Nitin Gadkari Said Road Accident : વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ (ડીપીઆર) તૈયાર કરનારાઓની ટીકા કરતા, કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રવિવારે જણાવ્યું હતું કે, મોટાભાગના માર્ગ અકસ્માતો ડ્રાઇવરોની ભૂલના બદલે નબળા રોડ એન્જિનિયરિંગને કારણે થાય છે.
ગાંધીનગરમાં ઈન્ડિયન રોડ કોંગ્રેસના 82માં વાર્ષિક સત્રમાં બોલતા ગડકરીએ કહ્યું: “DPR નિર્માતાઓ… મારે તેમના માટે કયા શબ્દો વાપરવા જોઈએ? મેં ક્યારેય લોકોને આટલી નબળી ગુણવત્તાવાળા (કામની) કામ કરતા જોયા નથી… તેમને (ડીપીઆર બનાવનારાઓને) મેં જે કહ્યું તે, બરાબર છે… તેઓ ઘરે બેસીને ગૂગલ પર જુએ છે અને ડીપીઆર બનાવે છે, અકસ્માતો વધુને વધુ થઈ રહ્યા છે, જ્યાં ફ્લાયઓવરની જરૂર છે, પરંતુ તેઓ તે કરતા નથી. ડીપીઆર સંપૂર્ણતા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.
તેમણે વૈકલ્પિક સામગ્રી અને નવીનતમ તકનીકનો ઉપયોગ કરીને તેમજ સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરીને ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના બાંધકામ ખર્ચ ઘટાડવા આહવાન કર્યું હતું. “બીજી મહત્વની બાબત એ છે કે, ડિઝાઇન અને ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના 101 ટકા સાચો DPR બનાવવો જોઈએ. દેશમાં પાંચ લાખ અકસ્માતો અને દોઢ લાખ લોકોના મોત થયા એ સારી વાત છે? જીડીપીના 3 ટકાનું નુકસાન થયું છે. ત્રણ લાખ લોકોએ તેમના હાથ-પગ ગુમાવ્યા છે.”
ઇજનેરોને જીવન બચાવવા માટે બ્લેક સ્પોટ્સ દૂર કરવા માટે કામ કરવા વિનંતી કરતાં ગડકરીએ કહ્યું કે, રસ્તાઓનું નિર્માણ કરતી વખતે, વ્યક્તિએ ખાતરી કરવી જોઈએ કે અકસ્માતોને રોકવા માટે તે યોગ્ય રીતે એન્જિનિયર્ડ કરે છે. “મને લાગે છે કે યજ્ઞની જેમ, તેઓ એવા પ્રાણીનું બલિદાન લે છે, જે તેના મનની વાત કરી શકતું નથી, કોઈપણ અકસ્માતના કિસ્સામાં, ડ્રાઇવરને દોષી ઠેરવવામાં આવે છે… મેં નજીકથી નિરીક્ષણ કર્યું છે. ઘણી વખત આ રોડ એન્જિનિયરિંગની ભૂલ હોય છે. રોડ બનાવતી વખતે તમારે એવો રોડ બનાવવાની ચિંતા કરવી જોઈએ કે, જેનાથી અકસ્માત ન થાય.
મંત્રીએ કહ્યું, “ઘણા લોકો મરી રહ્યા છે. 60 ટકા અકસ્માત મૃત્યુ 18 થી 34 વર્ષની વયજૂથના લોકોમાં થાય છે અને તેમાંથી ઘણા એન્જિનિયર અને ડોક્ટર પણ હોય છે. શું તે દેશ માટે સારું છે? શું તમે, એક ઈજનેર તરીકે, કાળો દાઘ દૂર કરવા માટે સુઓ મોટુ કાર્ય કરી શકો છો? હું તમને બધાને વિનંતી કરું છુ, રોડ એન્જિનિયરિંગ અકસ્માતોનું કારણ ન હોવું જોઈએ.”
પ્રોજેક્ટ્સમાં વિલંબ માટે કોર્ટ દ્વારા જાહેર કરાયેલા સ્ટે ઓર્ડરને ટાંકીને ગડકરીએ જણાવ્યું હતું કે, જ્યારે કોઈ વિવાદ તેની (સરકાર) સાથે સંબંધિત હોય ત્યારે સરકાર “જજની ભૂમિકા” ભજવે છે. તેમણે દાવો કર્યો હતો કે, તેમણે “અસફળ પ્રેક્ટિસવાળા વકીલો” રાખ્યા હતા, જેના કારણે કેસમાં વિલંબ થયો હતો. “જે વ્યક્તિ વિવાદમાં પક્ષકાર છે તે ન્યાયાધીશ કેવી રીતે બની શકે? પણ સરકારમાં બધા સમાન છે… તમારે રાજાને ‘યસ સર’ કહેવું પડશે. તમારે રાજા જે કહે છે તે સાંભળવું પડશે… (પરંતુ) જો તમારે ન્યાય આપવો હોય, તો અમને સ્વતંત્ર નિષ્પક્ષ, ન્યાયી વ્યવસ્થાની જરૂર છે.
તેમણે એ પણ વર્ણવ્યું કે, કેવી રીતે “ચોક્કસ પક્ષને મદદ કરવા માટે લાયકાત બદલવામાં આવી હતી” અને પ્રમાણભૂત નીતિ (ટેન્ડરો માટે)ની જરૂર હતી.
“હું વકીલો વિશે જાણું છું… એવા લોકો અમારી પાસે આવે છે, જેમની પાસે સારી પ્રેક્ટિસ નથી અને અમે તેમને સરકારી વકીલ બનાવીએ છીએ… અમે તેમની નિમણૂક કરીએ છીએ કારણ કે, જેમની પ્રેક્ટિસ સારી છે, તેઓ અમારી પાસે કેમ આવે જ?”
ગડકરીએ કહ્યું કે, તેમણે સુપ્રીમ કોર્ટના તમામ નિર્ણયો અંગે એક રિપોર્ટ તૈયાર કર્યો છે, જે સરકારની વિરુદ્ધમાં ગયા અને તેના માટે કોણ જવાબદાર છે. “જો આ અંગેનો સાચો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે તો…જેમના ખોટા નિર્ણયોથી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, તેઓ હજુ પણ સેવામાં છે અને એ જ ભૂલોનું પુનરાવર્તન કરી રહ્યા છે…”
આ પણ વાંચો – Accident News : તેલંગાણા એર ક્રાફ્ટ ક્રેશ થતા 2 મોત, શિમલામાં પિકઅપ ગાડી ખીણમાં ખાબકતા 6 ના મોત
ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રોજેક્ટને અસરકારક બનાવવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે, બાંધકામની કિંમતમાં ઘટાડો કરવો. તેમણે કહ્યું, “વૃક્ષ કાપવાની જાળ” માં ન પડવાની સલાહ આપતા તેમણે કહ્યું કે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ 78,000 વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. “આપણે પર્યાવરણનું રક્ષણ કરવું પડશે, સામગ્રીને રિસાયકલ કરવી પડશે અને ગુણવત્તા સાથે સમાધાન ન કરીને ઉત્પાદન ખર્ચ ઘટાડવો પડશે.”