/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/09/pm-modi-in-Bhavnagar-2.jpg)
PM Modi Gujarat Visit : ભાવનગરમાં સભા દરમિયાન એક બાળક પીએમ મોદીનું ચિત્ર બનાવી લાવ્યો હતો (તસવીર - એએનઆઈ)
PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદીના આ પ્રવાસની શરૂઆત ભાવનગરથી શરૂ થઈ હતી. અહીં તેમણે એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન એક બાળક વડાપ્રધાન મોદીની તસવીર લઈને આવ્યો હતો. પીએમ મોદીએ તે તસવીર જોતાની સાથે જ કોઈને તે લેવા માટે કહ્યું હતું. આ તસવીર વડાપ્રધાન સુધી પહોંચતાની સાથે જ બાળક રડવા લાગ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક નાનો બાળક એક ચિત્ર બનાવીને લાવ્યો છે. ક્યારથી ઊભો છે, તેના હાથમાં દુખાવો થતો હશે. કોઈ તેની પાસેથી ચિત્ર કલેક્ટ કરી લો. શાબાશ દીકરા, ચાલ બેટા, તારું ચિત્ર મળી ગયું છે અને હવે રડવાની જરૂર નથી. મને તારું ચિત્ર મળી ગયું છે. જો તેના પર તમારું સરનામું હશે તો હું તને ચોક્કસ પત્ર લખીશ. ત્યારબાદ બાળકે પાણી પીધું હતું અને રડવાનું બંધ કરી દીધું હતું.
2047 સુધી આપણે વિકસિત થવાનું છે: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે જો આપણે 2047 સુધીમાં વિકાસ કરવો હોય તો ભારતે આત્મનિર્ભર બનવું જ પડશે. આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. 140 કરોડ દેશવાસીઓનો એક જ સંકલ્પ હોવો જોઈએ- ચિપ હોય કે પછી જહાજ, આપણે તેને ભારતમાં જ બનાવવાના છે. આ વિચારધારા સાથે આજે ભારત દરિયાઈ ક્ષેત્રમાં નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ પણ કરવા જઈ રહ્યું છે. દેશના દરિયાઈ ક્ષેત્રને મજબૂત કરવા માટે એક ખૂબ જ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સરકારે મોટા જહાજોને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે માન્યતા આપી છે.
#WATCH | Bhavnagar, Gujarat | A child gets emotional after PM Modi acknowledges the portrait he brought as a gift for PM Modi
(Source: ANI/DD) pic.twitter.com/tSHiub3zpr— ANI (@ANI) September 20, 2025
આ પણ વાંચો - જો આપણો કોઈ દુશ્મન હોય તો તે છે…” PM મોદીએ ભાવનગરમાં રાષ્ટ્રને ચેતવણી આપી
પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત એક અલગ મિજાજ સાથે આગળ વધી રહ્યું છે. આપણે જે લક્ષ્યો નક્કી કરીએ છીએ તે પણ સમય પહેલા પૂર્ણ કરીએ છીએ. ભારત હવે સૌર ક્ષેત્રમાં પોતાના લક્ષ્યોને સમય કરતા ચાર-પાંચ વર્ષ પહેલા હાંસલ કરી રહ્યું છે.
કોંગ્રેસે ભારતના સામર્થ્યને નજરઅંદાજ કર્યું : પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં ક્ષમતાની કોઈ કમી નથી, પરંતુ આઝાદી પછી કોંગ્રેસે ભારતની દરેક સંભાવનાને અવગણી છે. ભારતે આત્મનિર્ભર બનવું પડશે અને વિશ્વની સામે મજબૂતીથી ઊભું થવું પડશે. ભારતમાં સામર્થ્યની કોઈ કમી નથી. પરંતુ આઝાદી પછી કોંગ્રેસે ભારતના તમામ સામર્થ્યને અવગણ્યા હતા. તેથી જ આઝાદીના 6-7 દાયકા પછી પણ ભારતને તે સફળતા મળી નથી જેના હકદાર હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us