Rajkot Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડ પીએમ મોદી, અમિત શાહ સહિત કોણે શું કહ્યું? ગેમ ઝોન માલિક સહિત ચારની અટકાયત

Rajkot TRP Mall Game Zone Fire : રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટના બાદ પીએમ મોદી, અમિત શાહ સહિતના નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી દુ:ખ વ્યક્ત કર્યું, તો જોઈએ કોણે શું કહ્યું.

Rajkot TRP Mall Game Zone Fire : રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટના બાદ પીએમ મોદી, અમિત શાહ સહિતના નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી દુ:ખ વ્યક્ત કર્યું, તો જોઈએ કોણે શું કહ્યું.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Rajkot TRP Mall Game Zone Fire Reactions

રાજકોટ અગ્નિકાંડ પર પ્રતિક્રિયા (ફોટો - એક્સપ્રેસ)

Rajkot Game Zone Fire : ગુજરાતના રાજકોટમાં TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં 24 લોકો દાઝી જતા મોત થયા હતા. આગની ઘટના બાદ સમગ્ર ગેમ ઝોન બળીને રાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 8 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશનની સાથે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

Advertisment

જવાબદારો સામે બેદરકારી અને મૃત્યુનો કેસ દાખલ કરીશું : રાજકોટ પોલીસ કમિશ્નર

રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, TRP ગેમિંગ ઝોનમાં બપોરે આગ લાગી હતી. બચાવ કામગીરી ચાલી રહી છે. આગને કાબુમાં લેવામાં આવી છે. અમે બને તેટલા મૃતદેહોને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં લગભગ 20 મૃતદેહો મળી આવ્યા છે અને તેમને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ગેમિંગ ઝોનનો માલિક યુવરાજસિંહ સોલંકી નામનો વ્યક્તિ છે. અમે બેદરકારી અને મૃત્યુનો કેસ દાખલ કરીશું. બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ અહીં વધુ તપાસ કરવામાં આવશે.

,

Advertisment

આગ સ્થળનું બાંધકામ ધરાશાયી થઈ જતા કામગીરીમાં મુશ્કેલી પડી રહી : ફાયર અધિકારી

ANIના અહેવાલ મુજબ આગ એટલી ગંભીર હતી કે, તેનો ધુમાડો 3 કિલોમીટર દૂરથી દેખાઈ રહ્યો હતો. જો કે આગ લાગવાનું કારણ શું હતું તે હજુ સ્પષ્ટ થયું નથી. ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે, એક માળખું ધરાશાયી થવાને કારણે તેમને રાહત કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમે લોકોને વહેલી તકે બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

,

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, રાજકોટમાં આગની દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું. જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. ઘાયલો માટે પ્રાર્થના. "સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે કામ કરી રહ્યું છે."

અમિત શાહે આ ઘટનાથી દુઃખી હોવાનું જણાવ્યું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું, “રાજકોટ (ગુજરાત) ના ગેમ ઝોનમાં થયેલા અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું. મેં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે અને આ અકસ્માત અંગે માહિતી લીધી છે. વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્ય માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે અને ઘાયલોને સારવાર આપી રહ્યું છે. "હું આ દુ:ખદ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું."

,

રાષ્ટ્રપતિ મુર્મુએ પણ દુઃખ વ્યક્ત કર્યું

ગુજરાતના રાજકોટમાં એક ગેમિંગ ઝોનમાં આગની દુર્ઘટનામાં જાનહાનિના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. એવા પરિવારો પ્રત્યે મારી સંવેદના છે જેમણે તેમના બાળકો સહિત તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. બચાવાયેલા લોકો ઝડપથી સાજા થાય તે માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું.

CM એ બચાવ કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી હતી

આ દરમિયાન, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકા અને વહીવટીતંત્રને આગની ઘટનામાં તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય હાથ ધરવા સૂચના આપી છે. ભૂપેન્દ્ર પટેલે X પર પોસ્ટ કર્યું, “રાજકોટના ગેમ ઝોનમાં આગની ઘટનામાં, મહાનગરપાલિકા અને વહીવટીતંત્રને તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય માટે સૂચનાઓ આપવામાં આવી છે. ઘાયલોની તાત્કાલિક સારવારની વ્યવસ્થાને પ્રાથમિકતા આપવા પણ સૂચનાઓ આપવામાં આવી છે. આ સાથે તેમણે કહ્યું કે રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપશે. એટલું જ નહીં આ કેસની તપાસ માટે SIT ટીમ બનાવવામાં આવી છે.

,

ઘટના અંગે કલેકટરે શું કહ્યું

રાજકોટમાં આગની ઘટના અંગે રાજકોટ કલેક્ટર પ્રભા જોષીએ જણાવ્યું હતું કે, અમને સાંજે 4.30 વાગ્યે ફોન આવ્યો હતો. ગેમિંગ ઝોનમાં કામચલાઉ માળખું તૂટી પડ્યું હતું. અંદાજે 2 કલાક પહેલા આગને કાબુમાં લેવામાં આવી હતી. કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. અમે મુખ્યમંત્રીના સતત સંપર્કમાં છીએ.

,

આગની ઘટના પર ભાજપના ધારાસભ્યએ શું કહ્યું?

રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગ પર ભાજપના ધારાસભ્ય દર્શિતા શાહે કહ્યું કે, આજે રાજકોટમાં ખૂબ જ દુઃખદ ઘટના બની છે. રાજકોટના ઈતિહાસમાં પ્રથમ વખત ગેમ ઝોનમાં આગ લાગવાને કારણે બાળકોએ જીવ ગુમાવ્યો હોય. રેસ્ક્યુ ટીમ શક્ય તેટલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર આ બાબતે પગલાં લેશે પરંતુ અત્યારે પ્રાથમિકતા શક્ય એટલા લોકોને બચાવવાની છે.

આ પણ વાંચો - રાજકોટ TRP મોલ ગેમ ઝોનમાં આગ | 9 બાળકો સહિત 24 ના મોત, અનેકની હાલત ગંભીર, મૃતકોના પરિવારને 4 લાખ સહાયની જાહેરાત

,

પોલીસે માલિકની અટકાયત કરી હતી

રાજકોટ પોલીસે ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની અટકાયત કરી છે. પોલીસ ગેમ ઝોનના મેનેજરને પણ શોધી રહી છે. આ ગેમ ઝોનના એક ભાગમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે બે દિવસ પહેલા ગેમ ઝોન બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે, એક દિવસ બાદ ગેમ ઝોન ફરી ખોલવામાં આવ્યો હતો. જે દરમિયાન બે દિવસ પહેલા શોર્ટ સર્કિટના કારણે ગેમ ઝોન બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે, એક દિવસ બાદ ગેમ ઝોન ફરી ખોલવામાં આવ્યો હતો.

ગુજરાતી ન્યૂઝ અકસ્માત રાજકોટ Express Exclusive દેશ