રાજકોટમાં દિલ્હી જેવી ઘટના, હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેનોપી તૂટી પડી

Rajkot Airport canopy collapses : શુક્રવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથકના ટર્મિનલ 1 ની છતનો એક ભાગ ધરાશાયી થયાના એક દિવસ પછી આ ઘટના બની

Written by Ashish Goyal
June 29, 2024 17:11 IST
રાજકોટમાં દિલ્હી જેવી ઘટના, હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેનોપી તૂટી પડી
રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર કેનોપી તૂટી પડી (Express Photo)

Rajkot International Airport canopy collapses : રાજકોટ એરપોર્ટ ઉપર દિલ્હી એરપોર્ટ જેવી ઘટના બની છે. રાજરોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર કેનોપી તૂટી પડી હતી. ટર્મિનલની બહાર પેસેન્જર પીક એપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી હતી. રાજકોટના નવા ઈન્ટરનેશનલ એરપોર્ટ થયેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના રાજકોટની ભાગોળે આવેલા હીરાસર ગામમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ (આરઆઇએ)નું ઉદ્ઘાટન કર્યાના એક વર્ષ કરતાં પણ ઓછા સમય બાદ શનિવારે ભારે વરસાદને પગલે ટર્મિનલના પેસેન્જર ડ્રોપ અને પીકઅપ એરિયામાં છતનો એક ભાગ ધરાશાયી થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી અને એરપોર્ટની કામગીરીને કોઈ અસર થઈ નથી.

શુક્રવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથકના ટર્મિનલ 1 ની છતનો એક ભાગ ધરાશાયી થયાના એક દિવસ પછી આ ઘટના બની છે. કારણ કે રાષ્ટ્રીય રાજધાનીમાં રેકોર્ડ વરસાદ જોવા મળ્યો હતો.

પીએમ મોદીએ 27 જુલાઈ 2023ના રોજ રાજકોટ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 જુલાઈ 2023ના રોજ રાજકોટ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. નવા એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ હજુ નિર્માણાધીન હોવાથી એએઆઈ દ્વારા સંચાલિત એરપોર્ટે કામચલાઉ ટર્મિનલની કામગીરી શરૂ કરી હતી.

જ્યારે કાયમી ટર્મિનલ મુસાફરોને સંભાળવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે તેને કાર્ગો ટર્મિનલમાં રૂપાંતરિત કરવાનું હોય છે. કામચલાઉ ટર્મિનલના પેસેન્જર પિક-અપ અને ડ્રોપ એરિયાને હેવી-ડ્યુટી ફેબ્રિક છત્ર દ્વારા આવરી લેવામાં આવે છે, જેને સ્ટીલ ફ્રેમ દ્વારા ટેકો આપવામાં આવે છે.

આ પણ વાંચો – શુક્રવારના રોજ 152 તાલુકામાં મેઘમહેર, 29 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ, અમદાવાદમાં ઝાપટું

આ ઘટનાથી એરપોર્ટ પરની કામગીરીને કોઈ અસર થઈ નથી

આરઆઈએ (RIA)ના ડિરેક્ટર દિગંતા બોરાહે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે કેનોપીમાં પાણી એકઠું થયું હતું. પાણીને ડ્રેઇન કરવા માટે જાળવણીના કામ દરમિયાન કેનોપી તૂટી ગયું હતું. તપાસ પછી એક વિગતવાર અહેવાલ એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે શેર કરવામાં આવશે. આ ઘટનાથી એરપોર્ટ પરની કામગીરીને કોઈ અસર થઈ નથી.

આરઆઇએને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે, પરંતુ હાલમાં તે માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું સંચાલન કરે છે કારણ કે કાયમી ટર્મિનલ પર કામ ચાલુ છે અને ઇમિગ્રેશન અને કસ્ટમ્સ સ્ટાફ તૈનાત કરવાનો બાકી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ