રાજકોટ : ફાર્મ હાઉસ પર જુગારધામનો અડ્ડો, 17 ઝડપાયા, 2 પોલીસકર્મીઓ પણ તપાસ હેઠળ

Gujarat Police State Monitoring Cell : રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડ ગામમાં ફાર્મહાઉસમાંથી રૂ. 94 લાખથી વધુની કિંમતી ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. જેમાં રૂ. 77 લાખની કિંમતના છ વાહનો, રૂ. 2.31 લાખના 23 મોબાઇલ ફોન અને રૂ. 15 લાખની રોકડનો સમાવેશ થાય છે.

Gujarat Police State Monitoring Cell : રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડ ગામમાં ફાર્મહાઉસમાંથી રૂ. 94 લાખથી વધુની કિંમતી ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. જેમાં રૂ. 77 લાખની કિંમતના છ વાહનો, રૂ. 2.31 લાખના 23 મોબાઇલ ફોન અને રૂ. 15 લાખની રોકડનો સમાવેશ થાય છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Jugardham gambling Raid Rajkot Manekvada

રાજકોટના માણેકવાડ ગામે જુગારધામ પર દરોડો

ગુજરાત પોલીસના સ્ટેટ સર્વેલન્સ સેલે બુધવારે રાજકોટના માણેકવાડા ગામમાં એક ફાર્મહાઉસમાં જુગારના અડ્ડા પર દરોડો પાડીને હત્યાના આરોપી અને અન્ય 17 લોકોની અટકાયત કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ જાડેજા અગાઉ એક દલિત વ્યક્તિ અને તેના પુત્રની હત્યાના ગુનામાં પણ પકડાયો હતો અને તે જામીન પર બહાર હતો.

Advertisment

પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, "મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ જાડેજાની પૂછપરછના આધારે, અમે કહી શકીએ છીએ કે ફાર્મહાઉસની બહાર છેલ્લા બે મહિનાથી જુગારનો અડ્ડો ચાલતો હતો અને જુદા જુદા જિલ્લાના જુગારીઓ ત્યાં ભેગા થતા હતા."

એસપીએ જણાવ્યું હતું કે, કોટડા સાંગાણી તાલુકાના ફાર્મહાઉસમાંથી રૂ. 94 લાખથી વધુની કિંમતી ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. જેમાં રૂ. 77 લાખની કિંમતના છ વાહનો, રૂ. 2.31 લાખના 23 મોબાઇલ ફોન અને રૂ. 15 લાખની રોકડનો સમાવેશ થાય છે. પોલીસ ટીમે મહેન્દ્ર સિંહ પાસેથી ચાર દારૂની બોટલો પણ જપ્ત કરી હતી.

મહેન્દ્ર સિંહ પર હત્યાનો પણ આરોપ

માણેકવાડા ગામમાં વિકાસ પ્રોજેક્ટ્સમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા બાદ 9 માર્ચ, 2018 ના રોજ માણેકવાડા ગામના દલિત આરટીઆઈ કાર્યકર નાનજી સોંદરવાની બાઈક પર કાર ચઢાવી દઈ હત્યા કરવાના આરોપમાં મહેન્દ્ર સિંહ અને અન્ય પાંચ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

Advertisment

મહેન્દ્રસિંહના સ્વર્ગસ્થ પિતા ભીખુભા જાડેજા તે સમયે માણેકવાડા ગામના સરપંચ હતા, જ્યારે બીનાબા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયા બાદ કોટડા સાંગાણી તાલુકા પંચાયતના સીટીંગ સભ્ય હતા.

19 મે, 2019 ના રોજ, નાનજીના 19 વર્ષીય પુત્ર રાજેશને ટોળા દ્વારા કથિત રીતે માર મારી હત્યા કરી દેવામાં આવી હતી. રાજેશ પર ત્યારે હુમલો થયો જ્યારે તેના પિતાના કેસમાં આરોપીના જામીન રદ કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. જો કે, જાન્યુઆરી 2022 માં, કોર્ટે રાજેશની હત્યાના કેસમાં મહેન્દ્રસિંહના પુત્ર યુવરાજસિંહ સહિત તમામ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા, જ્યારે નાનજીની હત્યાનો કેસ પેન્ડિંગ રહ્યો હતો.

આ પણ વાંચો - વડોદરામાં મોટી દુર્ઘટના : હરણીના મોટનાથ તળાવમાં 20 થી વધુ બાળકો અને શિક્ષકો સાથે બોટ પલટી, 10 થી વધુના મોત

રાયે જણાવ્યું હતું કે, "મહેન્દ્ર સિંહ સામે જુગાર અને ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગ-અલગ ફરિયાદો દાખલ કરવામાં આવી છે."

સૂત્રોએ જણાવ્યું કે, એસએમસી ટીમે મહેન્દ્ર સિંહ પાસેથી એક ડાયરી જપ્ત કરી છે અને તે સ્થાનિક પોલીસના સંપર્કમાં પણ છે. “પુરાવા મળ્યા છે કે, તે બે પોલીસ કોન્સ્ટેબલના સંપર્કમાં હતો. તેમાંથી એક રાજકોટ ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાથે જોડાયેલ છે અને અન્ય રાજકોટ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ સાથે જોડાયેલ છે.”

ગુજરાતી ન્યૂઝ રાજકોટ ગુજરાત