PAAS સંગઠન સમેટાઈ ગયું! પાટીદાર આંદોલનના જાણીતા ચહેરાઓ રાજકારણમાં જોડાઈ ગયા

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પાસ સંગઠન નિષ્ક્રિય, પાટીદાર અનામત આંદોલન સમિતી (Patidar Anamat Andolan Samiti) સમયના તમામ જાણીતા ચહેરાઓ (PAAS Leader) રાજકારણ (Politics) માં જોડાઈ જતા, પાસ સંગઠન સમેટાઈ ગયું છે. હવે સંગઠનને બંધ કરવાનો વિકલ્પ શોધી રહ્યા.

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પાસ સંગઠન નિષ્ક્રિય, પાટીદાર અનામત આંદોલન સમિતી (Patidar Anamat Andolan Samiti) સમયના તમામ જાણીતા ચહેરાઓ (PAAS Leader) રાજકારણ (Politics) માં જોડાઈ જતા, પાસ સંગઠન સમેટાઈ ગયું છે. હવે સંગઠનને બંધ કરવાનો વિકલ્પ શોધી રહ્યા.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

હાર્દિક પટેલ (ફાઈલ ફોટો)

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે પાસ સંગઠન હવે કેટલું સક્રિય છે, તેના સભ્યો ક્યાં છે, જોઈએ. પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS), એક પાટીદાર સમાજનુંનું સંગઠન છે જે 2015માં હાર્દિક પટેલ દ્વારા પાટીદાર જાતિ માટે અનામતની માગણી કરતી ચળવળનું નેતૃત્વ કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું, અને જે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તે પ્રભાવશાળી વ્યક્તિ તરીકે ઉભરી આવ્યો હતો. હવે 2022ની વિધાનસભા ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી હોવાથી સંગઠનના મોટા ભાગના અગ્રણી ચહેરાઓ વિવિધ રાજકીય પક્ષોમાં જોડાઈ ગયા છે, જેની અસર સંગઠન પર પડી છે, અને હવે, બાકીના લોકો તેને કેવી રીતે સમાપ્ત કરવું તે શોધી રહ્યા છે.

Advertisment

સંગઠનના છેલ્લા બે જાણીતા ચહેરા - અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવિયા - ગયા મહિને આમ આદમી પાર્ટી (AAP) માં જોડાયા પછી, માલવિયાએ કહ્યું કે, તેઓ સંગઠનને બંધ કરવાના વિકલ્પની શોધ કરી રહ્યા છે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતી વખતે PAASની વર્તમાન સ્થિતિ વિશે પ્રશ્નના જવાબમાં, માલવીયાએ કહ્યું, “હાલમાં, કોઈ પરિસ્થિતિ નથી. અલગ-અલગ જિલ્લામાંથી PAASના ઘણા સભ્યો AAPમાં જોડાયા હોવાની ચર્ચા છે. મોટાભાગના લોકોએ (PAAS સાથે જોડાયેલા) કોઈને કોઈ પ્રકારનું રાજકીય વલણ અપનાવ્યું છે. અમારામાંથી લગભગ 5-7 લોકો કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા ન હતા. હવે અમે પણ AAPમાં જોડાઈ ગયા છીએ ત્યારે અમે વિચારી રહ્યા છીએ કે પાસનું શું કરવું. તેને સમાપ્ત કરવા માટે વિકલ્પ અમે શોધી રહ્યા છીએ."

માલવિયાએ કહ્યું કે તેઓ હવે PAASની બે માંગણીઓ - અનામત આંદોલનમાં માર્યા ગયેલા 14 પાટીદારોના પરિવારો માટે સરકારી અથવા અર્ધ-સરકારી નોકરીઓ અને આંદોલન દરમિયાન સમાજના સભ્યો સામે નોંધાયેલા ફોજદારી કેસોને રાજકીય રીતે ઉકેલવાનો પ્રયાસ કરવાનો છે.

Advertisment

PAAS ના અગ્રણી મહિલા ચહેરાઓમાંની એક, રેશ્મા પટેલ, સંગઠન છોડીને રાજકીય પક્ષમાં જોડાનાર પ્રથમ મહિલા હતી. રેશ્મા 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા PAASના અન્ય વરિષ્ઠ સભ્ય વરુણ પટેલ સાથે ભાજપમાં જોડાઈ હતી. અન્ય એક વરિષ્ઠ સભ્ય અને હાર્દિકના નજીકના સાથી ચિરાગ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા.

રેશ્મા સાથે ગંભીર મતભેદો બાદ તેમણે ભાજપ છોડી દીધું અને હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે છે. આ વિધાનસભા ચૂંટણીમાં તે સૌરાષ્ટ્રની કોઈપણ એક બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. જોકે વરુણ અને ચિરાગ ભાજપ સાથે જોડાયેલા છે.

બીજી તરફ હાર્દિક 2019ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયો હતો અને બાદમાં તેને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. જો કે, તેમણે આ વર્ષે મે મહિનામાં કોંગ્રેસ સાથે છેડો ફાડી દાધો અને થોડા જ દિવસોમાં 2 જૂનના રોજ ભાજપમાં જોડાયા હતા.

રસપ્રદ વાત એ છે કે, જ્યારે વરુણ, ચિરાગ અને હાર્દિક ત્રણેય અમદાવાદ જિલ્લાના વિરમગામ વિસ્તારના છે, ત્યારે ત્રણેએ વિરમગામની ટિકિટ માટે દાવો રજૂ કર્યો છે.

PAAS ના અગ્રણી સભ્યોએ તેમની રાજકીય કારકિર્દીમાં તેમના ભાવિ માર્ગ તરીકે વિવિધ પક્ષોને પસંદ કર્યા છે, પરંતુ તેઓ બધા તેમના એક સમયના નેતા હાર્દિક પટેલથી નારાજ છે.

વરુણે કહ્યું, હા, મેં વિરમગામથી ભાજપની ટિકિટનો દાવો કર્યો છે. અમારું માનવું છે કે, હાલમાં જ પાર્ટીમાં સામેલ થયેલા કોઈપણ વ્યક્તિને ટિકિટ ન આપવી જોઈએ. પક્ષે કોઈ પણ કલંકિત વ્યક્તિને ટિકિટ ન આપવી જોઈએ, આ સ્વીકાર્ય નથી. જો આવી સ્થિતિ ઉભી થશે તો માત્ર આ ચોક્કસ સીટ પર જ નહીં પરંતુ વધુ 25 સીટો પર પાર્ટીના કાર્યકરોને ખોટો સંદેશ જશે. તેનાથી પાર્ટીના કાર્યકરોનું મનોબળ નીચું આવશે.

વરુણના મતે, કથેરિયા AAPમાં જોડાવાથી, PAAS નિષ્ક્રિય થઈ ગયું છે, અને વિધાનસભા ચૂંટણી પછી જ તેમાં સુધારો થઈ શકે છે.

રેશ્માએ કહ્યું કે, “હાર્દિક સહિતના લોકોએ વિરમગામ મતવિસ્તારમાંથી (ભાજપ) ટિકિટ માંગી છે. પરંતુ, મને લાગે છે કે ભાજપ આ વિસ્તારમાંથી તેના એક જૂના સભ્યને ટિકિટ આપશે. હું હાર્દિક માટે એટલું જ કહીશ કે તેણે ભાજપ પાસેથી ટિકિટ માંગીને પોતાનું અવમૂલ્યન કર્યું છે. કોંગ્રેસમાં ટિકિટોની વહેંચી રહ્યા હતા, જ્યારે અહીં, તેઓ [વિરમગામથી] પાર્ટીની ટિકિટ માટે લાંબી કતારમાં ઉભા છે."

માલવિયાએ હાર્દિક સાથેના તેમના મતભેદો વધુ નમ્ર સ્વરમાં સમજાવ્યો. તેમણે કહ્યું કે, હાર્દિકનો ભાજપમાં જોડાવાનો નિર્ણય તેમને પસંદ નથી આવ્યો. "વૈચારિક રીતે, આપણે અલગ છીએ. પરંતુ જ્યાં સુધી સમુદાયના કલ્યાણની વાત છે, અમે સાથે છીએ."

વિરમગામથી પાર્ટીની ટિકિટ માટે દાવેદારી કરનાર ભાજપના એક સભ્યએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ભાજપના નિર્ણયકર્તાઓને જૂના સમયના કોઈને પણ ટિકિટ આપવા કહ્યું હતું, પરંતુ હાર્દિકને નહીં.

જ્યારે PAAS વિશે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે, હાર્દિકે કહ્યું, "મેં PAAS અલ્પેશ કથેરિયાને સોંપી લાંબા સમય પહેલા છોડી દીધું છે. પાસનું શું થશે તે હવે તેમની ચિંતા છે. હું હવે તેની સાથે જોડાયેલ નથી."

વિરમગામથી ભાજપની ટિકિટ માંગવા પર હાર્દિકે કહ્યું હતું કે, "સ્વાભાવિક રીતે જ પાર્ટી પાસેથી ટિકિટ માંગનાર દરેક વ્યક્તિ પોતાની વિધાનસભામાંથી આવું કરી રહ્યા હશે."

વિરમગામથી ભાજપની ટિકિટ માંગવા બદલ તેમના પૂર્વ PAAS સાથીઓની ટીકા વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું, "મને તેની જાણ નથી. દરેક વ્યક્તિને કંઈપણ કહેવાનો અધિકાર છે. હું કોઈની વિરુદ્ધ બોલતો નથી."

2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન PAASનો મજબૂત પ્રભાવ હતો. ઘણા માને છે કે PAAS હેઠળના પાટીદાર આંદોલનના પ્રભાવને કારણે તે વર્ષે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી માત્ર 99 બેઠકો જીતીને ભાજપ ઐતિહાસિક નીચા સ્તરે આવી ગયું હતું. વિપક્ષ કોંગ્રેસને સ્પષ્ટ ફાયદો થયો હતો, 77 બેઠકો જીતીને તેનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું.

વિરમગામમાં છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. 2017 માં, તેણે કેટલીક પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો પણ જીતી હતી જે પરંપરાગત ભાજપના ગઢ હતા, જેમ કે ઊંઝા, પાટણ, મોરબી, ધોરાજી, ટંકારા અને જામ જોધપુર.

Express Exclusive gujarat election 2022 ગુજરાત