/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Rajkot-TRP-Mall-Game-Zone-Fire-Reactions.jpg)
રાજકોટ અગ્નિકાંડ પર પ્રતિક્રિયા (ફોટો - એક્સપ્રેસ)
Rajkot Game Zone Fire : ગુજરાતના રાજકોટમાં TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં 24 લોકો દાઝી જતા મોત થયા હતા. આગની ઘટના બાદ સમગ્ર ગેમ ઝોન બળીને રાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 8 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશનની સાથે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.
જવાબદારો સામે બેદરકારી અને મૃત્યુનો કેસ દાખલ કરીશું : રાજકોટ પોલીસ કમિશ્નર
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, TRP ગેમિંગ ઝોનમાં બપોરે આગ લાગી હતી. બચાવ કામગીરી ચાલી રહી છે. આગને કાબુમાં લેવામાં આવી છે. અમે બને તેટલા મૃતદેહોને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં લગભગ 20 મૃતદેહો મળી આવ્યા છે અને તેમને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ગેમિંગ ઝોનનો માલિક યુવરાજસિંહ સોલંકી નામનો વ્યક્તિ છે. અમે બેદરકારી અને મૃત્યુનો કેસ દાખલ કરીશું. બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ અહીં વધુ તપાસ કરવામાં આવશે.
#WATCH राजकोट, गुजरात: राजकोट गेमिंग ज़ोन मेें लगी आग पर राजकोट पुलिस कमिश्नर राजू भार्गव ने बताया, "यहां पर जो दुखद घटना हुई है, उस पर पुलिस की कार्रवाई जारी है। यहां के मालिक और मैनेजर को पूछताछ के लिए पुलिस स्टेशन ले जाया गया है... " pic.twitter.com/Z31jzxU8nm
— ANI_HindiNews (@AHindinews) May 25, 2024
આગ સ્થળનું બાંધકામ ધરાશાયી થઈ જતા કામગીરીમાં મુશ્કેલી પડી રહી : ફાયર અધિકારી
ANIના અહેવાલ મુજબ આગ એટલી ગંભીર હતી કે, તેનો ધુમાડો 3 કિલોમીટર દૂરથી દેખાઈ રહ્યો હતો. જો કે આગ લાગવાનું કારણ શું હતું તે હજુ સ્પષ્ટ થયું નથી. ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે, એક માળખું ધરાશાયી થવાને કારણે તેમને રાહત કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમે લોકોને વહેલી તકે બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
#WATCH राजकोट, गुजरात: अग्निशमन अधिकारी आर. जोबन ने बताया, "बचाव अभियान जारी है। कितने शव मिले हैं अभी उसका आकलन नहीं किया गया है।" https://t.co/MRpvCX1bhwpic.twitter.com/icBGugSuDd
— ANI_HindiNews (@AHindinews) May 25, 2024
પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, રાજકોટમાં આગની દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું. જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. ઘાયલો માટે પ્રાર્થના. "સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે કામ કરી રહ્યું છે."
The fire tragedy in Rajkot has saddened us all. In my telephone conversation with him a short while ago, Gujarat CM Bhupendrabhai Patel Ji told me about the efforts underway to ensure all possible assistance is provided to those who have been affected. @Bhupendrapbjp
— Narendra Modi (@narendramodi) May 25, 2024
અમિત શાહે આ ઘટનાથી દુઃખી હોવાનું જણાવ્યું
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું, “રાજકોટ (ગુજરાત) ના ગેમ ઝોનમાં થયેલા અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું. મેં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે અને આ અકસ્માત અંગે માહિતી લીધી છે. વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્ય માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે અને ઘાયલોને સારવાર આપી રહ્યું છે. "હું આ દુ:ખદ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું."
રાજકોટ (ગુજરાત)ના ગેમ ઝોનમાં થયેલા અકસ્માતથી અત્યંત વ્યથિત છું. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી સાથે વાત કરી આ અકસ્માત અંગે જાણકારી મેળવી. વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્ય માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે અને ઘાયલોને સારવાર આપી રહ્યું છે. આ દુ:ખદ દુર્ઘટનામાં જેમણે પોતાના…
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) May 25, 2024
રાષ્ટ્રપતિ મુર્મુએ પણ દુઃખ વ્યક્ત કર્યું
ગુજરાતના રાજકોટમાં એક ગેમિંગ ઝોનમાં આગની દુર્ઘટનામાં જાનહાનિના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. એવા પરિવારો પ્રત્યે મારી સંવેદના છે જેમણે તેમના બાળકો સહિત તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. બચાવાયેલા લોકો ઝડપથી સાજા થાય તે માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું.
CM એ બચાવ કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી હતી
આ દરમિયાન, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકા અને વહીવટીતંત્રને આગની ઘટનામાં તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય હાથ ધરવા સૂચના આપી છે. ભૂપેન્દ્ર પટેલે X પર પોસ્ટ કર્યું, “રાજકોટના ગેમ ઝોનમાં આગની ઘટનામાં, મહાનગરપાલિકા અને વહીવટીતંત્રને તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય માટે સૂચનાઓ આપવામાં આવી છે. ઘાયલોની તાત્કાલિક સારવારની વ્યવસ્થાને પ્રાથમિકતા આપવા પણ સૂચનાઓ આપવામાં આવી છે. આ સાથે તેમણે કહ્યું કે રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપશે. એટલું જ નહીં આ કેસની તપાસ માટે SIT ટીમ બનાવવામાં આવી છે.
गुजरात के मुख्यमंत्री भूपेन्द्र पटेल ने ट्वीट किया, ''राजकोट में गेम जोन में आग लगने की घटना में नगर निगम और प्रशासन को तत्काल बचाव और राहत कार्य के निर्देश दिए गए हैं। घायलों के तत्काल इलाज की व्यवस्था को प्राथमिकता देने का भी निर्देश दिया गया है।" pic.twitter.com/bB7zAi0rf7
— ANI_HindiNews (@AHindinews) May 25, 2024
ઘટના અંગે કલેકટરે શું કહ્યું
રાજકોટમાં આગની ઘટના અંગે રાજકોટ કલેક્ટર પ્રભા જોષીએ જણાવ્યું હતું કે, અમને સાંજે 4.30 વાગ્યે ફોન આવ્યો હતો. ગેમિંગ ઝોનમાં કામચલાઉ માળખું તૂટી પડ્યું હતું. અંદાજે 2 કલાક પહેલા આગને કાબુમાં લેવામાં આવી હતી. કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. અમે મુખ્યમંત્રીના સતત સંપર્કમાં છીએ.
#WATCH गुजरात: राजकोट कलेक्टर प्रभाव जोशी ने बताया, "हमें लगभग 4:30 बजे आग की सूचना मिली थी, तुरंत एम्बुलेंस और दमकल की गाड़ियां मौके पर पहुंची। यहां TRP गेमिंग ज़ोन में जो अस्थायी संरचना थी वह ध्वस्त हो गई। आग पर 2 घंटे पहले काबू पा लिया गया है, मलबा निकाला जा रहा है। राहत और… https://t.co/MRpvCX0DrYpic.twitter.com/TH1E8qpOX7
— ANI_HindiNews (@AHindinews) May 25, 2024
આગની ઘટના પર ભાજપના ધારાસભ્યએ શું કહ્યું?
રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગ પર ભાજપના ધારાસભ્ય દર્શિતા શાહે કહ્યું કે, આજે રાજકોટમાં ખૂબ જ દુઃખદ ઘટના બની છે. રાજકોટના ઈતિહાસમાં પ્રથમ વખત ગેમ ઝોનમાં આગ લાગવાને કારણે બાળકોએ જીવ ગુમાવ્યો હોય. રેસ્ક્યુ ટીમ શક્ય તેટલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર આ બાબતે પગલાં લેશે પરંતુ અત્યારે પ્રાથમિકતા શક્ય એટલા લોકોને બચાવવાની છે.
આ પણ વાંચો - રાજકોટ TRP મોલ ગેમ ઝોનમાં આગ | 9 બાળકો સહિત 24 ના મોત, અનેકની હાલત ગંભીર, મૃતકોના પરિવારને 4 લાખ સહાયની જાહેરાત
#WATCH गुजरात: राजकोट के गेम ज़ोन में लगी आग पर भाजपा विधायक दर्शिता शाह ने कहा, "आज राजकोट में बहुत दुखद घटना घटी है। राजकोट के इतिहास में ऐसा पहली बार हुआ है कि एक गेम ज़ोन में आग लगने से बच्चों की मृत्यु हुई है। बचाव दल की पूरी कोशिश है कि ज्यादा से ज्यादा लोगों को बचा सके।… pic.twitter.com/oa0n3st8fe
— ANI_HindiNews (@AHindinews) May 25, 2024
પોલીસે માલિકની અટકાયત કરી હતી
રાજકોટ પોલીસે ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની અટકાયત કરી છે. પોલીસ ગેમ ઝોનના મેનેજરને પણ શોધી રહી છે. આ ગેમ ઝોનના એક ભાગમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે બે દિવસ પહેલા ગેમ ઝોન બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે, એક દિવસ બાદ ગેમ ઝોન ફરી ખોલવામાં આવ્યો હતો. જે દરમિયાન બે દિવસ પહેલા શોર્ટ સર્કિટના કારણે ગેમ ઝોન બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે, એક દિવસ બાદ ગેમ ઝોન ફરી ખોલવામાં આવ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us