nikshay mitra yojana : મોદીના ખાસ આ મંત્રી પોતાના ‘ઘર’ માટે જબરદસ્ત કામ કરી રહ્યા, તેમની ગેરહાજરીમાં ભાઈ કોઈ ખાલીપો નથી છોડતા

nikshay mitra yojana : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) એ ગુજરાત (Gujarat) માં પોતાના વતન પાલિતાણા (Palitana) ના તમામ ટીબી દર્દીઓને દત્તક લીધા છે. નિક્ષય મિત્ર યોજના કેન્દ્ર સરકારની એક યોજના છે, જે અંતર્ગત ક્ષય રોગથી પીડિત વ્યક્તિને દત્તક લેવામાં આવે છે. તમે ટીબી રોગથી પીડિત કોઈપણ વ્યક્તિને ઓછામાં ઓછા એક વર્ષ અને વધુમાં વધુ ત્રણ વર્ષ માટે દત્તક લઈ શકો છો. જે અંતર્ગત તમારે તેના ખાવા-પીવાનો ખર્ચ ઉઠાવવો પડશે.

Written by Kiran Mehta
September 15, 2023 12:07 IST
nikshay mitra yojana : મોદીના ખાસ આ મંત્રી પોતાના ‘ઘર’ માટે જબરદસ્ત કામ કરી રહ્યા, તેમની ગેરહાજરીમાં ભાઈ કોઈ ખાલીપો નથી છોડતા
નિક્ષય મિત્ર કાર્યક્રમઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા. (એક્સપ્રેસ ફોટો)

નિક્ષય મિત્ર યોજના: નિક્ષય મિત્ર યોજના હેઠળ, કેન્દ્ર સરકાર 2025 સુધીમાં દેશમાંથી ટીબી રોગને નાબૂદ કરવા માટે વિવિધ પગલાં પર કામ કરી રહી છે. સામાન્ય નાગરિકો, જનપ્રતિનિધિઓ, બિન-સરકારી સંસ્થાઓ, કોર્પોરેટ સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ ટીબીના રોગને નાબૂદ કરવામાં મજબૂત ભૂમિકા ભજવી શકે છે. આ માટે સરકાર ‘નિક્ષય મિત્ર’ બનવાની તક આપી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો, કોઈપણ વ્યક્તિ ટીબીના દર્દીને દત્તક લઈ તેની સેવા કરી શકે છે.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કેન્દ્રની નિક્ષય મિત્ર યોજના હેઠળ ગુજરાતમાં તેમના વતન પાલીતાણામાં તમામ ટીબી દર્દીઓને દત્તક લીધા છે, તેઓ હંમેશા ઘરે રહીને માસિક પોષણ કીટનું વિતરણ કરી શકતા નથી. પરંતુ માંડવિયાની ગેરહાજરીમાં, તેમનો ભાઈ અને તેમના બાળકો આ જવાબદારી ઉપાડે છે. તેઓ માત્ર કીટનું વિતરણ જ નથી કરતા, પરંતુ દર્દીઓ સાથે વાત પણ કરે છે, તેમજ મંત્રીને દર મહિનાનું બિલ પૂરું પાડવામાં આવે તેની ખાતરી કરે છે.

આવા લગભગ એક લાખ નિક્ષય મિત્રોએ ગયા વર્ષે શરૂ કરેલી પહેલમાં 10 લાખ દર્દીઓને દત્તક લીધા હતા. 17 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે સેવા પખવાડા દરમિયાન તેમના પ્રયાસોને માન્યતા આપવામાં આવશે અને ભવિષ્યમાં પણ તેમને મદદ કરવાના વચનો લેવામાં આવશે.

નિક્ષેય મિત્ર યોજના શું છે?

નિક્ષય મિત્ર યોજના કેન્દ્ર સરકારની એક યોજના છે, જે અંતર્ગત ક્ષય રોગથી પીડિત વ્યક્તિને દત્તક લેવામાં આવે છે. દત્તક કોઈપણ ખાનગી સંસ્થા, રાજકીય જૂથ, સંસદ અથવા વ્યક્તિ દ્વારા પણ કરી શકાય છે. આ યોજના હેઠળ, તમે ટીબી રોગથી પીડિત કોઈપણ વ્યક્તિને ઓછામાં ઓછા એક વર્ષ અને વધુમાં વધુ ત્રણ વર્ષ માટે દત્તક લઈ શકો છો. જે અંતર્ગત તમારે તેના ખાવા-પીવાનો ખર્ચ ઉઠાવવો પડશે.

આ પણ વાંચોરાજકોટ : જેતપુર મહિલા કોન્સ્ટેબલ આપઘાત કેસ, કોળી સમાજે આપ્યું અલ્ટીમેટમ, એક પોલીસકર્મી સામે ગુનો નોંધાયો

ભારત સરકારે વર્ષ 2025 સુધીમાં ભારતમાં ટીબી નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્ત ભારત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકારે નિક્ષય મિત્ર યોજના શરૂ કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ