ગુજરાતમાં પીએમ મોદીએ કહ્યું - બિહારની ચૂંટણીએ જાતિવાદના ઝેરને નકારી કાઢ્યું

PM Modi Gujarat Visit : પીએમ મોદી એક દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. દેડિયાપાડા ખાતે આયોજિત આ સભામાં વડાપ્રધાન મોદીએ 9700 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન લોકોને સંબોધિત કરતા તેમણે બિહારની જીતને ઐતિહાસિક ગણાવી અને વિપક્ષની આકરી ટીકા કરી

PM Modi Gujarat Visit : પીએમ મોદી એક દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. દેડિયાપાડા ખાતે આયોજિત આ સભામાં વડાપ્રધાન મોદીએ 9700 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન લોકોને સંબોધિત કરતા તેમણે બિહારની જીતને ઐતિહાસિક ગણાવી અને વિપક્ષની આકરી ટીકા કરી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
PM Modi Gujarat visit

PM Modi Gujarat visit : પીએમ મોદી ગુજરાતના પ્રવાસે (તસવીર - @BJP4Gujarat)

PM Modi Gujarat Visit : પીએમ મોદી એક દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. દેડિયાપાડા ખાતે આયોજિત આ સભામાં વડાપ્રધાન મોદીએ 9700 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન લોકોને સંબોધિત કરતા તેમણે બિહારની જીતને ઐતિહાસિક ગણાવી અને વિપક્ષની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં, બિહારના લોકોએ જાતિવાદના ઝેરને નકારી કાઢ્યું છે. છેલ્લા બે વર્ષથી આ જમાનતી નેતાઓ બિહાર જઈને જાતિવાદ-જાતિવાદનું ભાષણ આપી રહ્યા હતા. જેટલી તાકાત હતી તેમણે જાતિવાદનું ઝેર ફેલાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ બિહારની આ ચૂંટણીએ જાતિવાદના આ ઝેરને સંપૂર્ણપણે નકારી કાઢ્યું છે.

Advertisment

પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણીમાં વિજેતા NDA ગઠબંધન અને પરાજિત મહાગઠબંધન વચ્ચે 10 ટકા વોટનો તફાવત છે, જે ઘણી મોટી વાત છે. આનો અર્થ એ છે કે સામાન્ય મતદાતાએ એકતરફી મતદાન કર્યું, આ બિહારના વિકાસ પ્રત્યે લલક છે.

પીએમ મોદીએ કહ્યું - અમારો મૂળભૂત વિચાર રહ્યો છે - નેશન ફર્સ્ટ

પીએમ મોદીએ કહ્યું કે તમે પણ જાણો છો અને બિહારના લોકો જાણે છે કે અમે તે પક્ષ છીએ જ્યારે તમે મને ગુજરાતના મુખ્યમંત્રીના રુપમાં પણ કામ આપ્યું હતું. ત્યારે પણ અમારો એક મંત્ર હતો કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. અમારો મૂળભૂત વિચાર રહ્યો છે - નેશન ફર્સ્ટ. આ મંત્ર અમારા માટે હિન્દુસ્તાનનો દરેક ખૂણો, હિન્દુસ્તાનનું દરેક રાજ્ય, દરેક ભાષા-ભાષી નાગરિક, તે અમારા માટે પૂજનીય, વંદનીય છે. તેથી બિહાર પર ગર્વ કરવો, બિહારના સામર્થ્યનો સ્વીકાર કરવો, આ મારા માટે ખૂબ જ સહજ વાત છે.

આ પણ વાંચો - ‘વિશ્વના નકશા પર ગુજરાતની નવી ઓળખ’: કેન્દ્ર સરકારે અંબાજી માર્બલને GI ટેગ આપ્યો

Advertisment

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે બિહાર આજે દુનિયાભરમાં છવાયેલું છે. તમે દુનિયામાં ક્યાંય પણ જાવ, તમને બિહારની પ્રતિભા જોવા મળશે. હવે બિહાર વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરવાની મિજાજ બતાવી રહ્યું છે. આ ચૂંટણીમાં તે મિજાજના દર્શન થયા છે. મહિલા-યુવા એક એવું માઇ કોમ્બિનેશન બન્યું છે જેણે આવનારા દાયકાઓની રાજનીતિનો પાયો મજબૂત બનાવ્યો છે.

કોંગ્રેસ પર કર્યો પ્રહાર

પીએમ મોદીએ કહ્યું કે આ મુસ્લિમ લીગી માઓવાદી કોંગ્રેસને દેશ અસ્વીકાર કરી ચુક્યો છે. કોંગ્રેસ પાર્ટીમાં જે રાષ્ટ્રીય વિચારોથી મોટા થયા છે તેવો કોંગ્રેસનો એક મોટો વર્ગ નામદારની હરકતથી દુખી છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે હવે કોંગ્રેસને કોઈ બચાવી શકશે નહીં.

વડાપ્રધાને સાગબારામાં દેવમોગરા માતાના કર્યા દર્શન

વડાપ્રધાન મોદી સુરતથી નર્મદા જિલ્લાના દેડિયાપાડા પહોંચ્યા હતા. તેમણે અહીં સાગબારામાં પૌરાણિક દેવમોગરા મંદિરમાં માતાની પૂજા કરી હતી અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોના આદિવાસી સમુદાયો દ્વારા દેવમોગરા પાંડોરી માતાની કુળદેવી તરીકે પૂજા કરવામાં આવે છે.

બિહાર ચૂંટણી પરિણામ ગુજરાતી ન્યૂઝ ગુજરાત નરેન્દ્ર મોદી દેશ PM Narendra Modi