસાથી અપ્રભાવિત રહ્યો છે, તેણે કહ્યું: “અમે બધા ખુશ છીએ કે અમે સુરક્ષિત છીએ કારણ કે અમારા પરિવારોએ અમને અહીં મોકલવાનું નક્કી કર્યું છે . જો કે, અમે અમારા પરિવારોને ઘરે પાછા જવાની ચિંતા કરીએ છીએ. જો કે અહીં સંસ્કૃતિ અને જીવનશૈલીની વાત કરવામાં આવે તો ઘણા બધા તફાવતો છે, અમે ધીમે ધીમે પરિવર્તનને અપનાવી રહ્યા છીએ… ઉદાહરણ તરીકે, મેં પહેલાં ક્યારેય મારા પોતાના કપડા ધોયા નથી કારણ કે અમારી પાસે ઘરમાં વોશિંગ મશીન હતું.''

'જીન્સ-ટી-શર્ટ છોડ્યું, હવે પરંપરાગત ધોતી-કૂર્તો'

મોટાભાગના છોકરાઓ એવા પરિવારોમાંથી આવે છે, જ્યાં પુરુષો રોજીરોટી મજૂર તરીકે કામ કરે છે, જ્યારે સ્ત્રીઓ વ્યાવસાયિક તાલીમમાં રોકાયેલી હોય છે. અન્ય એક છોકરાએ કહ્યું કે, જ્યારે તેને નાસિક સ્વામિનારાયણ હોસ્ટેલમાં લાવવામાં આવ્યો, ત્યારે તેને એકસરખી હેરસ્ટાઈલ આપવા માટે તેના વાળ મુંડાવવામાં આવ્યા હતા અને તેના રેગ્યુલર ડેનિમ્સ અને ટી-શર્ટને પરંપરાગત ધોતી-કુર્તા સાથે બદલવામાં આવ્યા હતા.

પહેલા ફૂટબોલ સ્ટાર અથવા આર્મી કટ વાળ, હવે બધા જ સરખા

એક છોકરો, જે પુરુષોની છાત્રાલયમાં તેના નાના ભાઈ અને બે પિતરાઈ ભાઈઓ સાથે પણ શેર કરે છે, તેણે કહ્યું: “ભૂતકાળમાં અમારી મોટાભાગની હેરસ્ટાઇલ ફૂટબોલ સ્ટાર્સ અથવા આર્મી કટ પર આધારિત હતી. હવે, અમે બધા એક સરખા કપડા પહેરીએ છીએ અને સરખા કપાયેલા વાળ છે. જો કે અમે હિંદુ ધર્મનું પાલન કરીએ છીએ અને તમામ હિંદુ તહેવારો ઘરે ઉજવીએ છીએ, તેમ છતાં અમે જે ખોરાક ખાઈએ છીએ તે સહિત ઘણા ક્ષેત્રોમાં સાંસ્કૃતિક તફાવતો છે.

'માંસહારીમાંથી હવે શાકાહારી જીવનશૈલી, પણ તે અમને ગમે છે...'

તે ઉમેરે છે કે, “મણિપુરમાં, અમે માછલીને ભગવાનને આવશ્યક પ્રસાદ તરીકે માનીએ છીએ અને તે તહેવારો દરમિયાન ભોજન માટે તૈયાર કરવામાં આવે છે, અમારી પાસે માંસાહારી ખોરાક છે પરંતુ અહીં, અમે શાકાહારી જીવનશૈલી અપનાવી રહ્યા છીએ. પણ તે અમને ગમે છે… વાસ્તવમાં, અહીંની કેટલીક શાકાહારી તૈયારીઓ મને ઘરની વાનગીઓની યાદ અપાવે છે."

આ પણ વાંચો - BAPS સ્વામિનારાયણ અક્ષરધામ રૉબિન્સવિલે, ન્યૂજર્સીના સર્જનમાં લાગ્યા 12 વર્ષ : 12,500 ભક્તોના શ્રમથી સર્જાયો ચમત્કાર

હાલમાં ગોકુલધામે ધોરણ 12 ધોરણ સુધી બાળકોના શિક્ષણની જવાબદારી લેવાનું નક્કી કર્યું છે. પરંતુ જ્યાં સુધી તેઓ 22 એકરના કેમ્પસમાં આવેલી નિયમિત રાજ્ય-બોર્ડ સંલગ્ન અંગ્રેજી માધ્યમની શાળામાં નોંધણી માટે તૈયાર ન થઈ જાય ત્યાં સુધી, છોકરાઓ શૈક્ષણિક સત્ર માટે તૈયાર કરવા માટે વિશેષ વર્ગોમાં હાજરી આપવાનું ચાલુ રાખશે, કારણ કે તેમનું શિક્ષણનું અગાઉનું માધ્યમ મણિપુરી હતું.

મણિપુર હિંસા સ્વામિનારાયણ એક્સપ્રેસ એક્સપ્લેન ગુજરાતી ન્યૂઝ ગુજરાત Express Exclusive